ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ? 13 તારીખ સુધી આ વિસ્તારોમાં વરસી શકે છે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-10 17:48:10

ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... પ્રિમોનસુન એક્ટિવીટિને કારણે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

Image


Image

આ વિસ્તારોમાં આવી શકે છે ગાજવીજ સાથે વરસાદ 

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો.. તે બાદ ઉનાળામાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. 10 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર નવસારી, વલસાડ, દમણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 11 તેમજ 12 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર નર્મદા, તાપી, ડાંગ, નવસારી, છોટા ઉદેપુર, મહીસાગર. દમણ સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે...

Image


Image

જગતના તાતની વધી ચિંતા    

13 તારીખ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,ભરૂચ. તાપી, ડાંગ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે... મહત્વું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે. તેમના પકવેલા પાકને મોટા પાયે નુકસાન થાય છે..   ખેડૂતોને રડવાનો વારો આવે છે.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.