ચીનની પોલ ખુલી, અમેરિકાએ ચાઈનીઝ બલુન અંગે કર્યો આ મોટો ખુલાસો, ડ્રેગનની ચિંતા વધી


  • Published By :
  • Published Date : 2023-02-14 14:44:13

અમેરિકામાં ચાઈનીઝ બલુન અને યુએફઓ તોડી પાડવામાં આવ્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે ચીને આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી ભારતથી ગલ્ફ દેશોમાં જાસૂસી કરી છે. હવે ચીનના આ જાસૂસી ફુગ્ગાઓનો સૌથી મહત્વપૂર્ણ કાટમાળ અમેરિકાના હાથમાં મળ્યો છે જે ડ્રેગનની પોલ ખોલી શકે છે. 


ચીન કરી રહ્યું હતું જાસુસી


અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોને કહ્યું કે સેનાને હાઈ-એલ્ટિટ્યૂડ સ્પાય બલૂનના મુખ્ય સેન્સર મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની મદદથી છેલ્લા ઘણા સમયથી ગુપ્તચર દેખરેખ કરવામાં આવી રહી હતી. ચીન છેલ્લા ઘણા સમયથી આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી આખી દુનિયા પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે આ જાસૂસી બલૂન ભારત, જાપાન, ગલ્ફ દેશો અને લેટિન અમેરિકન દેશો ઉપર ઉડી ચૂક્યું છે. 


અમેરિકાની એરફોર્સે તોડી પાડ્યું હતું


અમેરિકાની એરફોર્સે 10 દિવસ પહેલા જ  સાઉથ કેરોલિનાના કિનારે ફાઈટર જેટની મદદથી ચીનના આ જાસૂસી બલૂનને હવામાં તોડી પાડ્યું હતું. યુએસ આર્મીના નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે, ક્રૂએ ઘટનાસ્થળેથી નોંધપાત્ર કાટમાળ મેળવ્યો છે. તેમાં તમામ મુખ્ય સેન્સર અને ઈલેક્ટ્રોનિક પીસ પણ સામેલ છે. આ ચાઈનીઝ બલૂનને પહેલીવાર 4 ફેબ્રુઆરીએ નીચે ઉતારવામાં આવ્યું હતું. આ પહેલી રહસ્યમય વસ્તુ હતી જેને અમેરિકી સેના દ્વારા મિસાઈલમાંથી છોડવામાં આવી હતી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે પણ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અજાણી વસ્તુઓને મારવાના પગલાનો બચાવ કર્યો છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .