અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, 22 વર્ષની ટોચે પહોંચ્યો વ્યાજ દર


  • Published By :
  • Published Date : 2023-07-27 15:39:55

અમેરિકામાં સતત વધી રહેલા ફુગાવાના કારણે દેશની ફેડરલ રિઝર્વ બેંક ઓફ અમેરિકાએ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે બે દિવસની નીતિ સમીક્ષા બેઠક બાદ બુધવારે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી. આ વધારા સાથે જ બેન્ચમાર્ક વ્યાજ દર 5.25% થી 5.50% ની રેન્જ પર પહોંચી ગયો છે. અમેરિકાની સેન્ટ્રલ બેંકે ફુગાવાને ટાંકીને વ્યાજ દરમાં વધારો કર્યો છે.  ફેડની છેલ્લી 12 મીટીંગમાં 11મી વખત વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ફેડ રિઝર્વે 17 મહિનામાં 11મી વખત દરમાં વધારો કર્યો છે. આ વખતના વ્યાજ દરમાં વધારાની સાથે જ વ્યાજ દર 22 વર્ષની ટોચે પહોંચી ગયા છે. અગાઉ જાન્યુઆરી 2001માં વ્યાજ દરો આ સ્તરે પહોંચી ગયા હતા. વ્યાજ દરમાં આ વધારા સાથે જ ફેડરલ રિઝર્વ બેંક ઓફ અમેરિકાએ કહ્યું છે કે વ્યાજ દરો હજુ વધુ વધી શકે છે.


હજુ પણ વ્યાજ દરમાં વધારાની શક્યતા


ફેડરલ રિઝર્વે તેના પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે વ્યાજ દરમાં હજુ વધારાની શક્યતા છે.  ફેડએ આ વર્ષે વ્યાજદરમાં વધુ વધારાનો સંકેત આપ્યો છે. ફેડરલ રિઝર્વ બેંકના ચીફ જેરોમ પોવેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જ્યાં સુધી મોંઘવારી નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી કેન્દ્રીય બેંક આવા પગલા લઈ શકે છે. તેમણે કહ્યું કે અમે આર્થિક નીતિમાં સુધારો કરવાનું ચાલુ રાખીશું ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે ફુગાવો 2 ટકાના અમારા લક્ષ્યાંક પર આવી ગયો છે. જો જરૂરી જણાશે તો, અમે હજુ વધુ કઠોર પગલા ભરવા માટે કરવા તૈયાર છીએ. આ પ્રક્રિયામાં આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.

 

લોન મોંઘી બની


ફુગાવાને અંકુશમાં લેવા માટે, ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. 18 મહિના પહેલા તે વ્યાજ દર લગભગ શૂન્ય હતો. વ્યાજદરમાં વધારાને કારણે હોમ લોન અને અન્ય પ્રકારની લોન લોકો માટે મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે લોનની માંગ ઓછી હોય છે અને લોકો બચત કરવાનું શરૂ કરે છે. તેનાથી અર્થવ્યવસ્થા ધીમી પડી જાય છે. પરંતુ અમેરિકાની અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને જોબ માર્કેટનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. નોકરીઓમાં ઘણો વધારો થયો છે તેની સાથે-સાથે જ લોકોનો પગાર પણ વધ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.