અમેરિકા H-1B વીઝાના નિયમોમાં કરશે ફેરફાર, બાઈડન વહીવટી તંત્રના આ નિર્ણયથી કોને થશે લાભ? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-22 13:26:02

અમેરિકા H-1B વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે ભારતીય પ્રોફેશનલ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. બાઈડન વહીવટી તંત્રએ આ અંગે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનો હેતુ નોકરીવાંચ્છુઓની લાયકાતને તર્કસંગત બનાવીને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે, F-1 વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને બિન-લાભકારી સંસ્થાઓ માટે કામ કરતા લોકોને વધુ સુગમતા પ્રદાન કરવાનો છે.


વિઝાની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં 


વિઝાની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નિયમો 23 ઓક્ટોબરે ફેડરલ રજિસ્ટરમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવશે. સંસદ દ્વારા નિર્ધારિત આ 60,000 વિઝાની સંખ્યા બદલ્યા વિના આ નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વર્તમાન પ્રક્રિયામાં, વ્યક્તિ જેટલી વધુ નોંધણીઓ સબમિટ કરે છે, તેટલી તેની પસંદગી થવાની શક્યતાઓ વધી જાય છે.


એક વ્યક્તિ એક જ વખત રજીસ્ટ્રેશન કરાવી શકશે


આ નવા પ્રસ્તાવ અંગે અમેરિકના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના સચિવ અલેજાન્ડ્રો એન મેયરાસે કહ્યું કે, બાઈડેન વહીવટીતંત્રની પ્રાથમિક્તા વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવી અને એમ્પ્લોયર પરનો અયોગ્ય બોજ ઘટાડવાની અને ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી રોકવાની છે. વર્તમાન પ્રક્રિયામાં એક ઉમેદવાર અનેક વખત ઉમેદવારી નોંધાવી શકે છે. એવામાં તેની જ પસંદગી થવાની સંભાવના વધી જાય છે. હવે નવી દરખાસ્ત હેઠળ એક વ્યક્તિ એક જ ઉમેદવારી કરી શકશે, એવામાં વધુ લોકોને તક મળશે. આ સાથે જ નિષ્ણાત પદ માટે પાત્રતામાં સુધારો કરાયો છે, જેથી નિર્ણાયકો વચ્ચે પસંદગી અંગે કોઈ ભ્રમ ના રહે. જોકે, જરૂરી ડિગ્રી ક્ષેત્ર વચ્ચે સીધો સંબંધ જરૂરી છે. સાથે જ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ માટે એચ-૧બી વિઝાની યોગ્યતાને પણ ફ્લેક્સિબલ બનાવાઈ છે. આ સિવાય ઊભરતા ઉદ્યોગ સાહસિકો માટે વિઝા પાત્રતાના નિયમોમાં પણ ફેરફાર કરાશે. રિપોર્ટ્સ મુજબ સૂચિત નિયમોમાં એચ-1બી હેઠળ મળનારી છૂટનો લાભ નોન-ઈમિગ્રન્ટ સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંગઠનોને પણ આપવા વિચારણા ચાલી રહી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) સૂચનો પછી આ નિયમોમાં ફેરફાર કરશે.


હજુ પણ નવા નિયમોનો થશે અમલ


અમેરિકનો હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ઈમિગ્રેશન પ્રક્રિયાઓમાં સુધારો થાય તેવા નિયમો બનાવવા અને લાગુ કરવાનું ચાલુ રાખશે. સૂચિત ફેરફારોથી પાત્રતા આવશ્યક્તાઓને સરળ બનાવાશે. આ સુધારાથી અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને લાભ થશે. ઉલ્લેખનિય છે કે એચ-1બી વિઝા મોટાભાગે ત્રણથી છ વર્ષ માટે એમ્પ્લોયર્સને વિદેશી કર્મચારીઓની ભરતી કરવા માટે ઈશ્યુ કરવામાં આવે છે, પરંતુ ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરાવી હોય તેવા એચ-1 બી ધારકો અનિશ્ચિત સમય સુધી  તેમના વર્ક વિઝા રીન્યુ કરાવે છે.



૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.