UPSCનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, ટોપ 4માં માત્ર યુવતીઓ, ઈશિતા કિશોર ટોપર, 933 ઉમેદવારોનું થયું સિલેક્શન


  • Published By :
  • Published Date : 2023-05-23 15:39:08

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. ઈશિતા કિશોર, દ્વિતીય નંબર ગરિમા લોહિયા, તૃતીય ક્રમે ઉમા હરતિ એન અને ચોથું સ્થાન સ્મૃતિ મિશ્રાએ પ્રાપ્ત કર્યું છે. પરિણામના લગભગ 15 દિવસ પછી તેમના માર્ક્સ જાહેર કરવામાં આવશે. UPSCના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં ભાગ લેનાર ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર UPSC પરિણામ 2022 જોઈ શકે છે. UPSC એ 24 એપ્રિલથી 18 મે, 2023 સુધી ત્રીજા તબક્કાના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લીધા હતા, હવે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.


933 ઉમેદવારોની પસંદગી


UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો જનરલ, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.


પસંદ કરેલ ટોચના 10 ઉમેદવારોની યાદી


1. ઈશિતા કિશોર 2. ગરિમા લોહિયા 3. ઉમા હરતિ એન 4. સ્મૃતિ મિશ્રા5. મયુર હજારિકા 6. ગેહાના નવ્યા જેમ્સ 7. વસીમ અહેમદ 8. અનિરુદ્ધ યાદવ 9. કનિકા ગોયલ 10. રાહુલ શ્રીવાસ્તવ


1011 પદો માટે ભરતી નિકળી હતી


UPSCએ 03 તબકકામાં સિવિલ સર્વિસ 2022ના ઉમેદવારોના પર્સનલ ઈન્ટરવ્યૂ લીધા હતા. જેમાં ત્રીજો અને ફાઈનલ ફેઝ 18 મે 2023એ સમાપ્ત થયો હતો. UPSC દ્વારા જાહેર સિવિલ સર્વિસ મેઈન 2022ના પરિણાણ પ્રમાણે, સિવિલ સર્વિસ પ્રિલિમ અને મેઈન પરીક્ષામાં સફળ થયેલા લગભગ 2,529 ઉમેદવારોને ઈન્ટર્વ્યું માટે બોલાવવામાં આવ્યા હતા. UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ  IAS, IPS સહિત 1011 પદો માટે ભરતી નિકાળી હતી.




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.