યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનું ફિનાલે મુંબઈમાં યોજાયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 15:01:26

આધુનિક યુગમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઈસનું હૃદય એવા સેમિકન્ડક્ટરની માંગ ખુબ જ જોરદાર રીતે વધી રહી છે. ત્યારે ભારત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાછળ રહેવા માટે તૈયાર નથી . ભારત અને અમેરિકા વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહકાર વધારે મજબૂત થઈ શકે તે માટે મુંબઈમાં યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી . જેનું આયોજન યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો.  સાથે સહયોગથી જીઓ વર્લ્ડ કન્વેનશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું . 

આ રાઉન્ડટેબલ સિરીઝની શરૂઆત ૧૫મી જાન્યુઆરીના રોજ મુંબઈથી થઈ હતી તે પછી તેના અન્ય ત્રણ સેશન અનુક્રમે નાગપુર , પુણે અને અમદાવાદમાં યોજાયા હતા. હવે મુંબઈ ખાતે તેના ફિનાલે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું . સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી , તેમાં ટ્રસ્ટ ઇનિશિએટિવને લાગુ કરવા માટે ચર્ચા હાથ ધરાઈ હતી . આ એજ ટ્રસ્ટ ઇનિશિએટિવ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું . તેનું ફુલ ફોર્મ થાય છે , ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યૂટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેક્નોલોજી. 

આ યુએસ - ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝમાં કોન્ઝ્યુલ જનરલ માઈક હાંકી અને જેરડ મોંડશેન હાજર રહ્યા હતા. માઈક હાંકીએ ક્રાયક્રમને સંબોધન કરતા કહ્યું છે કે , " સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ગ્લોબલ ઇનોવેશનના મધ્યમાં છે , ભારત અને તેમાં પણ પશ્ચિમી ભારત ખુબ જ નિર્ણાયક ભાગ ભજવવા જઈ રહ્યું છે. આ રાઉન્ડટેબલ સિરીઝના કારણે સરકાર , અકાદમી અને બિઝનેસ લીડર્સ વચ્ચે ખુબ જ મહત્વનો સંવાદ થયો છે . તેણે ભારત અને અમેરિકાનો સહયોગ વધારે મજબૂત કર્યો છે જે આર્થિક સંરક્ષણથી લઇને વૈશ્વિક સપ્લાય ચેનને વધારે મજબૂત કરે છે . અમે ટ્રસ્ટ ફ્રેમવર્કમાં અંતર્ગત આ સંવાદ કરીને ગર્વની લાગણી મેહસૂસ કરીએ છીએ. " 

જેરડ મોંડેશેને સંબોધન કરતા કહ્યું છે કે , " અમારી પેહલી પ્રાથમિકતા ટ્રસ્ટ ઇનિશિયેટીવને ઓપરેશનલાઈઝ કરવાની છે જેનાથી ભારત અને અમેરિકા વચ્ચે ઇમર્જિંગ ટેક્નોલોજી સેક્ટરમાં સહકાર વધી શકે. સહયોગ અને સંવાદ જે અહીં પશ્ચિમી ભારતમાં થયો છે તે બે દેશોના સલામત અને ઇનોવેટિવ ભવિષ્ય માટે ખુબ જરૂરી છે ." 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.