ભારત-પાકિસ્તાન મેચ જોવા અમદાવાદ આવેલી ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ ગોલ્ડ આઇફોન ખોવાયો, લોકોને કરી આ વિનંતી


  • Published By :
  • Published Date : 2023-10-15 16:36:39

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી વર્લ્ડ કપ મેચ જોવા માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. જેમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો પણ સમાવેશ થતો હતો. ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આઇફોન ખોવાઈ ગયો હતો. હવે ઉર્વશીએ આ મામલે અમદાવાદ પોલીસની મદદ માગી છે.


એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી


અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. અભિનત્રીએ લખ્યું કે, મારો 24 કેરેટ રિયલ ગોલ્ડ આઇફોન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઈ ગયા છે. જો કોઈના ધ્યાનમાં આવે, તો કૃપા કરીને મદદ કરો. જલદી મારો સંપર્ક કરો. આ સાથે જ અભિનેત્રીએ અમદાવાદ પોલીસને પણ ટેગ કર્યો છે. આ મામલે અમદાવાદ પોલીસે પણ રિપ્લાય આપતા આઈફોનની ડિટેલ માંગી છે, જેથી ફોનની તપાસ કરવામાં આવે. આ પહેલા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈફોન ખોવાઈ જવાના મામલા સામે આવી ગયા છે. આઈપીએલ મેચ દરમિયાન ઘણા આઈફોન ખોવાઈ જવાના કેસ સામે આવ્યા હતા.


ઉર્વશીએ સ્ટેડિયમનો વીડિયો શેર કર્યો


આ પહેલા ઉર્વશી રૌતેલાએ તેના સ્ટેડિયમમાંથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ભારતને જીત તરફ આગળ વધતી જોઈને ઘણી ખુશ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે અભિનેત્રી બ્લુ ડ્રેસ પહેરીને સ્ટેડિયમ પહોંચી હતી. એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પહેલા પણ ઉર્વશી ઘણી વખત મેચ જોતી જોવા મળી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.