અમેરિકામાં ટેકનિકલ ખરાબીના કારણે તમામ ફ્લાઈટ જમીન પર, એરપોર્ટ પર અંધાધુંધી


  • Published By :
  • Published Date : 2023-01-11 18:25:26

અમેરિકામાં તમામ ફ્લાઈટસને એક ટેકનિકલ ખરાબીના કારણે ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. ખરાબ થયેલી સિસ્ટમ ઉડાન દરમિયાન પાયલોટોને જોખમો કે એરપોર્ટની ફેસિલિટી સર્વિસીસ અને તેના સંબંધીત પ્રક્રિયાઓમાં કોઈ બદલાવને લઈ ચેતવણી આપી હતી. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે એવિયેશન સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ આ હુકમ કર્યો છે. આ હુકમ બાદ અમેરિકાના તમામ એરપોર્ટ પર પેસેન્જરોની ભીડના કારણે અફરાતફરી મચી હતી. FAAએ જણાવ્યું કે તેમની ટીમ NOTAMSમાં આવેલી ટેકનિકલ ખામીને દુર કરવાના પ્રયાસો કરી રહી છે. 


ઓથોરિટીએ જાહેર કરી NOTAM


FAAએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે આ ટેકનિકલ ખરાબી બાદ NOTAM (નોટિસ ટૂ એર મિશન) જાહેર કરવામાં આવી છે. NOTAM NOTAM એક ચેતવણી હોય છે. જેમાં એક નિશ્ચિત હવાઈ વિસ્તારમાં તમામ ઉડાનોને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. NOTAM ઘણી વખત મિસાઈલ કે બીજા હવાઈ ઉપકરણોના પરીક્ષણ દરમિયાન જાહેર કરવામાં આવે છે. જેમાં સામાન્ય વિમાન પરિચાલનને જોખમ ઉભું થવાની આશંકા જોવા મળે છે.


સિસ્ટમમાં સુધારા બાદ જ ફ્લાઈટને મંજુરી


ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટવેઅરે જણાવ્યું છે કે સવારે 5.31 વાગ્યાથી 400થી વધુ ફ્લાઈટ અમેરિકાની અંદર કે બહાર નિર્ધારીત સમયથી મોડી ચાલી રહી છે. FAAએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે તેમના ટેકનિશિયન વર્તમાનમાં સિસ્ટમ યથાવત કરવાનું કામ કરી રહ્યા છે. જો કે તેમાં કેટલો સમય લાગશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આ ખરાબીને દુર કરવામાં આવ્યા બાદ તમામ ફ્લાઈટને એક નિશ્ચિત ક્રમમાં બીજી વખત ઉડાન ભરવાની મંજુરી આપવામાં આવશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.