JNUમાં BBCની ડોક્યુમેન્ટરી પર થયો હોબાળો, યુનિવર્સિટીમાં થયો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-25 13:01:13

બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા ધી મોદી ક્વેશ્યન પર વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ડોક્યુમેન્ટરીને લઈને જેએનયુમાં હંગામો છેડાયો છે. મોડી રાત્રે ક્યુઆર કોડથી મોબાઈલમાં ડાઉન્લોડ કરી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ પર અચાનક પથ્થરમારો થયો જે બાદ યુનિવર્સિટીમાં હંગામો થયો હતો.

Image

પ્રતિબંધિત ફિલ્મ જોવાનો કર્યો પ્રયાસ 

સરકાર દ્વારા પ્રતિબંધિત ફિલ્મ જાહેર કરવામાં આવ્યા બાદ જેએનયુએ પોતાના કેમ્પસમાં આ ફિલ્મ બતાવા પર રોક મૂકી દીધો હતો. પરંતુ મંગળવાર રાત્રે જેએનયુના વિદ્યાર્થીઓ પ્રતિબંધિત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ ફિલ્મ જોઈ રહ્યા હતા તે દરમિયાન લાઈટો જતી રહી હતી. 


વિદ્યાર્થીઓ પર કરાયો પથ્થરમારો

જે સમય દરમિયાન વિદ્યાર્થીઓ પર પથ્થરમોરો કરવામાં આવ્યો હતો. અંધારું હોવાને કારણે કોણે પથ્થરમારો કર્યો તે જાણી શકાયું ન હતું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ ડોક્યુમેન્ટરી જોઈ ન શકાય તે માટે આવું કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગ કરવાની કોશિશ કરી જે બાદ વિવાદ છેડાયો છે. વિવાદ છેડાતા યુનિવર્સિટીમાં તણાવપૂર્ણ માહોલ છવાઈ ગયો છે.  


શેને કારણે છેડાયો વિવાદ?

ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા કાંડ પર આધારીત આ ડોક્યુમેન્ટરી હતી. બીબીસી દ્વારા 17 જાન્યુઆરીના રોજ આનો પહેલો એપિસોડ રિલીઝ થયો હતો. જેના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુસ્લિમ અલ્પસંખ્યકોની વચ્ચેના તણાવ પર ફોક્સ કરે છે. બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો હતો. ત્યારે કેન્દ્ર સરકારે પ્રથમ એપિસોડને હટાવી દીધો છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.