US: રાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના નિક્કી હેલીની ઉમેદવારીને મોટો ઝટકો, ન્યૂ હેમ્પશાયર જીઓપી પ્રાઈમરીમાં ટ્ર્મ્પની જીત


  • Published By :
  • Published Date : 2024-01-24 14:36:36

અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને નિક્કી હેલી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જો કે આ રેસમાં ટ્રમ્પ વધુ આગળ હોય તેવું જણાઈ રહ્યું છે. ટ્રમ્પે આયોવા કોકસમાં વિવેક રામસ્વામીને હરાવ્યા બાદ હવે તેમના કટ્ટર હરિફ નિક્કી હેલીને પણ ન્યૂ હેમ્પશાયરમાં હરાવ્યા છે. ન્યૂ હેમ્પશાયર જીઓપી પ્રાઈમરી (GOP Primary) જીત બાદ ટ્રમ્પનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 55.4% વોટ મળ્યા, જ્યારે ભારતીય મૂળની નિક્કી હેલીને 42% વોટ મળ્યા. બીજી તરફ ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઇડન જીત્યા છે. તેમને 66.8% મત મળ્યા. બીજા ક્રમે આવેલા ડીન ફિલિપ્સને માત્ર 20% વોટ મળ્યા હતા.


નિક્કી હેલી હાર માનવા તૈયાર નથી


ભારતીય મૂળના ઉમેદવાર નિક્કી હેલી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર બની ગઇ છે. તેમણે ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ટ્રમ્પ સામેથી ખસી જવાના ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને પણ ફગાવી દીધી છે. નિક્કી હેલીએ રેસમાં ટકી રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એવી પણ ચર્ચા છે કે તે ટ્રમ્પના નોમિનેશનમાં અવરોધ બની શકે છે. એક મીડિયા સાથેની વાતચીતમાં હેલીએ તેના નિર્ણયો પર ટ્રમ્પના પ્રભાવને નકારી કાઢતાં કહ્યું કે ટ્રમ્પે તેને જે કરવાનું કહ્યું તે તેણે ક્યારેય કર્યું નથી. જ્યારે હેલીને પ્રાથમિક ચૂંટણી માટે તેમની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સફળતા માટે કોઈ માપદંડ નક્કી કરવાનું ટાળ્યું હતું.  ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણીમાં હાર બાદ પણ હેલીએ આગામી 24 ફેબ્રુઆરીના રોજ તેમના ગૃહ રાજ્ય, દક્ષિણ કેરોલિનામા આગામી પ્રાઈમરીમાં એક લડાઈ લડવા માટેની તૈયારી કરી રહ્યા છે.  હવે દક્ષિણ કેરોલિનામા ટ્ર્મ્પ અને હેલી વચ્ચેના મુકાબલાનમાં કોની જીત થાય છે તેના પર સૌની નજર છે.


 ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટીના બાઈડનની જીત


ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ બાઇડનના નામની ગેરહાજરી હોવા છતાં, તેમણે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. હકીકતમાં પાર્ટીની ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, બાઇડને ન્યૂ હેમ્પશાયરમાં ચૂંટણીની તારીખ લંબાવવા માટે અપીલ કરી હતી. જોકે, પાર્ટીએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. આનાથી નારાજ થઈને બાઇડને ન્યૂ હેમ્પશાયરની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. આમ છતાં ડેમોક્રેટિક પાર્ટીમાં તેમના સમર્થકોએ ચૂંટણીમાં રાઇટ-ઇન-કેમ્પિન ચલાવ્યું, જેના કારણે બાઇડન ચૂંટણી જીત્યા હતા. રાઇટ-ઇન-ઉમેદવારનો મતલબ એ થાય છે કે જેમનું નામ મતપત્ર પર ન આવ્યું હોય તથા તેમણે પ્રચાર પણ કર્યો ન કર્યો હોય.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?