અમેરિકાના પ્રમુખે PM મોદીની કરી પ્રશંસા, જો બિડેને કહ્યું ' USમાં તમે ખૂબ લોકપ્રિય છો, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-21 13:19:43

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ હવે તો દુનિયાના મોટા દેશોના વડાઓ પણ પીએમ મોદીના ચાહક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન વડાપ્રધાન મોદીના એટલા પ્રશંસક બની ગયા છે કે તેઓ પણ તેમનો ઓટોગ્રાફ લેવા માટે પહોંચી ગયા હતા.


'મારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે'


ક્વાડ મીટિંગ દરમિયાન જો બિડેને પીએમ મોદીને કહ્યું કે તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા ટોચના નાગરિકો તરફથી ઘણી અરજીઓ મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી જૂનમાં અમેરિકા જવાના છે. જો બિડેને પીએમ મોદીને એમ પણ કહ્યું કે 'તેમણે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવો જોઈએ'.


ગઈ કાલે પણ બંને નેતાઓ પ્રેમથી ભેંટ્યા હતા


જાપાનમાં ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન જે રીતે પીએમ મોદીને મળવા માટે તેમની ખુરશી પાસે આવ્યા ત્યારે પીએમ મોદી પણ આદર સાથે ઉભા થયા અને તેમને ભેટ્યા હતા તે આખી દુનિયાએ જોયું હતું. આ પહેલા પણ બંને નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા છે. તેમજ વ્હાઇટ હાઉસ પીએમ મોદી માટે ખાસ ડિનરનું આયોજન કરવા જઇ રહ્યું છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.