અમેરિકાએ અરુણાચલ પર ચીનના દાવાને નકાર્યો, ભારતનું સમર્થન કરતો ઠરાવ US સેનેટમાં પસાર


  • Published By :
  • Published Date : 2023-03-15 14:16:31

અમેરિકાએ ચીન અને અરુણાચલ પ્રદેશને વિભાજિત કરતી મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ ગણી છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં દ્વિપક્ષીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવામાં આવે છે. દરખાસ્ત રજૂ કરનાર સાંસદ બિલ હેગર્ટી અને જેફ માર્કલે જણાવ્યું હતું કે 'જ્યારે ચીન ખુલ્લા અને મુક્ત હિંદ પ્રશાંત મહાસાગરમાં પડકારરૂપ બની રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખાસ કરીને ભારત સાથે ખભે ખભો મિલાવીને ઊભું રહે તે જરૂરી છે.


ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા 


અમેરિકી સંસદના આ દ્વિપક્ષીય ઠરાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ માનવામાં આવ્યો છે અને LAC પર યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો અને ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ક્વાંડમાં સહકાર વધારવાની વાત પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકી સંસદનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે LACના પૂર્વ સેક્ટરમાં ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે.


ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર


અમેરિકાની સંસદમાં પસાર થયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ચીનનું નહીં પણ ભારતનું અભિન્ન અંગ માને છે. અમેરિકાના સાંસદોએ એલએસી પર સૈન્ય બળ સાથે યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો, વિવાદિત સ્થળો પર ચીન દ્વારા ગામડાઓ વસાવવા અને ચીનના નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે દર્શાવવાના પ્રયાસોની પણ ટીકા કરી હતી. આ સાથે ભૂટાનની સરહદમાં ચીનના દાવાની પણ ટીકા કરવામાં આવી છે. અમેરિકાની સંસદના બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવેલા આ ઠરાવમાં ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારતના વલણની પણ પ્રશંસા કરવામાં આવી છે અને ભારત સાથે ટેકનિકલ, આર્થિક સંબંધોને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.