અમેરિકાના પ્રમુખ બાઈડને પ્રધાનમંત્રી મોદીને આપ્યું આમંત્રણ, 22 જૂને PM માટે કરશે સ્ટેટ ડિનરનું આયોજન


  • Published By :
  • Published Date : 2023-05-10 22:18:07

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જૂન 2023ના રોજ અમેરિકામાં સ્ટેટ ડિનરમાં હાજરી આપશે. પીએમ મોદીની સત્તાવાર સરકારી મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન તેમની યજમાની કરશે. આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચેની ઊંડી અને ગાઢ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તે અમેરિકનો અને ભારતીયોને એક સાથે જોડશે.


વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા


વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાત મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ અને સુરક્ષિત ભારત-પેસિફિક ક્ષેત્ર માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. આ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ સહિત અમારી વ્યૂહાત્મક તકનીકી ભાગીદારીને વધારવાના અમારા સહિયારા સંકલ્પને મજબૂત કરશે. અમેરિકાના પ્રમુખ બિડેન સાથેની બેઠક દરમિયાન, બંને નેતાઓ  શૈક્ષણિક આદાનપ્રદાન અને લોકો વચ્ચેના સંબંધોને વધુ વિસ્તૃત કરવાના ઉપાયો પર ચર્ચા કરશે. આ સાથે, જ બંને દેશો ક્લાઈમેટ ચેન્જથી લઈને વર્કફોર્સ ડેવલપમેન્ટ અને હેલ્થ સિક્યુરિટી સુધીના પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરીશે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.