"ટ્રેડ ડીલ" પર ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી આવી સામે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-02 17:17:09

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે.  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે . 

Resist any agreement shaped by threats…': After US court strikes down  Donald Trump's tariffs, GTRI says India should proceed with caution on  trade deal - Times of India

વૈશ્વિકીકરણના આ જમાનામાં કોઈ પણ બે દેશો વચ્ચે વ્યાપાર એ દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્ય કરોડરજ્જુ સમાન છે. વાત કરીએ , અમેરિકાની તો , એપ્રિલની બીજી તારીખના રોજ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો તેનાથી , સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ખુબ મોટી ઉથલપાથલ મચી ગઈ હતી . પરંતુ તેના થોડાક દિવસો પછી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરે છે. મોટા ભાગના દેશોને જુલાઈની ૯ મી તારીખ સુધીનો સમય અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરાર કરવા માટેનો આપે છે . તો ભારતનું વ્યાપારી પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. બેઉ દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાટાઘાટો ચાલુ છે . તો હવે ફરીએકવાર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત સાથે ટ્રેડ ડીલને લઇને એર ફોર્સ વનના વિમાનમાં પત્રકારોને એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે , " મને લાગે છે કે  ભારત સાથે અમારે ડીલ થવા જઈ રહી છે. આ એક અલગ પ્રકારની ડીલ હશે . આ ડીલ એવા પ્રકારની હશે જેમાં અમે ભારતના માર્કેટમાં પ્રવેશ કરીશું  અને કોમ્પીટ કરીશું. જોકે હાલમાં ભારતને સ્વીકાર્ય હોય તેવું લાગી રહ્યું નથી . પરંતુ તે જલ્દીથી સ્વીકારી લેશે ." 

It'll come back to haunt you: S Jaishankar warns West over Pak-backed  terror - India Today

રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં જે ભારતનું પ્રતિનિધિમંડળ છે તેણે અમેરિકામાં પોતાનું રોકાણ વધાર્યું છે. કેમ કે  , ભારત અને અમેરિકા બેઉ દેશોનો પ્રયાસ છે કે , ૯મી જુલાઈની ડેડલાઈન પેહલા આ વ્યાપારી કરારો સંપન્ન થાય . જો ભારત અને અમેરિકા વચ્ચે કોઈ પણ ડીલ નક્કી નથી થતી તો , હાલમાં ભારતની અમેરિકામાં થતી નિકાસો પર લાગે છે , ૧૦ ટકા ટેરિફ અને આ પછી ટેરિફ સીધો વધીને થઈ જશે , ૨૭ ટકા . તો હવે આ તરફ વિદેશમંત્રી એસ. જયશંકર પણ ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા હતા જ્યાં તેમણે ખાનગી સમાચાર સંસ્થા ન્યુઝવિકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , " બેઉ દેશો મધ્યમાં છે . મધ્ય કરતા વધારે નજીક છે . ટ્રેડ ડીલને લઇને. મને આશા છે કે , બેઉ દેશો વચ્ચે સફળતાપૂર્વક આ સંવાદ પૂર્ણ થશે."    ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં કાંટો કૃષિ ક્ષેત્રને લઇને ફસાયેલો છે. અમેરિકાને આશા છે કે , ભારત તેનું કૃષી ક્ષેત્ર અમેરિકન કંપનીઓ માટે ખોલશે. અમેરિકા ચાહે છે કે , ભારતમાં તેની કંપનીઓના જિનેટિકલી મોડીફાઇડ GM પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બને સાથેજ ઓટોમોબાઇલ અને વ્હિસ્કીના સેક્ટરમાં પણ અમેરિકન કંપનીઓને એક્સેસ પ્રાપ્ત થાય . 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.