અમેરિકાના પ્રમુખે PM મોદીની કરી પ્રશંસા, જો બિડેને કહ્યું ' USમાં તમે ખૂબ લોકપ્રિય છો, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-21 13:19:43

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ હવે તો દુનિયાના મોટા દેશોના વડાઓ પણ પીએમ મોદીના ચાહક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન વડાપ્રધાન મોદીના એટલા પ્રશંસક બની ગયા છે કે તેઓ પણ તેમનો ઓટોગ્રાફ લેવા માટે પહોંચી ગયા હતા.


'મારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે'


ક્વાડ મીટિંગ દરમિયાન જો બિડેને પીએમ મોદીને કહ્યું કે તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા ટોચના નાગરિકો તરફથી ઘણી અરજીઓ મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી જૂનમાં અમેરિકા જવાના છે. જો બિડેને પીએમ મોદીને એમ પણ કહ્યું કે 'તેમણે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવો જોઈએ'.


ગઈ કાલે પણ બંને નેતાઓ પ્રેમથી ભેંટ્યા હતા


જાપાનમાં ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન જે રીતે પીએમ મોદીને મળવા માટે તેમની ખુરશી પાસે આવ્યા ત્યારે પીએમ મોદી પણ આદર સાથે ઉભા થયા અને તેમને ભેટ્યા હતા તે આખી દુનિયાએ જોયું હતું. આ પહેલા પણ બંને નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા છે. તેમજ વ્હાઇટ હાઉસ પીએમ મોદી માટે ખાસ ડિનરનું આયોજન કરવા જઇ રહ્યું છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.