"ટ્રેડ ડીલ" પર ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી આવી સામે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-02 17:17:09

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે.  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે . 

Resist any agreement shaped by threats…': After US court strikes down  Donald Trump's tariffs, GTRI says India should proceed with caution on  trade deal - Times of India

વૈશ્વિકીકરણના આ જમાનામાં કોઈ પણ બે દેશો વચ્ચે વ્યાપાર એ દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્ય કરોડરજ્જુ સમાન છે. વાત કરીએ , અમેરિકાની તો , એપ્રિલની બીજી તારીખના રોજ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો તેનાથી , સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ખુબ મોટી ઉથલપાથલ મચી ગઈ હતી . પરંતુ તેના થોડાક દિવસો પછી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરે છે. મોટા ભાગના દેશોને જુલાઈની ૯ મી તારીખ સુધીનો સમય અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરાર કરવા માટેનો આપે છે . તો ભારતનું વ્યાપારી પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. બેઉ દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાટાઘાટો ચાલુ છે . તો હવે ફરીએકવાર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત સાથે ટ્રેડ ડીલને લઇને એર ફોર્સ વનના વિમાનમાં પત્રકારોને એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે , " મને લાગે છે કે  ભારત સાથે અમારે ડીલ થવા જઈ રહી છે. આ એક અલગ પ્રકારની ડીલ હશે . આ ડીલ એવા પ્રકારની હશે જેમાં અમે ભારતના માર્કેટમાં પ્રવેશ કરીશું  અને કોમ્પીટ કરીશું. જોકે હાલમાં ભારતને સ્વીકાર્ય હોય તેવું લાગી રહ્યું નથી . પરંતુ તે જલ્દીથી સ્વીકારી લેશે ." 

It'll come back to haunt you: S Jaishankar warns West over Pak-backed  terror - India Today

રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં જે ભારતનું પ્રતિનિધિમંડળ છે તેણે અમેરિકામાં પોતાનું રોકાણ વધાર્યું છે. કેમ કે  , ભારત અને અમેરિકા બેઉ દેશોનો પ્રયાસ છે કે , ૯મી જુલાઈની ડેડલાઈન પેહલા આ વ્યાપારી કરારો સંપન્ન થાય . જો ભારત અને અમેરિકા વચ્ચે કોઈ પણ ડીલ નક્કી નથી થતી તો , હાલમાં ભારતની અમેરિકામાં થતી નિકાસો પર લાગે છે , ૧૦ ટકા ટેરિફ અને આ પછી ટેરિફ સીધો વધીને થઈ જશે , ૨૭ ટકા . તો હવે આ તરફ વિદેશમંત્રી એસ. જયશંકર પણ ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા હતા જ્યાં તેમણે ખાનગી સમાચાર સંસ્થા ન્યુઝવિકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , " બેઉ દેશો મધ્યમાં છે . મધ્ય કરતા વધારે નજીક છે . ટ્રેડ ડીલને લઇને. મને આશા છે કે , બેઉ દેશો વચ્ચે સફળતાપૂર્વક આ સંવાદ પૂર્ણ થશે."    ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં કાંટો કૃષિ ક્ષેત્રને લઇને ફસાયેલો છે. અમેરિકાને આશા છે કે , ભારત તેનું કૃષી ક્ષેત્ર અમેરિકન કંપનીઓ માટે ખોલશે. અમેરિકા ચાહે છે કે , ભારતમાં તેની કંપનીઓના જિનેટિકલી મોડીફાઇડ GM પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બને સાથેજ ઓટોમોબાઇલ અને વ્હિસ્કીના સેક્ટરમાં પણ અમેરિકન કંપનીઓને એક્સેસ પ્રાપ્ત થાય . 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.