અમેરિકાના પ્રમુખ બિડેને લીધી યુક્રેનની ગુપ્ત મુલાકાત, કીવને 50 કરોડ ડોલરની મદદ, રશિયા ધુઆફુઆ થયું


  • Published By :
  • Published Date : 2023-02-20 17:30:27

અમેરિકાના પ્રમુખ જો બિડેન યુધ્ધગ્રસ્ત દેશ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના દિવસે યુધ્ધ શરૂ થયા બાદ બિડેનનો આ સૌપ્રથમ યુક્રેન પ્રવાસ છે. અમેરિકાના પ્રમુખ બિડેન કીવ પહોંચ્યા તેને લઈ રશિયા ભયાનક ગુસ્સે થયું છે. 


યુક્રેનને મિત્ર અમેરિકાનું સમર્થન


અમેરિકાના પ્રમુખ જો બિડેનની આ સરપ્રાઈઝ યુક્રેન મુલાકાતનો હેતુ યુક્રેન સમર્થન આપવાનો છે. એક વર્ષથી ચાલી રહેલા આ યુધ્ધના કારણે યુક્રેન આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે. બિડેન રાજધાની કીવ પહોંચ્યા ત્યારે સાયરનના અવાજથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. આ સાયરન સોમવારે સવારથી જ સક્રિય થઈ ગયા હતા. કિવમાં સત્તાવાળાઓએ લોકોને શેલ્ટર્સમાં જવા કહ્યું છે. યુક્રેન અને અમેરિકા બંનેને ડર છે કે રશિયા ફરી એકવાર યુદ્ધમાં મજબૂત થઈ રહ્યું છે. બિડેન પોલેન્ડ જવાના હતા પરંતુ યુક્રેન પહોંચીને વિદેશી બાબતોના નિષ્ણાતોને ચોંકાવી દીધા છે.


યુક્રેન પ્રવાસ ગુપ્ત રખાયો


બિડેનના આ યુક્રેન પ્રવાસને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો. બિડેન પોલેન્ડની બોર્ડરથી ટ્રેન દ્વારા યુક્રેન પહોંચ્યા હતી. સુરક્ષા અધિકારીઓ તેમની મુલાકાતથી ખૂબ જ ચિંતિત હતા. પેન્ટાગોનના અધિકારીઓ અને સિક્રેટ સર્વિસ એજન્ટો ઈચ્છતા ન હતા કે બિડેન યુક્રેન જાય. બિડેન યુક્રેન જઈ રહ્યા છે તેનો કોઈને અણસાર પણ  આવ્યો નહોતો. 


યુક્રેનને 50 કરોડ ડોલરની મદદ


બિડેને યુક્રેનની રાજધાની કીવમાં તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોડિમિર ઝેલેન્સકી અને તેમની પત્ની ઓલેના સાથે રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં મુલાકાત કરી હતી. બિડેને કહ્યું કે અમેરિકા યુક્રેનને 50 કરોડ ડોલરના નવા હથિયારો આપવા જઈ રહ્યું છે. આમાં જેવલિન મિસાઇલ, હોવિત્ઝર અને શેલનો સમાવેશ થાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.