અમેરિકામાં બેંકિંગ સેક્ટર આર્થિક ભીંસમાં આવ્યું, દેશની વધુ એક બેંક ડુબવાના આરે


  • Published By :
  • Published Date : 2023-04-30 15:45:22

અમેરિકામાં વધુ એક બેંક ડુબવાના આરે છે. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક બાદ હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પણ તેના અંતિમ શ્વાસો લઈ રહી છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને JPMorgan Chase & Co અને PNC ફાયનાન્સિયલ સર્વિસીસ ગ્રુપ ઇન્કને રવિવાર સુધીમાં તેમની અંતિમ બિડ સબમિટ કરવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 97% ઘટાડો થયો છે. FDIC એ શુક્રવારે આગળની પ્રક્રિયા માટે બે મોટી બેંકોની પસંદગી કરી હતી. એટલે કે ફરી એકવાર શુક્રવારનો દિવસ બેંકરો માટે ભારે પડી રહ્યો છે.


તમામ બેંકો શુક્રવારે જ ડુબ્યા 


તાજેતરમાં, 10 માર્ચે, અમેરિકાની સિલિકોન વેલી બેંકને નિયમનકારો દ્વારા કબજે કરવામાં આવી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો. અમેરિકાના ઈતિહાસમાં આ બીજા નંબરની સૌથી મોટી ડુબનારી બેંક પતન છે. એ જ રીતે, 10 માર્ચે જ સિગ્નેચર બેંકમાંથી 10 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા હતા, એ દિવસે શુક્રવાર હતો. બે દિવસ પછી, યુએસ રેગ્યુલેટર્સે તેને પોતાના કબજામાં લઈ લીધું. ક્રેડિટ સુઈસને ડૂબવાથી બચાવવા માટે UBS એ માર્ચ 17, 2023 ના રોજ બિડ કરી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.