સુપર પાવર અમેરિકા નાદારીના આરે, દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જ જમા રકમ


  • Published By :
  • Published Date : 2023-05-24 15:24:04

અમેરિકામાં ડેટ સીલિંગનું સંકટ સતત ઘેરાતુ જાય છે. જો આ સમસ્યાનું સમાધાન લાવવામાં નહીં આવે તો દેશ તેના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ડિફોલ્ટ જાહેર થઈ શકે છે. દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જેટલું જ રોકડ નાણું બચ્યું છે.અમેરિકાને દરરોજ 1.3 અબજ ડોલર વ્યાજ પેટે ચૂંકવવું પડી રહ્યું છે. દેશમાં આ સંકટની અસર હવે જોવા મળી રહી છે. મંગળવારે શેરબજારમાં પણ કડાકો બોલાયો હતો અને ચાર કલાકમાં 400 અબજ ડોલર સ્વાહા થઈ ગયા. અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેને પણ ચેતવણી આપી છે કે જો આ સંકટનું સમાધાન શોધવામાં નહીં આવે તો 1 જૂનના રોજ દેશ નાદાર થઈ જશે.


કઈ રીતે સર્જાયું આ સંકટ?


અમેરિકા દુનિયાભરના રોકાણકારોનું પ્રિય દેશ રહ્યો છે. વિશ્વના રોકાણકારો દ્વારા અમેરિકાને સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આજ કારણે રોકાણકારો અમેરિકાના શેર બજારમાં અને બોન્ડમાં રોકાણ કરતા રહે છે. હવે જો અમેરિકા દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે તો તમામ આઉટસ્ટેન્ડિંગ સીરીઝ ઓફ બોન્ડ્સ પર વિપરીત અસર પડશે. તેમાં ગ્લોબલ કેપિટલ માર્કેટસમાં લોન્ચ કરાયેલા બોન્ડ્સ, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ક્રેડિંટ કોમર્શિયલ બેંકો અને ઈન્સ્ટીટ્યુટ લેન્ડર્સની સાથે થયેલા ફોરેન કરેન્સી ડિમોમિનેટેડ લોન એગ્રિમેન્ટનો પણ સમાવેશ થાય છે. 


ડેટ લિમિટ શું છે?


ડેટ લિમિટ તે મર્યાદા હોય છે જ્યાં સુધી ફેડરલ ગવર્નમેન્ટ ઉધાર લઈ શકે છે. વર્ષ 1960થી આ લિમિટને 78 વખત વધારવામાં આવી ચૂકી છે. છેલ્લે ડિસેમ્બર 2021માં તે વધારીને 31.4 ટ્રિલિયન ડોલર કરવામાં આવ્યું છે. પરતું ગવે તે મર્યાદાને વટાવી ચુકી છે. બ્હાઈટ હાઉસ કાઉન્સિલ ઓફ ઈકોનોમિક એડવાઈઝર્સના એક બ્લોગ પોસ્ટના જણાવ્યા મુજબ ડેટ સીલિંગને વધારવામાં નહીં આવ તો પ્રલય આવી જશે, અમેરિકાની શાખને મોટું નુકસાન થશે, અર્થતંત્રને ફટકો પડતા લાખો લોકો બેરોજગાર થઈ જશે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.