યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનું ફિનાલે મુંબઈમાં યોજાયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 15:01:26

આધુનિક યુગમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઈસનું હૃદય એવા સેમિકન્ડક્ટરની માંગ ખુબ જ જોરદાર રીતે વધી રહી છે. ત્યારે ભારત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાછળ રહેવા માટે તૈયાર નથી . ભારત અને અમેરિકા વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહકાર વધારે મજબૂત થઈ શકે તે માટે મુંબઈમાં યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી . જેનું આયોજન યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો.  સાથે સહયોગથી જીઓ વર્લ્ડ કન્વેનશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું . 

આ રાઉન્ડટેબલ સિરીઝની શરૂઆત ૧૫મી જાન્યુઆરીના રોજ મુંબઈથી થઈ હતી તે પછી તેના અન્ય ત્રણ સેશન અનુક્રમે નાગપુર , પુણે અને અમદાવાદમાં યોજાયા હતા. હવે મુંબઈ ખાતે તેના ફિનાલે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું . સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી , તેમાં ટ્રસ્ટ ઇનિશિએટિવને લાગુ કરવા માટે ચર્ચા હાથ ધરાઈ હતી . આ એજ ટ્રસ્ટ ઇનિશિએટિવ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું . તેનું ફુલ ફોર્મ થાય છે , ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યૂટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેક્નોલોજી. 

આ યુએસ - ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝમાં કોન્ઝ્યુલ જનરલ માઈક હાંકી અને જેરડ મોંડશેન હાજર રહ્યા હતા. માઈક હાંકીએ ક્રાયક્રમને સંબોધન કરતા કહ્યું છે કે , " સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ગ્લોબલ ઇનોવેશનના મધ્યમાં છે , ભારત અને તેમાં પણ પશ્ચિમી ભારત ખુબ જ નિર્ણાયક ભાગ ભજવવા જઈ રહ્યું છે. આ રાઉન્ડટેબલ સિરીઝના કારણે સરકાર , અકાદમી અને બિઝનેસ લીડર્સ વચ્ચે ખુબ જ મહત્વનો સંવાદ થયો છે . તેણે ભારત અને અમેરિકાનો સહયોગ વધારે મજબૂત કર્યો છે જે આર્થિક સંરક્ષણથી લઇને વૈશ્વિક સપ્લાય ચેનને વધારે મજબૂત કરે છે . અમે ટ્રસ્ટ ફ્રેમવર્કમાં અંતર્ગત આ સંવાદ કરીને ગર્વની લાગણી મેહસૂસ કરીએ છીએ. " 

જેરડ મોંડેશેને સંબોધન કરતા કહ્યું છે કે , " અમારી પેહલી પ્રાથમિકતા ટ્રસ્ટ ઇનિશિયેટીવને ઓપરેશનલાઈઝ કરવાની છે જેનાથી ભારત અને અમેરિકા વચ્ચે ઇમર્જિંગ ટેક્નોલોજી સેક્ટરમાં સહકાર વધી શકે. સહયોગ અને સંવાદ જે અહીં પશ્ચિમી ભારતમાં થયો છે તે બે દેશોના સલામત અને ઇનોવેટિવ ભવિષ્ય માટે ખુબ જરૂરી છે ." 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.