ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ? 13 તારીખ સુધી આ વિસ્તારોમાં વરસી શકે છે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-10 17:48:10

ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... પ્રિમોનસુન એક્ટિવીટિને કારણે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

Image


Image

આ વિસ્તારોમાં આવી શકે છે ગાજવીજ સાથે વરસાદ 

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો.. તે બાદ ઉનાળામાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. 10 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર નવસારી, વલસાડ, દમણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 11 તેમજ 12 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર નર્મદા, તાપી, ડાંગ, નવસારી, છોટા ઉદેપુર, મહીસાગર. દમણ સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે...

Image


Image

જગતના તાતની વધી ચિંતા    

13 તારીખ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,ભરૂચ. તાપી, ડાંગ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે... મહત્વું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે. તેમના પકવેલા પાકને મોટા પાયે નુકસાન થાય છે..   ખેડૂતોને રડવાનો વારો આવે છે.. 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.