શીતલહેર વચ્ચે આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-12 09:32:57

દેશના ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેરને કારણે લોકોને હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એક તરફ  હિમનો વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી 

ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર આવનાર દિવસોમાં ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. દિલ્હીમાં ઠંડીને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહારમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. 


હિમવર્ષા થવાની કરાઈ આગાહી 

ઉત્તરપ્રદેશની સાથે હિમાચલપ્રદેશ, લદ્દાખ તેમજ કાશ્મીર માટે પણ આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં પણ હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવી છે. ઠંડીમાં વરસાદ પડવાને કારણે બે ઋતુનો અહેસાસ થઈ શકે છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ પર જોવા મળી રહ્યું છે.  


 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.