US: રાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના નિક્કી હેલીની ઉમેદવારીને મોટો ઝટકો, ન્યૂ હેમ્પશાયર જીઓપી પ્રાઈમરીમાં ટ્ર્મ્પની જીત


  • Published By :
  • Published Date : 2024-01-24 14:36:36

અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને નિક્કી હેલી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જો કે આ રેસમાં ટ્રમ્પ વધુ આગળ હોય તેવું જણાઈ રહ્યું છે. ટ્રમ્પે આયોવા કોકસમાં વિવેક રામસ્વામીને હરાવ્યા બાદ હવે તેમના કટ્ટર હરિફ નિક્કી હેલીને પણ ન્યૂ હેમ્પશાયરમાં હરાવ્યા છે. ન્યૂ હેમ્પશાયર જીઓપી પ્રાઈમરી (GOP Primary) જીત બાદ ટ્રમ્પનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 55.4% વોટ મળ્યા, જ્યારે ભારતીય મૂળની નિક્કી હેલીને 42% વોટ મળ્યા. બીજી તરફ ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઇડન જીત્યા છે. તેમને 66.8% મત મળ્યા. બીજા ક્રમે આવેલા ડીન ફિલિપ્સને માત્ર 20% વોટ મળ્યા હતા.


નિક્કી હેલી હાર માનવા તૈયાર નથી


ભારતીય મૂળના ઉમેદવાર નિક્કી હેલી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર બની ગઇ છે. તેમણે ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ટ્રમ્પ સામેથી ખસી જવાના ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને પણ ફગાવી દીધી છે. નિક્કી હેલીએ રેસમાં ટકી રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એવી પણ ચર્ચા છે કે તે ટ્રમ્પના નોમિનેશનમાં અવરોધ બની શકે છે. એક મીડિયા સાથેની વાતચીતમાં હેલીએ તેના નિર્ણયો પર ટ્રમ્પના પ્રભાવને નકારી કાઢતાં કહ્યું કે ટ્રમ્પે તેને જે કરવાનું કહ્યું તે તેણે ક્યારેય કર્યું નથી. જ્યારે હેલીને પ્રાથમિક ચૂંટણી માટે તેમની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સફળતા માટે કોઈ માપદંડ નક્કી કરવાનું ટાળ્યું હતું.  ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણીમાં હાર બાદ પણ હેલીએ આગામી 24 ફેબ્રુઆરીના રોજ તેમના ગૃહ રાજ્ય, દક્ષિણ કેરોલિનામા આગામી પ્રાઈમરીમાં એક લડાઈ લડવા માટેની તૈયારી કરી રહ્યા છે.  હવે દક્ષિણ કેરોલિનામા ટ્ર્મ્પ અને હેલી વચ્ચેના મુકાબલાનમાં કોની જીત થાય છે તેના પર સૌની નજર છે.


 ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટીના બાઈડનની જીત


ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ બાઇડનના નામની ગેરહાજરી હોવા છતાં, તેમણે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. હકીકતમાં પાર્ટીની ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, બાઇડને ન્યૂ હેમ્પશાયરમાં ચૂંટણીની તારીખ લંબાવવા માટે અપીલ કરી હતી. જોકે, પાર્ટીએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. આનાથી નારાજ થઈને બાઇડને ન્યૂ હેમ્પશાયરની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. આમ છતાં ડેમોક્રેટિક પાર્ટીમાં તેમના સમર્થકોએ ચૂંટણીમાં રાઇટ-ઇન-કેમ્પિન ચલાવ્યું, જેના કારણે બાઇડન ચૂંટણી જીત્યા હતા. રાઇટ-ઇન-ઉમેદવારનો મતલબ એ થાય છે કે જેમનું નામ મતપત્ર પર ન આવ્યું હોય તથા તેમણે પ્રચાર પણ કર્યો ન કર્યો હોય.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.