અમેરિકાએ અરુણાચલ પર ચીનના દાવાને નકાર્યો, ભારતનું સમર્થન કરતો ઠરાવ US સેનેટમાં પસાર


  • Published By :
  • Published Date : 2023-03-15 14:16:31

અમેરિકાએ ચીન અને અરુણાચલ પ્રદેશને વિભાજિત કરતી મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ ગણી છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં દ્વિપક્ષીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવામાં આવે છે. દરખાસ્ત રજૂ કરનાર સાંસદ બિલ હેગર્ટી અને જેફ માર્કલે જણાવ્યું હતું કે 'જ્યારે ચીન ખુલ્લા અને મુક્ત હિંદ પ્રશાંત મહાસાગરમાં પડકારરૂપ બની રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખાસ કરીને ભારત સાથે ખભે ખભો મિલાવીને ઊભું રહે તે જરૂરી છે.


ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા 


અમેરિકી સંસદના આ દ્વિપક્ષીય ઠરાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ માનવામાં આવ્યો છે અને LAC પર યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો અને ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ક્વાંડમાં સહકાર વધારવાની વાત પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકી સંસદનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે LACના પૂર્વ સેક્ટરમાં ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે.


ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર


અમેરિકાની સંસદમાં પસાર થયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ચીનનું નહીં પણ ભારતનું અભિન્ન અંગ માને છે. અમેરિકાના સાંસદોએ એલએસી પર સૈન્ય બળ સાથે યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો, વિવાદિત સ્થળો પર ચીન દ્વારા ગામડાઓ વસાવવા અને ચીનના નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે દર્શાવવાના પ્રયાસોની પણ ટીકા કરી હતી. આ સાથે ભૂટાનની સરહદમાં ચીનના દાવાની પણ ટીકા કરવામાં આવી છે. અમેરિકાની સંસદના બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવેલા આ ઠરાવમાં ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારતના વલણની પણ પ્રશંસા કરવામાં આવી છે અને ભારત સાથે ટેકનિકલ, આર્થિક સંબંધોને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.