ચીનની પોલ ખુલી, અમેરિકાએ ચાઈનીઝ બલુન અંગે કર્યો આ મોટો ખુલાસો, ડ્રેગનની ચિંતા વધી


  • Published By :
  • Published Date : 2023-02-14 14:44:13

અમેરિકામાં ચાઈનીઝ બલુન અને યુએફઓ તોડી પાડવામાં આવ્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે ચીને આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી ભારતથી ગલ્ફ દેશોમાં જાસૂસી કરી છે. હવે ચીનના આ જાસૂસી ફુગ્ગાઓનો સૌથી મહત્વપૂર્ણ કાટમાળ અમેરિકાના હાથમાં મળ્યો છે જે ડ્રેગનની પોલ ખોલી શકે છે. 


ચીન કરી રહ્યું હતું જાસુસી


અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોને કહ્યું કે સેનાને હાઈ-એલ્ટિટ્યૂડ સ્પાય બલૂનના મુખ્ય સેન્સર મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની મદદથી છેલ્લા ઘણા સમયથી ગુપ્તચર દેખરેખ કરવામાં આવી રહી હતી. ચીન છેલ્લા ઘણા સમયથી આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી આખી દુનિયા પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે આ જાસૂસી બલૂન ભારત, જાપાન, ગલ્ફ દેશો અને લેટિન અમેરિકન દેશો ઉપર ઉડી ચૂક્યું છે. 


અમેરિકાની એરફોર્સે તોડી પાડ્યું હતું


અમેરિકાની એરફોર્સે 10 દિવસ પહેલા જ  સાઉથ કેરોલિનાના કિનારે ફાઈટર જેટની મદદથી ચીનના આ જાસૂસી બલૂનને હવામાં તોડી પાડ્યું હતું. યુએસ આર્મીના નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે, ક્રૂએ ઘટનાસ્થળેથી નોંધપાત્ર કાટમાળ મેળવ્યો છે. તેમાં તમામ મુખ્ય સેન્સર અને ઈલેક્ટ્રોનિક પીસ પણ સામેલ છે. આ ચાઈનીઝ બલૂનને પહેલીવાર 4 ફેબ્રુઆરીએ નીચે ઉતારવામાં આવ્યું હતું. આ પહેલી રહસ્યમય વસ્તુ હતી જેને અમેરિકી સેના દ્વારા મિસાઈલમાંથી છોડવામાં આવી હતી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે પણ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અજાણી વસ્તુઓને મારવાના પગલાનો બચાવ કર્યો છે. 



ગુજરાતમાં 7મેના રોજ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોના નામની યાદી જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નામોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજને પરષોત્તમ રૂપાલાએ અપીલ કરી છે.

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ શરૂ થયેલો વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક ઉમેદવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.. કિરીટ પટેલે રાજા અને રાણીને લઈ નિવેદન આપ્યું છે.. વીડિયો વાયરલ થયા બાદ તેમણે માફી પણ માગી છે..

ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હવામાનમાં વધારે ફેરફાર નહીં થાય પરંતુ તે બાદ ગરમી વધવાની શક્યતા રહેલી છે. એપ્રિલના અંતમાં તાપમાનનો પારો વધી શકે છે.