અમેરિકામાં હિમ તોફાનથી 41 લોકોના મોત, લાખો ઘરોમાં વીજળી ગુલ, એરપોર્ટ બંધ, માર્ગો પર હજારો વાહનોની કતારો


  • Published By :
  • Published Date : 2022-12-26 14:02:01

અમેરિકામાં ભયાનક હિમવર્ષાથી અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. બર્ફિલા તોફાનોના કારણે દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન માઈનસ 45 ડિગ્રી પર પહોંચી ગયું છે. સ્થિતી એટલી ખરાબ છે કે ક્રિસમસ વેકેસન મનાવવાની લોકોની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે સરકારે પણ લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે. 


શા માટે હિમ તોફાન?


અમેરિકામાં આર્કટિક વિષ્ફોટ અને  સતત બર્ફિલા તોફાનોના કારણે તાપમાન શુન્યથી પણ નીચુ આવી ગયું છે. માર્ગો પર બરફના થર જામી ગયા છે. હવામાન વિષમ બનતા શાળા-કોલેજો છે. સમગ્ર દેશમાં વ્હાઈટ આઉટ જેવી સ્થિતી સર્જાઈ છે. દેશના હવામાન વિભાગે હિમ પ્રપાતના કારણે એરપોર્ટ પર 43 ઈંચ જેટલી બરફ વર્ષા થશે જેવી ચેતવણી આપી હતી. આ કારણે હવાઈ સેવા ખોરવાઈ હતી. દેશના વિવિધ એરપોર્ટ પરથી બરફ ખસેડવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. માર્ગો પરથી બરફના ઢગ જામ્યા હોવાથી હાલ બરફ હટાવી રસ્તાઓ ચોખ્ખા કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. 


6.5 કરોડ લોકોને બ્લેકઆઉટની ચેતવણી


પૂર્વી અમેરિકાના એક અગ્રણી પાવર ગ્રીડ ઓપરેટરે 6.5 કરોડ લોકોને બ્લેક આઉટની ચેતવણી ઉચ્ચારી છે. પેન્સેલવેનિયા સ્થિત પીજેએમ ઈન્ટરકનેક્સને કહ્યું કે વિજ સંયંત્રોને ઠંડા હવામાનમાં કામ કરવામાં મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક વીજ કંપનીઓએ પાવર કટના અમલની સુચના આપી છે.


25 કરોડ લોકો કાતિલ ઠંડીની ઝપેટમાં


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સતત હિમપ્રપાતના કારણે અમેરિકા અને કેનેડાના 25 કરોડ લોકોની જિંદગી પર કાતિલ ઠંડીનું જોખમ તોળાઈ રહ્યું છે. ટેક્સાસથી લઈને કેનેડાના ક્યુબેક સુધી એટલે કે 32 હજાર કિલોમીટર સુધી આ તોફાનની અસર જોવા મળી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.