અમેરિકાના પ્રમુખ બિડેને લીધી યુક્રેનની ગુપ્ત મુલાકાત, કીવને 50 કરોડ ડોલરની મદદ, રશિયા ધુઆફુઆ થયું


  • Published By :
  • Published Date : 2023-02-20 17:30:27

અમેરિકાના પ્રમુખ જો બિડેન યુધ્ધગ્રસ્ત દેશ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના દિવસે યુધ્ધ શરૂ થયા બાદ બિડેનનો આ સૌપ્રથમ યુક્રેન પ્રવાસ છે. અમેરિકાના પ્રમુખ બિડેન કીવ પહોંચ્યા તેને લઈ રશિયા ભયાનક ગુસ્સે થયું છે. 


યુક્રેનને મિત્ર અમેરિકાનું સમર્થન


અમેરિકાના પ્રમુખ જો બિડેનની આ સરપ્રાઈઝ યુક્રેન મુલાકાતનો હેતુ યુક્રેન સમર્થન આપવાનો છે. એક વર્ષથી ચાલી રહેલા આ યુધ્ધના કારણે યુક્રેન આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે. બિડેન રાજધાની કીવ પહોંચ્યા ત્યારે સાયરનના અવાજથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. આ સાયરન સોમવારે સવારથી જ સક્રિય થઈ ગયા હતા. કિવમાં સત્તાવાળાઓએ લોકોને શેલ્ટર્સમાં જવા કહ્યું છે. યુક્રેન અને અમેરિકા બંનેને ડર છે કે રશિયા ફરી એકવાર યુદ્ધમાં મજબૂત થઈ રહ્યું છે. બિડેન પોલેન્ડ જવાના હતા પરંતુ યુક્રેન પહોંચીને વિદેશી બાબતોના નિષ્ણાતોને ચોંકાવી દીધા છે.


યુક્રેન પ્રવાસ ગુપ્ત રખાયો


બિડેનના આ યુક્રેન પ્રવાસને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો. બિડેન પોલેન્ડની બોર્ડરથી ટ્રેન દ્વારા યુક્રેન પહોંચ્યા હતી. સુરક્ષા અધિકારીઓ તેમની મુલાકાતથી ખૂબ જ ચિંતિત હતા. પેન્ટાગોનના અધિકારીઓ અને સિક્રેટ સર્વિસ એજન્ટો ઈચ્છતા ન હતા કે બિડેન યુક્રેન જાય. બિડેન યુક્રેન જઈ રહ્યા છે તેનો કોઈને અણસાર પણ  આવ્યો નહોતો. 


યુક્રેનને 50 કરોડ ડોલરની મદદ


બિડેને યુક્રેનની રાજધાની કીવમાં તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોડિમિર ઝેલેન્સકી અને તેમની પત્ની ઓલેના સાથે રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં મુલાકાત કરી હતી. બિડેને કહ્યું કે અમેરિકા યુક્રેનને 50 કરોડ ડોલરના નવા હથિયારો આપવા જઈ રહ્યું છે. આમાં જેવલિન મિસાઇલ, હોવિત્ઝર અને શેલનો સમાવેશ થાય છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?