ભારત-પાકિસ્તાન મેચ જોવા અમદાવાદ આવેલી ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ ગોલ્ડ આઇફોન ખોવાયો, લોકોને કરી આ વિનંતી


  • Published By :
  • Published Date : 2023-10-15 16:36:39

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી વર્લ્ડ કપ મેચ જોવા માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. જેમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો પણ સમાવેશ થતો હતો. ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આઇફોન ખોવાઈ ગયો હતો. હવે ઉર્વશીએ આ મામલે અમદાવાદ પોલીસની મદદ માગી છે.


એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી


અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. અભિનત્રીએ લખ્યું કે, મારો 24 કેરેટ રિયલ ગોલ્ડ આઇફોન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઈ ગયા છે. જો કોઈના ધ્યાનમાં આવે, તો કૃપા કરીને મદદ કરો. જલદી મારો સંપર્ક કરો. આ સાથે જ અભિનેત્રીએ અમદાવાદ પોલીસને પણ ટેગ કર્યો છે. આ મામલે અમદાવાદ પોલીસે પણ રિપ્લાય આપતા આઈફોનની ડિટેલ માંગી છે, જેથી ફોનની તપાસ કરવામાં આવે. આ પહેલા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈફોન ખોવાઈ જવાના મામલા સામે આવી ગયા છે. આઈપીએલ મેચ દરમિયાન ઘણા આઈફોન ખોવાઈ જવાના કેસ સામે આવ્યા હતા.


ઉર્વશીએ સ્ટેડિયમનો વીડિયો શેર કર્યો


આ પહેલા ઉર્વશી રૌતેલાએ તેના સ્ટેડિયમમાંથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ભારતને જીત તરફ આગળ વધતી જોઈને ઘણી ખુશ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે અભિનેત્રી બ્લુ ડ્રેસ પહેરીને સ્ટેડિયમ પહોંચી હતી. એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પહેલા પણ ઉર્વશી ઘણી વખત મેચ જોતી જોવા મળી છે.



ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.

મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટ ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોમાં ફરી રહી છે. ત્યારે આણંદના વિદ્યાનગર યાત્રા પહોંચી હતી. ત્યાંના વિદ્યાર્થીઓએ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ચૈતર વસાવાને ગુજરાતની સૌથી ચર્ચિત લોકસભા બેઠક ભરૂચ પરથી સમાચાર આવી રહ્યા છે કે , હવે ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે . અને કહ્યું હતું કે , હું પ્રચાર માટે મુમતાઝ પટેલનો સંપર્ક કરીશ .