UIDAIની મોટી જાહેરાત, હવે ફ્રીમાં આ તારીખ સુધી અપડેટ કરાવી શકાશે આધાર


  • Published By :
  • Published Date : 2023-06-15 20:57:34

હવે આધારને લઈને મોટા સમાચાર આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આધાર ઓથોરિટીએ એવા યુઝર્સને તાત્કાલિક આધાર અપડેટ કરવાની અપીલ કરી છે, જેમણે આધાર જારી કર્યાના 10 વર્ષ પછી પણ વિગતો અપડેટ કરી નથી. આધાર ઓથોરિટીએ ફ્રી અપડેટ સર્વિસને 3 મહિના માટે લંબાવી છે.


લોકો માટે રાહતના સમાચાર


જે લોકોએ અત્યાર સુધી પોતાનું આધાર અપડેટ નથી કરાવ્યું તેવા લોકો માટે આ મોટા રાહતના સમાચાર છે. હવે લોકોને આધાર અપડેટ કરાવવા માટે વધુ સમય મળી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આધારને ઓનલાઈન ફ્રી અપડેટ કરાવી શકાય છે, તે ઉપરાંત નજીકના આધાર સ્ટોર અને પોસ્ટ ઓફિસ સ્ટોર પરથી પણ આધાર અપડેટ કરાવી શકાય છે.  


પહેલા 14 જૂન હતી છેલ્લી તારીખ


અત્રે ઉલ્લેખનિય છે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર યુઝર્સને ડેમોગ્રાફિક ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરાવવા માટે 15 માર્ચથી જુન 2023 સુધીનો સમય આપ્યો હતો. 14 જુનની ડેડલાઈન હવે સમાપ્ત થઈ ગઈ છે. આ જ કારણ હવે UIDAIએ ફ્રી ડિટેલ્સ અપડેટ કરવાની મુદ્દતને 14 સપ્ટેમ્બર સુધી આગળ વધારી દીધો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.