JNUમાં BBCની ડોક્યુમેન્ટરી પર થયો હોબાળો, યુનિવર્સિટીમાં થયો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-25 13:01:13

બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા ધી મોદી ક્વેશ્યન પર વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ડોક્યુમેન્ટરીને લઈને જેએનયુમાં હંગામો છેડાયો છે. મોડી રાત્રે ક્યુઆર કોડથી મોબાઈલમાં ડાઉન્લોડ કરી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ પર અચાનક પથ્થરમારો થયો જે બાદ યુનિવર્સિટીમાં હંગામો થયો હતો.

Image

પ્રતિબંધિત ફિલ્મ જોવાનો કર્યો પ્રયાસ 

સરકાર દ્વારા પ્રતિબંધિત ફિલ્મ જાહેર કરવામાં આવ્યા બાદ જેએનયુએ પોતાના કેમ્પસમાં આ ફિલ્મ બતાવા પર રોક મૂકી દીધો હતો. પરંતુ મંગળવાર રાત્રે જેએનયુના વિદ્યાર્થીઓ પ્રતિબંધિત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ ફિલ્મ જોઈ રહ્યા હતા તે દરમિયાન લાઈટો જતી રહી હતી. 


વિદ્યાર્થીઓ પર કરાયો પથ્થરમારો

જે સમય દરમિયાન વિદ્યાર્થીઓ પર પથ્થરમોરો કરવામાં આવ્યો હતો. અંધારું હોવાને કારણે કોણે પથ્થરમારો કર્યો તે જાણી શકાયું ન હતું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ ડોક્યુમેન્ટરી જોઈ ન શકાય તે માટે આવું કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગ કરવાની કોશિશ કરી જે બાદ વિવાદ છેડાયો છે. વિવાદ છેડાતા યુનિવર્સિટીમાં તણાવપૂર્ણ માહોલ છવાઈ ગયો છે.  


શેને કારણે છેડાયો વિવાદ?

ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા કાંડ પર આધારીત આ ડોક્યુમેન્ટરી હતી. બીબીસી દ્વારા 17 જાન્યુઆરીના રોજ આનો પહેલો એપિસોડ રિલીઝ થયો હતો. જેના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુસ્લિમ અલ્પસંખ્યકોની વચ્ચેના તણાવ પર ફોક્સ કરે છે. બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો હતો. ત્યારે કેન્દ્ર સરકારે પ્રથમ એપિસોડને હટાવી દીધો છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.