અમેરિકાના પ્રમુખ બાઈડને પ્રધાનમંત્રી મોદીને આપ્યું આમંત્રણ, 22 જૂને PM માટે કરશે સ્ટેટ ડિનરનું આયોજન


  • Published By :
  • Published Date : 2023-05-10 22:18:07

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જૂન 2023ના રોજ અમેરિકામાં સ્ટેટ ડિનરમાં હાજરી આપશે. પીએમ મોદીની સત્તાવાર સરકારી મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન તેમની યજમાની કરશે. આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચેની ઊંડી અને ગાઢ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તે અમેરિકનો અને ભારતીયોને એક સાથે જોડશે.


વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા


વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાત મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ અને સુરક્ષિત ભારત-પેસિફિક ક્ષેત્ર માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. આ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ સહિત અમારી વ્યૂહાત્મક તકનીકી ભાગીદારીને વધારવાના અમારા સહિયારા સંકલ્પને મજબૂત કરશે. અમેરિકાના પ્રમુખ બિડેન સાથેની બેઠક દરમિયાન, બંને નેતાઓ  શૈક્ષણિક આદાનપ્રદાન અને લોકો વચ્ચેના સંબંધોને વધુ વિસ્તૃત કરવાના ઉપાયો પર ચર્ચા કરશે. આ સાથે, જ બંને દેશો ક્લાઈમેટ ચેન્જથી લઈને વર્કફોર્સ ડેવલપમેન્ટ અને હેલ્થ સિક્યુરિટી સુધીના પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરીશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.