JNUમાં BBCની ડોક્યુમેન્ટરી પર થયો હોબાળો, યુનિવર્સિટીમાં થયો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-25 13:01:13

બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા ધી મોદી ક્વેશ્યન પર વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ડોક્યુમેન્ટરીને લઈને જેએનયુમાં હંગામો છેડાયો છે. મોડી રાત્રે ક્યુઆર કોડથી મોબાઈલમાં ડાઉન્લોડ કરી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ પર અચાનક પથ્થરમારો થયો જે બાદ યુનિવર્સિટીમાં હંગામો થયો હતો.

Image

પ્રતિબંધિત ફિલ્મ જોવાનો કર્યો પ્રયાસ 

સરકાર દ્વારા પ્રતિબંધિત ફિલ્મ જાહેર કરવામાં આવ્યા બાદ જેએનયુએ પોતાના કેમ્પસમાં આ ફિલ્મ બતાવા પર રોક મૂકી દીધો હતો. પરંતુ મંગળવાર રાત્રે જેએનયુના વિદ્યાર્થીઓ પ્રતિબંધિત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ ફિલ્મ જોઈ રહ્યા હતા તે દરમિયાન લાઈટો જતી રહી હતી. 


વિદ્યાર્થીઓ પર કરાયો પથ્થરમારો

જે સમય દરમિયાન વિદ્યાર્થીઓ પર પથ્થરમોરો કરવામાં આવ્યો હતો. અંધારું હોવાને કારણે કોણે પથ્થરમારો કર્યો તે જાણી શકાયું ન હતું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ ડોક્યુમેન્ટરી જોઈ ન શકાય તે માટે આવું કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગ કરવાની કોશિશ કરી જે બાદ વિવાદ છેડાયો છે. વિવાદ છેડાતા યુનિવર્સિટીમાં તણાવપૂર્ણ માહોલ છવાઈ ગયો છે.  


શેને કારણે છેડાયો વિવાદ?

ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા કાંડ પર આધારીત આ ડોક્યુમેન્ટરી હતી. બીબીસી દ્વારા 17 જાન્યુઆરીના રોજ આનો પહેલો એપિસોડ રિલીઝ થયો હતો. જેના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુસ્લિમ અલ્પસંખ્યકોની વચ્ચેના તણાવ પર ફોક્સ કરે છે. બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો હતો. ત્યારે કેન્દ્ર સરકારે પ્રથમ એપિસોડને હટાવી દીધો છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.