ગાજવીજ સાથે માવઠાંની એન્ટ્રી, રાજ્યના વિવિધ ભાગોમાં ઘોધમાર કમોસમી વરસાદ, જગતનો તાત થયો ચિંતિંત


  • Published By :
  • Published Date : 2023-03-06 19:08:04

 હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત, નવસારી,વલસાડ, પાટણ, ભરૂચ, અમરેલી, મોરબી, બનાસકાંઠા, સંઘપ્રદેશ દમણ ઉપરાંત ઉમરગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.  


વૃક્ષો ધરાશાઈ થયા 


વડોદરા શહેરમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ થતાં શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભારે પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા છે. શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે આવેલ વિશાળ વૃક્ષ ધરાશાઈ થતા વૃક્ષ નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો દટાયા છે. કેટલાક સ્થળોએ રોડ પાસે જ વૃક્ષ ધરાશાઈ થતાં ટ્રાફિક જામ થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 


હોળી આયોજકોમાં ચિંતા


રાજ્યમાં કમોસમી વરસાદથી હોળી આયોજકો ચિંતાતુર બન્યા છે. વિવિધ શહેરોમાં અનેક સ્થળોએ હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતું સર્વત્ર પાણી ભરાતા અને માવઠાંથી લાકાડાં પણ ભીંના થતાં હવે હોળી દહન કઈ રીતે કરવું તેને લઈને આયોજકો વિમાસણમાં મુકાયા છે. 


જગતનો તાત ચિંતાતુર


વાદળછાયા વાતાવરણ અને માલઠાંના કારણે રાયડો, ઘઉં, રાજગરા,કપાસ, બટાટા અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોના જીવ અધ્ધર છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.