UIDAIની મોટી જાહેરાત, હવે ફ્રીમાં આ તારીખ સુધી અપડેટ કરાવી શકાશે આધાર


  • Published By :
  • Published Date : 2023-06-15 20:57:34

હવે આધારને લઈને મોટા સમાચાર આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આધાર ઓથોરિટીએ એવા યુઝર્સને તાત્કાલિક આધાર અપડેટ કરવાની અપીલ કરી છે, જેમણે આધાર જારી કર્યાના 10 વર્ષ પછી પણ વિગતો અપડેટ કરી નથી. આધાર ઓથોરિટીએ ફ્રી અપડેટ સર્વિસને 3 મહિના માટે લંબાવી છે.


લોકો માટે રાહતના સમાચાર


જે લોકોએ અત્યાર સુધી પોતાનું આધાર અપડેટ નથી કરાવ્યું તેવા લોકો માટે આ મોટા રાહતના સમાચાર છે. હવે લોકોને આધાર અપડેટ કરાવવા માટે વધુ સમય મળી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આધારને ઓનલાઈન ફ્રી અપડેટ કરાવી શકાય છે, તે ઉપરાંત નજીકના આધાર સ્ટોર અને પોસ્ટ ઓફિસ સ્ટોર પરથી પણ આધાર અપડેટ કરાવી શકાય છે.  


પહેલા 14 જૂન હતી છેલ્લી તારીખ


અત્રે ઉલ્લેખનિય છે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર યુઝર્સને ડેમોગ્રાફિક ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરાવવા માટે 15 માર્ચથી જુન 2023 સુધીનો સમય આપ્યો હતો. 14 જુનની ડેડલાઈન હવે સમાપ્ત થઈ ગઈ છે. આ જ કારણ હવે UIDAIએ ફ્રી ડિટેલ્સ અપડેટ કરવાની મુદ્દતને 14 સપ્ટેમ્બર સુધી આગળ વધારી દીધો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.