યોગ કરી કેન્દ્રીય મંત્રીઓએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી, રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ કર્યો યોગ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-21 10:39:31

21 મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે તે માટે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને લઈ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વમાં આજે લોકો યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવી રહ્યા છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કરવાના છે. તે સિવાય ભારતના કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી. સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ યોગ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીઓએ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 

સદીઓથી ભારતમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રાચીન કાળથી ઋષિમૂનીઓએ યોગનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે વિશ્વ યોગનું મહત્વ સમજે તે માટે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ સ્થળો પર આનું આયોજન કરવામાં આવતું હોય છે. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓ યોગ કરી આ દિવસની ઉજવણી કરતા હોય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોરમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. તે ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રીએ આઈએનએસ વિક્રાંત પર યોગ કર્યો હતો. તે સિવાય સ્મૃતિ ઈરાનીએ પણ યોગ કર્યો હતો ઉપરાંત અનુરાગ ઠાકુરે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. પિયુષ ગોયલે પણ યોગ કરી યોગ દિવસને મનાવ્યો હતો. તે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ યોગ કરી સંદેશો પાઠવ્યો હતો.

 


રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ દિવસ નિમિત્તે કર્યો યોગ 

કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યોગ કરતા દેખાયા હતા, તે ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી પણ યોગ કરતા દેખાયા હતા.આસામના મુખ્યમંત્રીએ પણ યોગ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.     

  



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.