સુપર પાવર અમેરિકા નાદારીના આરે, દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જ જમા રકમ


  • Published By :
  • Published Date : 2023-05-24 15:24:04

અમેરિકામાં ડેટ સીલિંગનું સંકટ સતત ઘેરાતુ જાય છે. જો આ સમસ્યાનું સમાધાન લાવવામાં નહીં આવે તો દેશ તેના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ડિફોલ્ટ જાહેર થઈ શકે છે. દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જેટલું જ રોકડ નાણું બચ્યું છે.અમેરિકાને દરરોજ 1.3 અબજ ડોલર વ્યાજ પેટે ચૂંકવવું પડી રહ્યું છે. દેશમાં આ સંકટની અસર હવે જોવા મળી રહી છે. મંગળવારે શેરબજારમાં પણ કડાકો બોલાયો હતો અને ચાર કલાકમાં 400 અબજ ડોલર સ્વાહા થઈ ગયા. અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેને પણ ચેતવણી આપી છે કે જો આ સંકટનું સમાધાન શોધવામાં નહીં આવે તો 1 જૂનના રોજ દેશ નાદાર થઈ જશે.


કઈ રીતે સર્જાયું આ સંકટ?


અમેરિકા દુનિયાભરના રોકાણકારોનું પ્રિય દેશ રહ્યો છે. વિશ્વના રોકાણકારો દ્વારા અમેરિકાને સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આજ કારણે રોકાણકારો અમેરિકાના શેર બજારમાં અને બોન્ડમાં રોકાણ કરતા રહે છે. હવે જો અમેરિકા દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે તો તમામ આઉટસ્ટેન્ડિંગ સીરીઝ ઓફ બોન્ડ્સ પર વિપરીત અસર પડશે. તેમાં ગ્લોબલ કેપિટલ માર્કેટસમાં લોન્ચ કરાયેલા બોન્ડ્સ, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ક્રેડિંટ કોમર્શિયલ બેંકો અને ઈન્સ્ટીટ્યુટ લેન્ડર્સની સાથે થયેલા ફોરેન કરેન્સી ડિમોમિનેટેડ લોન એગ્રિમેન્ટનો પણ સમાવેશ થાય છે. 


ડેટ લિમિટ શું છે?


ડેટ લિમિટ તે મર્યાદા હોય છે જ્યાં સુધી ફેડરલ ગવર્નમેન્ટ ઉધાર લઈ શકે છે. વર્ષ 1960થી આ લિમિટને 78 વખત વધારવામાં આવી ચૂકી છે. છેલ્લે ડિસેમ્બર 2021માં તે વધારીને 31.4 ટ્રિલિયન ડોલર કરવામાં આવ્યું છે. પરતું ગવે તે મર્યાદાને વટાવી ચુકી છે. બ્હાઈટ હાઉસ કાઉન્સિલ ઓફ ઈકોનોમિક એડવાઈઝર્સના એક બ્લોગ પોસ્ટના જણાવ્યા મુજબ ડેટ સીલિંગને વધારવામાં નહીં આવ તો પ્રલય આવી જશે, અમેરિકાની શાખને મોટું નુકસાન થશે, અર્થતંત્રને ફટકો પડતા લાખો લોકો બેરોજગાર થઈ જશે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.