"ટ્રેડ ડીલ" પર ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી આવી સામે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-02 17:17:09

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે.  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે . 

Resist any agreement shaped by threats…': After US court strikes down  Donald Trump's tariffs, GTRI says India should proceed with caution on  trade deal - Times of India

વૈશ્વિકીકરણના આ જમાનામાં કોઈ પણ બે દેશો વચ્ચે વ્યાપાર એ દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્ય કરોડરજ્જુ સમાન છે. વાત કરીએ , અમેરિકાની તો , એપ્રિલની બીજી તારીખના રોજ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો તેનાથી , સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ખુબ મોટી ઉથલપાથલ મચી ગઈ હતી . પરંતુ તેના થોડાક દિવસો પછી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરે છે. મોટા ભાગના દેશોને જુલાઈની ૯ મી તારીખ સુધીનો સમય અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરાર કરવા માટેનો આપે છે . તો ભારતનું વ્યાપારી પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. બેઉ દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાટાઘાટો ચાલુ છે . તો હવે ફરીએકવાર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત સાથે ટ્રેડ ડીલને લઇને એર ફોર્સ વનના વિમાનમાં પત્રકારોને એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે , " મને લાગે છે કે  ભારત સાથે અમારે ડીલ થવા જઈ રહી છે. આ એક અલગ પ્રકારની ડીલ હશે . આ ડીલ એવા પ્રકારની હશે જેમાં અમે ભારતના માર્કેટમાં પ્રવેશ કરીશું  અને કોમ્પીટ કરીશું. જોકે હાલમાં ભારતને સ્વીકાર્ય હોય તેવું લાગી રહ્યું નથી . પરંતુ તે જલ્દીથી સ્વીકારી લેશે ." 

It'll come back to haunt you: S Jaishankar warns West over Pak-backed  terror - India Today

રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં જે ભારતનું પ્રતિનિધિમંડળ છે તેણે અમેરિકામાં પોતાનું રોકાણ વધાર્યું છે. કેમ કે  , ભારત અને અમેરિકા બેઉ દેશોનો પ્રયાસ છે કે , ૯મી જુલાઈની ડેડલાઈન પેહલા આ વ્યાપારી કરારો સંપન્ન થાય . જો ભારત અને અમેરિકા વચ્ચે કોઈ પણ ડીલ નક્કી નથી થતી તો , હાલમાં ભારતની અમેરિકામાં થતી નિકાસો પર લાગે છે , ૧૦ ટકા ટેરિફ અને આ પછી ટેરિફ સીધો વધીને થઈ જશે , ૨૭ ટકા . તો હવે આ તરફ વિદેશમંત્રી એસ. જયશંકર પણ ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા હતા જ્યાં તેમણે ખાનગી સમાચાર સંસ્થા ન્યુઝવિકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , " બેઉ દેશો મધ્યમાં છે . મધ્ય કરતા વધારે નજીક છે . ટ્રેડ ડીલને લઇને. મને આશા છે કે , બેઉ દેશો વચ્ચે સફળતાપૂર્વક આ સંવાદ પૂર્ણ થશે."    ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં કાંટો કૃષિ ક્ષેત્રને લઇને ફસાયેલો છે. અમેરિકાને આશા છે કે , ભારત તેનું કૃષી ક્ષેત્ર અમેરિકન કંપનીઓ માટે ખોલશે. અમેરિકા ચાહે છે કે , ભારતમાં તેની કંપનીઓના જિનેટિકલી મોડીફાઇડ GM પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બને સાથેજ ઓટોમોબાઇલ અને વ્હિસ્કીના સેક્ટરમાં પણ અમેરિકન કંપનીઓને એક્સેસ પ્રાપ્ત થાય . 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .