"ટ્રેડ ડીલ" પર ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી આવી સામે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-02 17:17:09

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે.  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે . 

Resist any agreement shaped by threats…': After US court strikes down  Donald Trump's tariffs, GTRI says India should proceed with caution on  trade deal - Times of India

વૈશ્વિકીકરણના આ જમાનામાં કોઈ પણ બે દેશો વચ્ચે વ્યાપાર એ દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્ય કરોડરજ્જુ સમાન છે. વાત કરીએ , અમેરિકાની તો , એપ્રિલની બીજી તારીખના રોજ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો તેનાથી , સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ખુબ મોટી ઉથલપાથલ મચી ગઈ હતી . પરંતુ તેના થોડાક દિવસો પછી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરે છે. મોટા ભાગના દેશોને જુલાઈની ૯ મી તારીખ સુધીનો સમય અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરાર કરવા માટેનો આપે છે . તો ભારતનું વ્યાપારી પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. બેઉ દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાટાઘાટો ચાલુ છે . તો હવે ફરીએકવાર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત સાથે ટ્રેડ ડીલને લઇને એર ફોર્સ વનના વિમાનમાં પત્રકારોને એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે , " મને લાગે છે કે  ભારત સાથે અમારે ડીલ થવા જઈ રહી છે. આ એક અલગ પ્રકારની ડીલ હશે . આ ડીલ એવા પ્રકારની હશે જેમાં અમે ભારતના માર્કેટમાં પ્રવેશ કરીશું  અને કોમ્પીટ કરીશું. જોકે હાલમાં ભારતને સ્વીકાર્ય હોય તેવું લાગી રહ્યું નથી . પરંતુ તે જલ્દીથી સ્વીકારી લેશે ." 

It'll come back to haunt you: S Jaishankar warns West over Pak-backed  terror - India Today

રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં જે ભારતનું પ્રતિનિધિમંડળ છે તેણે અમેરિકામાં પોતાનું રોકાણ વધાર્યું છે. કેમ કે  , ભારત અને અમેરિકા બેઉ દેશોનો પ્રયાસ છે કે , ૯મી જુલાઈની ડેડલાઈન પેહલા આ વ્યાપારી કરારો સંપન્ન થાય . જો ભારત અને અમેરિકા વચ્ચે કોઈ પણ ડીલ નક્કી નથી થતી તો , હાલમાં ભારતની અમેરિકામાં થતી નિકાસો પર લાગે છે , ૧૦ ટકા ટેરિફ અને આ પછી ટેરિફ સીધો વધીને થઈ જશે , ૨૭ ટકા . તો હવે આ તરફ વિદેશમંત્રી એસ. જયશંકર પણ ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા હતા જ્યાં તેમણે ખાનગી સમાચાર સંસ્થા ન્યુઝવિકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , " બેઉ દેશો મધ્યમાં છે . મધ્ય કરતા વધારે નજીક છે . ટ્રેડ ડીલને લઇને. મને આશા છે કે , બેઉ દેશો વચ્ચે સફળતાપૂર્વક આ સંવાદ પૂર્ણ થશે."    ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં કાંટો કૃષિ ક્ષેત્રને લઇને ફસાયેલો છે. અમેરિકાને આશા છે કે , ભારત તેનું કૃષી ક્ષેત્ર અમેરિકન કંપનીઓ માટે ખોલશે. અમેરિકા ચાહે છે કે , ભારતમાં તેની કંપનીઓના જિનેટિકલી મોડીફાઇડ GM પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બને સાથેજ ઓટોમોબાઇલ અને વ્હિસ્કીના સેક્ટરમાં પણ અમેરિકન કંપનીઓને એક્સેસ પ્રાપ્ત થાય . 




લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.