સુપર પાવર અમેરિકા નાદારીના આરે, દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જ જમા રકમ


  • Published By :
  • Published Date : 2023-05-24 15:24:04

અમેરિકામાં ડેટ સીલિંગનું સંકટ સતત ઘેરાતુ જાય છે. જો આ સમસ્યાનું સમાધાન લાવવામાં નહીં આવે તો દેશ તેના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ડિફોલ્ટ જાહેર થઈ શકે છે. દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જેટલું જ રોકડ નાણું બચ્યું છે.અમેરિકાને દરરોજ 1.3 અબજ ડોલર વ્યાજ પેટે ચૂંકવવું પડી રહ્યું છે. દેશમાં આ સંકટની અસર હવે જોવા મળી રહી છે. મંગળવારે શેરબજારમાં પણ કડાકો બોલાયો હતો અને ચાર કલાકમાં 400 અબજ ડોલર સ્વાહા થઈ ગયા. અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેને પણ ચેતવણી આપી છે કે જો આ સંકટનું સમાધાન શોધવામાં નહીં આવે તો 1 જૂનના રોજ દેશ નાદાર થઈ જશે.


કઈ રીતે સર્જાયું આ સંકટ?


અમેરિકા દુનિયાભરના રોકાણકારોનું પ્રિય દેશ રહ્યો છે. વિશ્વના રોકાણકારો દ્વારા અમેરિકાને સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આજ કારણે રોકાણકારો અમેરિકાના શેર બજારમાં અને બોન્ડમાં રોકાણ કરતા રહે છે. હવે જો અમેરિકા દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે તો તમામ આઉટસ્ટેન્ડિંગ સીરીઝ ઓફ બોન્ડ્સ પર વિપરીત અસર પડશે. તેમાં ગ્લોબલ કેપિટલ માર્કેટસમાં લોન્ચ કરાયેલા બોન્ડ્સ, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ક્રેડિંટ કોમર્શિયલ બેંકો અને ઈન્સ્ટીટ્યુટ લેન્ડર્સની સાથે થયેલા ફોરેન કરેન્સી ડિમોમિનેટેડ લોન એગ્રિમેન્ટનો પણ સમાવેશ થાય છે. 


ડેટ લિમિટ શું છે?


ડેટ લિમિટ તે મર્યાદા હોય છે જ્યાં સુધી ફેડરલ ગવર્નમેન્ટ ઉધાર લઈ શકે છે. વર્ષ 1960થી આ લિમિટને 78 વખત વધારવામાં આવી ચૂકી છે. છેલ્લે ડિસેમ્બર 2021માં તે વધારીને 31.4 ટ્રિલિયન ડોલર કરવામાં આવ્યું છે. પરતું ગવે તે મર્યાદાને વટાવી ચુકી છે. બ્હાઈટ હાઉસ કાઉન્સિલ ઓફ ઈકોનોમિક એડવાઈઝર્સના એક બ્લોગ પોસ્ટના જણાવ્યા મુજબ ડેટ સીલિંગને વધારવામાં નહીં આવ તો પ્રલય આવી જશે, અમેરિકાની શાખને મોટું નુકસાન થશે, અર્થતંત્રને ફટકો પડતા લાખો લોકો બેરોજગાર થઈ જશે. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?