સુપર પાવર અમેરિકા નાદારીના આરે, દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જ જમા રકમ


  • Published By :
  • Published Date : 2023-05-24 15:24:04

અમેરિકામાં ડેટ સીલિંગનું સંકટ સતત ઘેરાતુ જાય છે. જો આ સમસ્યાનું સમાધાન લાવવામાં નહીં આવે તો દેશ તેના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ડિફોલ્ટ જાહેર થઈ શકે છે. દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જેટલું જ રોકડ નાણું બચ્યું છે.અમેરિકાને દરરોજ 1.3 અબજ ડોલર વ્યાજ પેટે ચૂંકવવું પડી રહ્યું છે. દેશમાં આ સંકટની અસર હવે જોવા મળી રહી છે. મંગળવારે શેરબજારમાં પણ કડાકો બોલાયો હતો અને ચાર કલાકમાં 400 અબજ ડોલર સ્વાહા થઈ ગયા. અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેને પણ ચેતવણી આપી છે કે જો આ સંકટનું સમાધાન શોધવામાં નહીં આવે તો 1 જૂનના રોજ દેશ નાદાર થઈ જશે.


કઈ રીતે સર્જાયું આ સંકટ?


અમેરિકા દુનિયાભરના રોકાણકારોનું પ્રિય દેશ રહ્યો છે. વિશ્વના રોકાણકારો દ્વારા અમેરિકાને સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આજ કારણે રોકાણકારો અમેરિકાના શેર બજારમાં અને બોન્ડમાં રોકાણ કરતા રહે છે. હવે જો અમેરિકા દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે તો તમામ આઉટસ્ટેન્ડિંગ સીરીઝ ઓફ બોન્ડ્સ પર વિપરીત અસર પડશે. તેમાં ગ્લોબલ કેપિટલ માર્કેટસમાં લોન્ચ કરાયેલા બોન્ડ્સ, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ક્રેડિંટ કોમર્શિયલ બેંકો અને ઈન્સ્ટીટ્યુટ લેન્ડર્સની સાથે થયેલા ફોરેન કરેન્સી ડિમોમિનેટેડ લોન એગ્રિમેન્ટનો પણ સમાવેશ થાય છે. 


ડેટ લિમિટ શું છે?


ડેટ લિમિટ તે મર્યાદા હોય છે જ્યાં સુધી ફેડરલ ગવર્નમેન્ટ ઉધાર લઈ શકે છે. વર્ષ 1960થી આ લિમિટને 78 વખત વધારવામાં આવી ચૂકી છે. છેલ્લે ડિસેમ્બર 2021માં તે વધારીને 31.4 ટ્રિલિયન ડોલર કરવામાં આવ્યું છે. પરતું ગવે તે મર્યાદાને વટાવી ચુકી છે. બ્હાઈટ હાઉસ કાઉન્સિલ ઓફ ઈકોનોમિક એડવાઈઝર્સના એક બ્લોગ પોસ્ટના જણાવ્યા મુજબ ડેટ સીલિંગને વધારવામાં નહીં આવ તો પ્રલય આવી જશે, અમેરિકાની શાખને મોટું નુકસાન થશે, અર્થતંત્રને ફટકો પડતા લાખો લોકો બેરોજગાર થઈ જશે. 



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો