યોગ કરી કેન્દ્રીય મંત્રીઓએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી, રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ કર્યો યોગ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-21 10:39:31

21 મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે તે માટે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને લઈ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વમાં આજે લોકો યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવી રહ્યા છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કરવાના છે. તે સિવાય ભારતના કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી. સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ યોગ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીઓએ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 

સદીઓથી ભારતમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રાચીન કાળથી ઋષિમૂનીઓએ યોગનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે વિશ્વ યોગનું મહત્વ સમજે તે માટે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ સ્થળો પર આનું આયોજન કરવામાં આવતું હોય છે. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓ યોગ કરી આ દિવસની ઉજવણી કરતા હોય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોરમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. તે ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રીએ આઈએનએસ વિક્રાંત પર યોગ કર્યો હતો. તે સિવાય સ્મૃતિ ઈરાનીએ પણ યોગ કર્યો હતો ઉપરાંત અનુરાગ ઠાકુરે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. પિયુષ ગોયલે પણ યોગ કરી યોગ દિવસને મનાવ્યો હતો. તે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ યોગ કરી સંદેશો પાઠવ્યો હતો.

 


રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ દિવસ નિમિત્તે કર્યો યોગ 

કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યોગ કરતા દેખાયા હતા, તે ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી પણ યોગ કરતા દેખાયા હતા.આસામના મુખ્યમંત્રીએ પણ યોગ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.     

  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.