અમેરિકામાં બેંકિંગ સેક્ટર આર્થિક ભીંસમાં આવ્યું, દેશની વધુ એક બેંક ડુબવાના આરે


  • Published By :
  • Published Date : 2023-04-30 15:45:22

અમેરિકામાં વધુ એક બેંક ડુબવાના આરે છે. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક બાદ હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પણ તેના અંતિમ શ્વાસો લઈ રહી છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને JPMorgan Chase & Co અને PNC ફાયનાન્સિયલ સર્વિસીસ ગ્રુપ ઇન્કને રવિવાર સુધીમાં તેમની અંતિમ બિડ સબમિટ કરવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 97% ઘટાડો થયો છે. FDIC એ શુક્રવારે આગળની પ્રક્રિયા માટે બે મોટી બેંકોની પસંદગી કરી હતી. એટલે કે ફરી એકવાર શુક્રવારનો દિવસ બેંકરો માટે ભારે પડી રહ્યો છે.


તમામ બેંકો શુક્રવારે જ ડુબ્યા 


તાજેતરમાં, 10 માર્ચે, અમેરિકાની સિલિકોન વેલી બેંકને નિયમનકારો દ્વારા કબજે કરવામાં આવી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો. અમેરિકાના ઈતિહાસમાં આ બીજા નંબરની સૌથી મોટી ડુબનારી બેંક પતન છે. એ જ રીતે, 10 માર્ચે જ સિગ્નેચર બેંકમાંથી 10 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા હતા, એ દિવસે શુક્રવાર હતો. બે દિવસ પછી, યુએસ રેગ્યુલેટર્સે તેને પોતાના કબજામાં લઈ લીધું. ક્રેડિટ સુઈસને ડૂબવાથી બચાવવા માટે UBS એ માર્ચ 17, 2023 ના રોજ બિડ કરી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?