શીતલહેર વચ્ચે આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-12 09:32:57

દેશના ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેરને કારણે લોકોને હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એક તરફ  હિમનો વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી 

ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર આવનાર દિવસોમાં ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. દિલ્હીમાં ઠંડીને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહારમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. 


હિમવર્ષા થવાની કરાઈ આગાહી 

ઉત્તરપ્રદેશની સાથે હિમાચલપ્રદેશ, લદ્દાખ તેમજ કાશ્મીર માટે પણ આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં પણ હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવી છે. ઠંડીમાં વરસાદ પડવાને કારણે બે ઋતુનો અહેસાસ થઈ શકે છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ પર જોવા મળી રહ્યું છે.  


 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.