અમેરિકામાં બેંકિંગ સેક્ટર આર્થિક ભીંસમાં આવ્યું, દેશની વધુ એક બેંક ડુબવાના આરે


  • Published By :
  • Published Date : 2023-04-30 15:45:22

અમેરિકામાં વધુ એક બેંક ડુબવાના આરે છે. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક બાદ હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પણ તેના અંતિમ શ્વાસો લઈ રહી છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને JPMorgan Chase & Co અને PNC ફાયનાન્સિયલ સર્વિસીસ ગ્રુપ ઇન્કને રવિવાર સુધીમાં તેમની અંતિમ બિડ સબમિટ કરવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 97% ઘટાડો થયો છે. FDIC એ શુક્રવારે આગળની પ્રક્રિયા માટે બે મોટી બેંકોની પસંદગી કરી હતી. એટલે કે ફરી એકવાર શુક્રવારનો દિવસ બેંકરો માટે ભારે પડી રહ્યો છે.


તમામ બેંકો શુક્રવારે જ ડુબ્યા 


તાજેતરમાં, 10 માર્ચે, અમેરિકાની સિલિકોન વેલી બેંકને નિયમનકારો દ્વારા કબજે કરવામાં આવી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો. અમેરિકાના ઈતિહાસમાં આ બીજા નંબરની સૌથી મોટી ડુબનારી બેંક પતન છે. એ જ રીતે, 10 માર્ચે જ સિગ્નેચર બેંકમાંથી 10 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા હતા, એ દિવસે શુક્રવાર હતો. બે દિવસ પછી, યુએસ રેગ્યુલેટર્સે તેને પોતાના કબજામાં લઈ લીધું. ક્રેડિટ સુઈસને ડૂબવાથી બચાવવા માટે UBS એ માર્ચ 17, 2023 ના રોજ બિડ કરી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.