અમેરિકામાં ટેકનિકલ ખરાબીના કારણે તમામ ફ્લાઈટ જમીન પર, એરપોર્ટ પર અંધાધુંધી


  • Published By :
  • Published Date : 2023-01-11 18:25:26

અમેરિકામાં તમામ ફ્લાઈટસને એક ટેકનિકલ ખરાબીના કારણે ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. ખરાબ થયેલી સિસ્ટમ ઉડાન દરમિયાન પાયલોટોને જોખમો કે એરપોર્ટની ફેસિલિટી સર્વિસીસ અને તેના સંબંધીત પ્રક્રિયાઓમાં કોઈ બદલાવને લઈ ચેતવણી આપી હતી. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે એવિયેશન સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ આ હુકમ કર્યો છે. આ હુકમ બાદ અમેરિકાના તમામ એરપોર્ટ પર પેસેન્જરોની ભીડના કારણે અફરાતફરી મચી હતી. FAAએ જણાવ્યું કે તેમની ટીમ NOTAMSમાં આવેલી ટેકનિકલ ખામીને દુર કરવાના પ્રયાસો કરી રહી છે. 


ઓથોરિટીએ જાહેર કરી NOTAM


FAAએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે આ ટેકનિકલ ખરાબી બાદ NOTAM (નોટિસ ટૂ એર મિશન) જાહેર કરવામાં આવી છે. NOTAM NOTAM એક ચેતવણી હોય છે. જેમાં એક નિશ્ચિત હવાઈ વિસ્તારમાં તમામ ઉડાનોને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. NOTAM ઘણી વખત મિસાઈલ કે બીજા હવાઈ ઉપકરણોના પરીક્ષણ દરમિયાન જાહેર કરવામાં આવે છે. જેમાં સામાન્ય વિમાન પરિચાલનને જોખમ ઉભું થવાની આશંકા જોવા મળે છે.


સિસ્ટમમાં સુધારા બાદ જ ફ્લાઈટને મંજુરી


ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટવેઅરે જણાવ્યું છે કે સવારે 5.31 વાગ્યાથી 400થી વધુ ફ્લાઈટ અમેરિકાની અંદર કે બહાર નિર્ધારીત સમયથી મોડી ચાલી રહી છે. FAAએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે તેમના ટેકનિશિયન વર્તમાનમાં સિસ્ટમ યથાવત કરવાનું કામ કરી રહ્યા છે. જો કે તેમાં કેટલો સમય લાગશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આ ખરાબીને દુર કરવામાં આવ્યા બાદ તમામ ફ્લાઈટને એક નિશ્ચિત ક્રમમાં બીજી વખત ઉડાન ભરવાની મંજુરી આપવામાં આવશે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.