JNUમાં BBCની ડોક્યુમેન્ટરી પર થયો હોબાળો, યુનિવર્સિટીમાં થયો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-25 13:01:13

બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા ધી મોદી ક્વેશ્યન પર વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ડોક્યુમેન્ટરીને લઈને જેએનયુમાં હંગામો છેડાયો છે. મોડી રાત્રે ક્યુઆર કોડથી મોબાઈલમાં ડાઉન્લોડ કરી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ પર અચાનક પથ્થરમારો થયો જે બાદ યુનિવર્સિટીમાં હંગામો થયો હતો.

Image

પ્રતિબંધિત ફિલ્મ જોવાનો કર્યો પ્રયાસ 

સરકાર દ્વારા પ્રતિબંધિત ફિલ્મ જાહેર કરવામાં આવ્યા બાદ જેએનયુએ પોતાના કેમ્પસમાં આ ફિલ્મ બતાવા પર રોક મૂકી દીધો હતો. પરંતુ મંગળવાર રાત્રે જેએનયુના વિદ્યાર્થીઓ પ્રતિબંધિત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ ફિલ્મ જોઈ રહ્યા હતા તે દરમિયાન લાઈટો જતી રહી હતી. 


વિદ્યાર્થીઓ પર કરાયો પથ્થરમારો

જે સમય દરમિયાન વિદ્યાર્થીઓ પર પથ્થરમોરો કરવામાં આવ્યો હતો. અંધારું હોવાને કારણે કોણે પથ્થરમારો કર્યો તે જાણી શકાયું ન હતું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ ડોક્યુમેન્ટરી જોઈ ન શકાય તે માટે આવું કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગ કરવાની કોશિશ કરી જે બાદ વિવાદ છેડાયો છે. વિવાદ છેડાતા યુનિવર્સિટીમાં તણાવપૂર્ણ માહોલ છવાઈ ગયો છે.  


શેને કારણે છેડાયો વિવાદ?

ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા કાંડ પર આધારીત આ ડોક્યુમેન્ટરી હતી. બીબીસી દ્વારા 17 જાન્યુઆરીના રોજ આનો પહેલો એપિસોડ રિલીઝ થયો હતો. જેના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુસ્લિમ અલ્પસંખ્યકોની વચ્ચેના તણાવ પર ફોક્સ કરે છે. બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો હતો. ત્યારે કેન્દ્ર સરકારે પ્રથમ એપિસોડને હટાવી દીધો છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.