ગાજવીજ સાથે માવઠાંની એન્ટ્રી, રાજ્યના વિવિધ ભાગોમાં ઘોધમાર કમોસમી વરસાદ, જગતનો તાત થયો ચિંતિંત


  • Published By :
  • Published Date : 2023-03-06 19:08:04

 હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત, નવસારી,વલસાડ, પાટણ, ભરૂચ, અમરેલી, મોરબી, બનાસકાંઠા, સંઘપ્રદેશ દમણ ઉપરાંત ઉમરગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.  


વૃક્ષો ધરાશાઈ થયા 


વડોદરા શહેરમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ થતાં શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભારે પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા છે. શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે આવેલ વિશાળ વૃક્ષ ધરાશાઈ થતા વૃક્ષ નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો દટાયા છે. કેટલાક સ્થળોએ રોડ પાસે જ વૃક્ષ ધરાશાઈ થતાં ટ્રાફિક જામ થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 


હોળી આયોજકોમાં ચિંતા


રાજ્યમાં કમોસમી વરસાદથી હોળી આયોજકો ચિંતાતુર બન્યા છે. વિવિધ શહેરોમાં અનેક સ્થળોએ હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતું સર્વત્ર પાણી ભરાતા અને માવઠાંથી લાકાડાં પણ ભીંના થતાં હવે હોળી દહન કઈ રીતે કરવું તેને લઈને આયોજકો વિમાસણમાં મુકાયા છે. 


જગતનો તાત ચિંતાતુર


વાદળછાયા વાતાવરણ અને માલઠાંના કારણે રાયડો, ઘઉં, રાજગરા,કપાસ, બટાટા અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોના જીવ અધ્ધર છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.