અમેરિકામાં ટેકનિકલ ખરાબીના કારણે તમામ ફ્લાઈટ જમીન પર, એરપોર્ટ પર અંધાધુંધી


  • Published By :
  • Published Date : 2023-01-11 18:25:26

અમેરિકામાં તમામ ફ્લાઈટસને એક ટેકનિકલ ખરાબીના કારણે ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. ખરાબ થયેલી સિસ્ટમ ઉડાન દરમિયાન પાયલોટોને જોખમો કે એરપોર્ટની ફેસિલિટી સર્વિસીસ અને તેના સંબંધીત પ્રક્રિયાઓમાં કોઈ બદલાવને લઈ ચેતવણી આપી હતી. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે એવિયેશન સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ આ હુકમ કર્યો છે. આ હુકમ બાદ અમેરિકાના તમામ એરપોર્ટ પર પેસેન્જરોની ભીડના કારણે અફરાતફરી મચી હતી. FAAએ જણાવ્યું કે તેમની ટીમ NOTAMSમાં આવેલી ટેકનિકલ ખામીને દુર કરવાના પ્રયાસો કરી રહી છે. 


ઓથોરિટીએ જાહેર કરી NOTAM


FAAએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે આ ટેકનિકલ ખરાબી બાદ NOTAM (નોટિસ ટૂ એર મિશન) જાહેર કરવામાં આવી છે. NOTAM NOTAM એક ચેતવણી હોય છે. જેમાં એક નિશ્ચિત હવાઈ વિસ્તારમાં તમામ ઉડાનોને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. NOTAM ઘણી વખત મિસાઈલ કે બીજા હવાઈ ઉપકરણોના પરીક્ષણ દરમિયાન જાહેર કરવામાં આવે છે. જેમાં સામાન્ય વિમાન પરિચાલનને જોખમ ઉભું થવાની આશંકા જોવા મળે છે.


સિસ્ટમમાં સુધારા બાદ જ ફ્લાઈટને મંજુરી


ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટવેઅરે જણાવ્યું છે કે સવારે 5.31 વાગ્યાથી 400થી વધુ ફ્લાઈટ અમેરિકાની અંદર કે બહાર નિર્ધારીત સમયથી મોડી ચાલી રહી છે. FAAએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે તેમના ટેકનિશિયન વર્તમાનમાં સિસ્ટમ યથાવત કરવાનું કામ કરી રહ્યા છે. જો કે તેમાં કેટલો સમય લાગશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આ ખરાબીને દુર કરવામાં આવ્યા બાદ તમામ ફ્લાઈટને એક નિશ્ચિત ક્રમમાં બીજી વખત ઉડાન ભરવાની મંજુરી આપવામાં આવશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .