ગાજવીજ સાથે માવઠાંની એન્ટ્રી, રાજ્યના વિવિધ ભાગોમાં ઘોધમાર કમોસમી વરસાદ, જગતનો તાત થયો ચિંતિંત


  • Published By :
  • Published Date : 2023-03-06 19:08:04

 હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત, નવસારી,વલસાડ, પાટણ, ભરૂચ, અમરેલી, મોરબી, બનાસકાંઠા, સંઘપ્રદેશ દમણ ઉપરાંત ઉમરગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.  


વૃક્ષો ધરાશાઈ થયા 


વડોદરા શહેરમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ થતાં શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભારે પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા છે. શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે આવેલ વિશાળ વૃક્ષ ધરાશાઈ થતા વૃક્ષ નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો દટાયા છે. કેટલાક સ્થળોએ રોડ પાસે જ વૃક્ષ ધરાશાઈ થતાં ટ્રાફિક જામ થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 


હોળી આયોજકોમાં ચિંતા


રાજ્યમાં કમોસમી વરસાદથી હોળી આયોજકો ચિંતાતુર બન્યા છે. વિવિધ શહેરોમાં અનેક સ્થળોએ હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતું સર્વત્ર પાણી ભરાતા અને માવઠાંથી લાકાડાં પણ ભીંના થતાં હવે હોળી દહન કઈ રીતે કરવું તેને લઈને આયોજકો વિમાસણમાં મુકાયા છે. 


જગતનો તાત ચિંતાતુર


વાદળછાયા વાતાવરણ અને માલઠાંના કારણે રાયડો, ઘઉં, રાજગરા,કપાસ, બટાટા અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોના જીવ અધ્ધર છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.