UPSCનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, ટોપ 4માં માત્ર યુવતીઓ, ઈશિતા કિશોર ટોપર, 933 ઉમેદવારોનું થયું સિલેક્શન


  • Published By :
  • Published Date : 2023-05-23 15:39:08

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. ઈશિતા કિશોર, દ્વિતીય નંબર ગરિમા લોહિયા, તૃતીય ક્રમે ઉમા હરતિ એન અને ચોથું સ્થાન સ્મૃતિ મિશ્રાએ પ્રાપ્ત કર્યું છે. પરિણામના લગભગ 15 દિવસ પછી તેમના માર્ક્સ જાહેર કરવામાં આવશે. UPSCના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં ભાગ લેનાર ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર UPSC પરિણામ 2022 જોઈ શકે છે. UPSC એ 24 એપ્રિલથી 18 મે, 2023 સુધી ત્રીજા તબક્કાના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લીધા હતા, હવે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.


933 ઉમેદવારોની પસંદગી


UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો જનરલ, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.


પસંદ કરેલ ટોચના 10 ઉમેદવારોની યાદી


1. ઈશિતા કિશોર 2. ગરિમા લોહિયા 3. ઉમા હરતિ એન 4. સ્મૃતિ મિશ્રા5. મયુર હજારિકા 6. ગેહાના નવ્યા જેમ્સ 7. વસીમ અહેમદ 8. અનિરુદ્ધ યાદવ 9. કનિકા ગોયલ 10. રાહુલ શ્રીવાસ્તવ


1011 પદો માટે ભરતી નિકળી હતી


UPSCએ 03 તબકકામાં સિવિલ સર્વિસ 2022ના ઉમેદવારોના પર્સનલ ઈન્ટરવ્યૂ લીધા હતા. જેમાં ત્રીજો અને ફાઈનલ ફેઝ 18 મે 2023એ સમાપ્ત થયો હતો. UPSC દ્વારા જાહેર સિવિલ સર્વિસ મેઈન 2022ના પરિણાણ પ્રમાણે, સિવિલ સર્વિસ પ્રિલિમ અને મેઈન પરીક્ષામાં સફળ થયેલા લગભગ 2,529 ઉમેદવારોને ઈન્ટર્વ્યું માટે બોલાવવામાં આવ્યા હતા. UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ  IAS, IPS સહિત 1011 પદો માટે ભરતી નિકાળી હતી.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.