ગાજવીજ સાથે માવઠાંની એન્ટ્રી, રાજ્યના વિવિધ ભાગોમાં ઘોધમાર કમોસમી વરસાદ, જગતનો તાત થયો ચિંતિંત


  • Published By :
  • Published Date : 2023-03-06 19:08:04

 હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત, નવસારી,વલસાડ, પાટણ, ભરૂચ, અમરેલી, મોરબી, બનાસકાંઠા, સંઘપ્રદેશ દમણ ઉપરાંત ઉમરગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.  


વૃક્ષો ધરાશાઈ થયા 


વડોદરા શહેરમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ થતાં શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભારે પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા છે. શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે આવેલ વિશાળ વૃક્ષ ધરાશાઈ થતા વૃક્ષ નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો દટાયા છે. કેટલાક સ્થળોએ રોડ પાસે જ વૃક્ષ ધરાશાઈ થતાં ટ્રાફિક જામ થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 


હોળી આયોજકોમાં ચિંતા


રાજ્યમાં કમોસમી વરસાદથી હોળી આયોજકો ચિંતાતુર બન્યા છે. વિવિધ શહેરોમાં અનેક સ્થળોએ હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતું સર્વત્ર પાણી ભરાતા અને માવઠાંથી લાકાડાં પણ ભીંના થતાં હવે હોળી દહન કઈ રીતે કરવું તેને લઈને આયોજકો વિમાસણમાં મુકાયા છે. 


જગતનો તાત ચિંતાતુર


વાદળછાયા વાતાવરણ અને માલઠાંના કારણે રાયડો, ઘઉં, રાજગરા,કપાસ, બટાટા અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોના જીવ અધ્ધર છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.