યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનું ફિનાલે મુંબઈમાં યોજાયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 15:01:26

આધુનિક યુગમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઈસનું હૃદય એવા સેમિકન્ડક્ટરની માંગ ખુબ જ જોરદાર રીતે વધી રહી છે. ત્યારે ભારત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાછળ રહેવા માટે તૈયાર નથી . ભારત અને અમેરિકા વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહકાર વધારે મજબૂત થઈ શકે તે માટે મુંબઈમાં યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી . જેનું આયોજન યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો.  સાથે સહયોગથી જીઓ વર્લ્ડ કન્વેનશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું . 

આ રાઉન્ડટેબલ સિરીઝની શરૂઆત ૧૫મી જાન્યુઆરીના રોજ મુંબઈથી થઈ હતી તે પછી તેના અન્ય ત્રણ સેશન અનુક્રમે નાગપુર , પુણે અને અમદાવાદમાં યોજાયા હતા. હવે મુંબઈ ખાતે તેના ફિનાલે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું . સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી , તેમાં ટ્રસ્ટ ઇનિશિએટિવને લાગુ કરવા માટે ચર્ચા હાથ ધરાઈ હતી . આ એજ ટ્રસ્ટ ઇનિશિએટિવ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું . તેનું ફુલ ફોર્મ થાય છે , ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યૂટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેક્નોલોજી. 

આ યુએસ - ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝમાં કોન્ઝ્યુલ જનરલ માઈક હાંકી અને જેરડ મોંડશેન હાજર રહ્યા હતા. માઈક હાંકીએ ક્રાયક્રમને સંબોધન કરતા કહ્યું છે કે , " સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ગ્લોબલ ઇનોવેશનના મધ્યમાં છે , ભારત અને તેમાં પણ પશ્ચિમી ભારત ખુબ જ નિર્ણાયક ભાગ ભજવવા જઈ રહ્યું છે. આ રાઉન્ડટેબલ સિરીઝના કારણે સરકાર , અકાદમી અને બિઝનેસ લીડર્સ વચ્ચે ખુબ જ મહત્વનો સંવાદ થયો છે . તેણે ભારત અને અમેરિકાનો સહયોગ વધારે મજબૂત કર્યો છે જે આર્થિક સંરક્ષણથી લઇને વૈશ્વિક સપ્લાય ચેનને વધારે મજબૂત કરે છે . અમે ટ્રસ્ટ ફ્રેમવર્કમાં અંતર્ગત આ સંવાદ કરીને ગર્વની લાગણી મેહસૂસ કરીએ છીએ. " 

જેરડ મોંડેશેને સંબોધન કરતા કહ્યું છે કે , " અમારી પેહલી પ્રાથમિકતા ટ્રસ્ટ ઇનિશિયેટીવને ઓપરેશનલાઈઝ કરવાની છે જેનાથી ભારત અને અમેરિકા વચ્ચે ઇમર્જિંગ ટેક્નોલોજી સેક્ટરમાં સહકાર વધી શકે. સહયોગ અને સંવાદ જે અહીં પશ્ચિમી ભારતમાં થયો છે તે બે દેશોના સલામત અને ઇનોવેટિવ ભવિષ્ય માટે ખુબ જરૂરી છે ." 




વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.