અમેરિકાના પ્રમુખે PM મોદીની કરી પ્રશંસા, જો બિડેને કહ્યું ' USમાં તમે ખૂબ લોકપ્રિય છો, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-21 13:19:43

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ હવે તો દુનિયાના મોટા દેશોના વડાઓ પણ પીએમ મોદીના ચાહક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન વડાપ્રધાન મોદીના એટલા પ્રશંસક બની ગયા છે કે તેઓ પણ તેમનો ઓટોગ્રાફ લેવા માટે પહોંચી ગયા હતા.


'મારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે'


ક્વાડ મીટિંગ દરમિયાન જો બિડેને પીએમ મોદીને કહ્યું કે તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા ટોચના નાગરિકો તરફથી ઘણી અરજીઓ મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી જૂનમાં અમેરિકા જવાના છે. જો બિડેને પીએમ મોદીને એમ પણ કહ્યું કે 'તેમણે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવો જોઈએ'.


ગઈ કાલે પણ બંને નેતાઓ પ્રેમથી ભેંટ્યા હતા


જાપાનમાં ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન જે રીતે પીએમ મોદીને મળવા માટે તેમની ખુરશી પાસે આવ્યા ત્યારે પીએમ મોદી પણ આદર સાથે ઉભા થયા અને તેમને ભેટ્યા હતા તે આખી દુનિયાએ જોયું હતું. આ પહેલા પણ બંને નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા છે. તેમજ વ્હાઇટ હાઉસ પીએમ મોદી માટે ખાસ ડિનરનું આયોજન કરવા જઇ રહ્યું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.