અમેરિકામાં હિમ તોફાનથી 41 લોકોના મોત, લાખો ઘરોમાં વીજળી ગુલ, એરપોર્ટ બંધ, માર્ગો પર હજારો વાહનોની કતારો


  • Published By :
  • Published Date : 2022-12-26 14:02:01

અમેરિકામાં ભયાનક હિમવર્ષાથી અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. બર્ફિલા તોફાનોના કારણે દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન માઈનસ 45 ડિગ્રી પર પહોંચી ગયું છે. સ્થિતી એટલી ખરાબ છે કે ક્રિસમસ વેકેસન મનાવવાની લોકોની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે સરકારે પણ લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે. 


શા માટે હિમ તોફાન?


અમેરિકામાં આર્કટિક વિષ્ફોટ અને  સતત બર્ફિલા તોફાનોના કારણે તાપમાન શુન્યથી પણ નીચુ આવી ગયું છે. માર્ગો પર બરફના થર જામી ગયા છે. હવામાન વિષમ બનતા શાળા-કોલેજો છે. સમગ્ર દેશમાં વ્હાઈટ આઉટ જેવી સ્થિતી સર્જાઈ છે. દેશના હવામાન વિભાગે હિમ પ્રપાતના કારણે એરપોર્ટ પર 43 ઈંચ જેટલી બરફ વર્ષા થશે જેવી ચેતવણી આપી હતી. આ કારણે હવાઈ સેવા ખોરવાઈ હતી. દેશના વિવિધ એરપોર્ટ પરથી બરફ ખસેડવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. માર્ગો પરથી બરફના ઢગ જામ્યા હોવાથી હાલ બરફ હટાવી રસ્તાઓ ચોખ્ખા કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. 


6.5 કરોડ લોકોને બ્લેકઆઉટની ચેતવણી


પૂર્વી અમેરિકાના એક અગ્રણી પાવર ગ્રીડ ઓપરેટરે 6.5 કરોડ લોકોને બ્લેક આઉટની ચેતવણી ઉચ્ચારી છે. પેન્સેલવેનિયા સ્થિત પીજેએમ ઈન્ટરકનેક્સને કહ્યું કે વિજ સંયંત્રોને ઠંડા હવામાનમાં કામ કરવામાં મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક વીજ કંપનીઓએ પાવર કટના અમલની સુચના આપી છે.


25 કરોડ લોકો કાતિલ ઠંડીની ઝપેટમાં


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સતત હિમપ્રપાતના કારણે અમેરિકા અને કેનેડાના 25 કરોડ લોકોની જિંદગી પર કાતિલ ઠંડીનું જોખમ તોળાઈ રહ્યું છે. ટેક્સાસથી લઈને કેનેડાના ક્યુબેક સુધી એટલે કે 32 હજાર કિલોમીટર સુધી આ તોફાનની અસર જોવા મળી રહી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.