યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનું ફિનાલે મુંબઈમાં યોજાયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 15:01:26

આધુનિક યુગમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઈસનું હૃદય એવા સેમિકન્ડક્ટરની માંગ ખુબ જ જોરદાર રીતે વધી રહી છે. ત્યારે ભારત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાછળ રહેવા માટે તૈયાર નથી . ભારત અને અમેરિકા વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહકાર વધારે મજબૂત થઈ શકે તે માટે મુંબઈમાં યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી . જેનું આયોજન યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો.  સાથે સહયોગથી જીઓ વર્લ્ડ કન્વેનશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું . 

આ રાઉન્ડટેબલ સિરીઝની શરૂઆત ૧૫મી જાન્યુઆરીના રોજ મુંબઈથી થઈ હતી તે પછી તેના અન્ય ત્રણ સેશન અનુક્રમે નાગપુર , પુણે અને અમદાવાદમાં યોજાયા હતા. હવે મુંબઈ ખાતે તેના ફિનાલે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું . સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી , તેમાં ટ્રસ્ટ ઇનિશિએટિવને લાગુ કરવા માટે ચર્ચા હાથ ધરાઈ હતી . આ એજ ટ્રસ્ટ ઇનિશિએટિવ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું . તેનું ફુલ ફોર્મ થાય છે , ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યૂટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેક્નોલોજી. 

આ યુએસ - ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝમાં કોન્ઝ્યુલ જનરલ માઈક હાંકી અને જેરડ મોંડશેન હાજર રહ્યા હતા. માઈક હાંકીએ ક્રાયક્રમને સંબોધન કરતા કહ્યું છે કે , " સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ગ્લોબલ ઇનોવેશનના મધ્યમાં છે , ભારત અને તેમાં પણ પશ્ચિમી ભારત ખુબ જ નિર્ણાયક ભાગ ભજવવા જઈ રહ્યું છે. આ રાઉન્ડટેબલ સિરીઝના કારણે સરકાર , અકાદમી અને બિઝનેસ લીડર્સ વચ્ચે ખુબ જ મહત્વનો સંવાદ થયો છે . તેણે ભારત અને અમેરિકાનો સહયોગ વધારે મજબૂત કર્યો છે જે આર્થિક સંરક્ષણથી લઇને વૈશ્વિક સપ્લાય ચેનને વધારે મજબૂત કરે છે . અમે ટ્રસ્ટ ફ્રેમવર્કમાં અંતર્ગત આ સંવાદ કરીને ગર્વની લાગણી મેહસૂસ કરીએ છીએ. " 

જેરડ મોંડેશેને સંબોધન કરતા કહ્યું છે કે , " અમારી પેહલી પ્રાથમિકતા ટ્રસ્ટ ઇનિશિયેટીવને ઓપરેશનલાઈઝ કરવાની છે જેનાથી ભારત અને અમેરિકા વચ્ચે ઇમર્જિંગ ટેક્નોલોજી સેક્ટરમાં સહકાર વધી શકે. સહયોગ અને સંવાદ જે અહીં પશ્ચિમી ભારતમાં થયો છે તે બે દેશોના સલામત અને ઇનોવેટિવ ભવિષ્ય માટે ખુબ જરૂરી છે ." 




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.