અમેરિકાના પ્રમુખ બિડેને લીધી યુક્રેનની ગુપ્ત મુલાકાત, કીવને 50 કરોડ ડોલરની મદદ, રશિયા ધુઆફુઆ થયું


  • Published By :
  • Published Date : 2023-02-20 17:30:27

અમેરિકાના પ્રમુખ જો બિડેન યુધ્ધગ્રસ્ત દેશ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના દિવસે યુધ્ધ શરૂ થયા બાદ બિડેનનો આ સૌપ્રથમ યુક્રેન પ્રવાસ છે. અમેરિકાના પ્રમુખ બિડેન કીવ પહોંચ્યા તેને લઈ રશિયા ભયાનક ગુસ્સે થયું છે. 


યુક્રેનને મિત્ર અમેરિકાનું સમર્થન


અમેરિકાના પ્રમુખ જો બિડેનની આ સરપ્રાઈઝ યુક્રેન મુલાકાતનો હેતુ યુક્રેન સમર્થન આપવાનો છે. એક વર્ષથી ચાલી રહેલા આ યુધ્ધના કારણે યુક્રેન આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે. બિડેન રાજધાની કીવ પહોંચ્યા ત્યારે સાયરનના અવાજથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. આ સાયરન સોમવારે સવારથી જ સક્રિય થઈ ગયા હતા. કિવમાં સત્તાવાળાઓએ લોકોને શેલ્ટર્સમાં જવા કહ્યું છે. યુક્રેન અને અમેરિકા બંનેને ડર છે કે રશિયા ફરી એકવાર યુદ્ધમાં મજબૂત થઈ રહ્યું છે. બિડેન પોલેન્ડ જવાના હતા પરંતુ યુક્રેન પહોંચીને વિદેશી બાબતોના નિષ્ણાતોને ચોંકાવી દીધા છે.


યુક્રેન પ્રવાસ ગુપ્ત રખાયો


બિડેનના આ યુક્રેન પ્રવાસને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો. બિડેન પોલેન્ડની બોર્ડરથી ટ્રેન દ્વારા યુક્રેન પહોંચ્યા હતી. સુરક્ષા અધિકારીઓ તેમની મુલાકાતથી ખૂબ જ ચિંતિત હતા. પેન્ટાગોનના અધિકારીઓ અને સિક્રેટ સર્વિસ એજન્ટો ઈચ્છતા ન હતા કે બિડેન યુક્રેન જાય. બિડેન યુક્રેન જઈ રહ્યા છે તેનો કોઈને અણસાર પણ  આવ્યો નહોતો. 


યુક્રેનને 50 કરોડ ડોલરની મદદ


બિડેને યુક્રેનની રાજધાની કીવમાં તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોડિમિર ઝેલેન્સકી અને તેમની પત્ની ઓલેના સાથે રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં મુલાકાત કરી હતી. બિડેને કહ્યું કે અમેરિકા યુક્રેનને 50 કરોડ ડોલરના નવા હથિયારો આપવા જઈ રહ્યું છે. આમાં જેવલિન મિસાઇલ, હોવિત્ઝર અને શેલનો સમાવેશ થાય છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?