અમેરિકાએ અરુણાચલ પર ચીનના દાવાને નકાર્યો, ભારતનું સમર્થન કરતો ઠરાવ US સેનેટમાં પસાર


  • Published By :
  • Published Date : 2023-03-15 14:16:31

અમેરિકાએ ચીન અને અરુણાચલ પ્રદેશને વિભાજિત કરતી મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ ગણી છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં દ્વિપક્ષીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવામાં આવે છે. દરખાસ્ત રજૂ કરનાર સાંસદ બિલ હેગર્ટી અને જેફ માર્કલે જણાવ્યું હતું કે 'જ્યારે ચીન ખુલ્લા અને મુક્ત હિંદ પ્રશાંત મહાસાગરમાં પડકારરૂપ બની રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખાસ કરીને ભારત સાથે ખભે ખભો મિલાવીને ઊભું રહે તે જરૂરી છે.


ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા 


અમેરિકી સંસદના આ દ્વિપક્ષીય ઠરાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ માનવામાં આવ્યો છે અને LAC પર યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો અને ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ક્વાંડમાં સહકાર વધારવાની વાત પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકી સંસદનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે LACના પૂર્વ સેક્ટરમાં ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે.


ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર


અમેરિકાની સંસદમાં પસાર થયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ચીનનું નહીં પણ ભારતનું અભિન્ન અંગ માને છે. અમેરિકાના સાંસદોએ એલએસી પર સૈન્ય બળ સાથે યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો, વિવાદિત સ્થળો પર ચીન દ્વારા ગામડાઓ વસાવવા અને ચીનના નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે દર્શાવવાના પ્રયાસોની પણ ટીકા કરી હતી. આ સાથે ભૂટાનની સરહદમાં ચીનના દાવાની પણ ટીકા કરવામાં આવી છે. અમેરિકાની સંસદના બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવેલા આ ઠરાવમાં ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારતના વલણની પણ પ્રશંસા કરવામાં આવી છે અને ભારત સાથે ટેકનિકલ, આર્થિક સંબંધોને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.