શીતલહેર વચ્ચે આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-12 09:32:57

દેશના ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેરને કારણે લોકોને હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એક તરફ  હિમનો વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી 

ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર આવનાર દિવસોમાં ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. દિલ્હીમાં ઠંડીને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહારમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. 


હિમવર્ષા થવાની કરાઈ આગાહી 

ઉત્તરપ્રદેશની સાથે હિમાચલપ્રદેશ, લદ્દાખ તેમજ કાશ્મીર માટે પણ આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં પણ હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવી છે. ઠંડીમાં વરસાદ પડવાને કારણે બે ઋતુનો અહેસાસ થઈ શકે છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ પર જોવા મળી રહ્યું છે.  


 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.