અમેરિકાએ અરુણાચલ પર ચીનના દાવાને નકાર્યો, ભારતનું સમર્થન કરતો ઠરાવ US સેનેટમાં પસાર


  • Published By :
  • Published Date : 2023-03-15 14:16:31

અમેરિકાએ ચીન અને અરુણાચલ પ્રદેશને વિભાજિત કરતી મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ ગણી છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં દ્વિપક્ષીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવામાં આવે છે. દરખાસ્ત રજૂ કરનાર સાંસદ બિલ હેગર્ટી અને જેફ માર્કલે જણાવ્યું હતું કે 'જ્યારે ચીન ખુલ્લા અને મુક્ત હિંદ પ્રશાંત મહાસાગરમાં પડકારરૂપ બની રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખાસ કરીને ભારત સાથે ખભે ખભો મિલાવીને ઊભું રહે તે જરૂરી છે.


ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા 


અમેરિકી સંસદના આ દ્વિપક્ષીય ઠરાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ માનવામાં આવ્યો છે અને LAC પર યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો અને ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ક્વાંડમાં સહકાર વધારવાની વાત પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકી સંસદનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે LACના પૂર્વ સેક્ટરમાં ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે.


ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર


અમેરિકાની સંસદમાં પસાર થયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ચીનનું નહીં પણ ભારતનું અભિન્ન અંગ માને છે. અમેરિકાના સાંસદોએ એલએસી પર સૈન્ય બળ સાથે યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો, વિવાદિત સ્થળો પર ચીન દ્વારા ગામડાઓ વસાવવા અને ચીનના નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે દર્શાવવાના પ્રયાસોની પણ ટીકા કરી હતી. આ સાથે ભૂટાનની સરહદમાં ચીનના દાવાની પણ ટીકા કરવામાં આવી છે. અમેરિકાની સંસદના બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવેલા આ ઠરાવમાં ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારતના વલણની પણ પ્રશંસા કરવામાં આવી છે અને ભારત સાથે ટેકનિકલ, આર્થિક સંબંધોને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.