અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, 22 વર્ષની ટોચે પહોંચ્યો વ્યાજ દર


  • Published By :
  • Published Date : 2023-07-27 15:39:55

અમેરિકામાં સતત વધી રહેલા ફુગાવાના કારણે દેશની ફેડરલ રિઝર્વ બેંક ઓફ અમેરિકાએ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે બે દિવસની નીતિ સમીક્ષા બેઠક બાદ બુધવારે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી. આ વધારા સાથે જ બેન્ચમાર્ક વ્યાજ દર 5.25% થી 5.50% ની રેન્જ પર પહોંચી ગયો છે. અમેરિકાની સેન્ટ્રલ બેંકે ફુગાવાને ટાંકીને વ્યાજ દરમાં વધારો કર્યો છે.  ફેડની છેલ્લી 12 મીટીંગમાં 11મી વખત વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ફેડ રિઝર્વે 17 મહિનામાં 11મી વખત દરમાં વધારો કર્યો છે. આ વખતના વ્યાજ દરમાં વધારાની સાથે જ વ્યાજ દર 22 વર્ષની ટોચે પહોંચી ગયા છે. અગાઉ જાન્યુઆરી 2001માં વ્યાજ દરો આ સ્તરે પહોંચી ગયા હતા. વ્યાજ દરમાં આ વધારા સાથે જ ફેડરલ રિઝર્વ બેંક ઓફ અમેરિકાએ કહ્યું છે કે વ્યાજ દરો હજુ વધુ વધી શકે છે.


હજુ પણ વ્યાજ દરમાં વધારાની શક્યતા


ફેડરલ રિઝર્વે તેના પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે વ્યાજ દરમાં હજુ વધારાની શક્યતા છે.  ફેડએ આ વર્ષે વ્યાજદરમાં વધુ વધારાનો સંકેત આપ્યો છે. ફેડરલ રિઝર્વ બેંકના ચીફ જેરોમ પોવેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જ્યાં સુધી મોંઘવારી નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી કેન્દ્રીય બેંક આવા પગલા લઈ શકે છે. તેમણે કહ્યું કે અમે આર્થિક નીતિમાં સુધારો કરવાનું ચાલુ રાખીશું ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે ફુગાવો 2 ટકાના અમારા લક્ષ્યાંક પર આવી ગયો છે. જો જરૂરી જણાશે તો, અમે હજુ વધુ કઠોર પગલા ભરવા માટે કરવા તૈયાર છીએ. આ પ્રક્રિયામાં આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.

 

લોન મોંઘી બની


ફુગાવાને અંકુશમાં લેવા માટે, ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. 18 મહિના પહેલા તે વ્યાજ દર લગભગ શૂન્ય હતો. વ્યાજદરમાં વધારાને કારણે હોમ લોન અને અન્ય પ્રકારની લોન લોકો માટે મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે લોનની માંગ ઓછી હોય છે અને લોકો બચત કરવાનું શરૂ કરે છે. તેનાથી અર્થવ્યવસ્થા ધીમી પડી જાય છે. પરંતુ અમેરિકાની અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને જોબ માર્કેટનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. નોકરીઓમાં ઘણો વધારો થયો છે તેની સાથે-સાથે જ લોકોનો પગાર પણ વધ્યો છે.



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.