યોગ કરી કેન્દ્રીય મંત્રીઓએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી, રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ કર્યો યોગ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-21 10:39:31

21 મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે તે માટે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને લઈ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વમાં આજે લોકો યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવી રહ્યા છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કરવાના છે. તે સિવાય ભારતના કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી. સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ યોગ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીઓએ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 

સદીઓથી ભારતમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રાચીન કાળથી ઋષિમૂનીઓએ યોગનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે વિશ્વ યોગનું મહત્વ સમજે તે માટે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ સ્થળો પર આનું આયોજન કરવામાં આવતું હોય છે. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓ યોગ કરી આ દિવસની ઉજવણી કરતા હોય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોરમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. તે ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રીએ આઈએનએસ વિક્રાંત પર યોગ કર્યો હતો. તે સિવાય સ્મૃતિ ઈરાનીએ પણ યોગ કર્યો હતો ઉપરાંત અનુરાગ ઠાકુરે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. પિયુષ ગોયલે પણ યોગ કરી યોગ દિવસને મનાવ્યો હતો. તે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ યોગ કરી સંદેશો પાઠવ્યો હતો.

 


રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ દિવસ નિમિત્તે કર્યો યોગ 

કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યોગ કરતા દેખાયા હતા, તે ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી પણ યોગ કરતા દેખાયા હતા.આસામના મુખ્યમંત્રીએ પણ યોગ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.     

  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.