અમેરિકામાં 1-2 નહીં પણ 186 બેંકો પર સંકટ, એક રિસર્ચ રિપોર્ટમાં કરાયો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-19 16:26:57

અમેરિકામાં બેંકિંગ સંકટ દિવસેને દિવસે વધુ ઘેરાઈ રહ્યું છે. એક અઠવાડિયાની અંદર બે બેંકો પડી ભાંગી છે અને ત્રીજી પતનની આરે છે. આ સંકટે હવે યુરોપને પણ ઘેરી લીધું છે. ત્યાંની મોટી બેંક ક્રેડિટ સુઈસ પણ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. 


186 બેંકો પતનના આરે


અમેરિકામાં બેંકિંગ સંકટ પર સોશિયલ સાયન્સ ઇ રિસર્ચ નેટવર્ક પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ નવા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વધુ 186 બેંકો પતનની આરે છે. બેંકોની આ સ્થિતિ વ્યાજ દરોમાં વધારા અને જંગી અનઈન્સ્યોર્ડ ડિપોઝીટને કારણે સર્જાઈ છે.સિલિકોન વેલી બેંક જે ઝડપથી પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ તે કલ્પના બહારની વાત છે.  


નાની બેંકોએ ચિંતા વધારી


અમેરિકામાં બેંકિંગ કટોકટી શરૂ થયા બાદ લોકો નાની બેંકોમાંથી પૈસા ઉપાડીને મોટી બેંકોમાં મુકી રહ્યા છે. તેઓ માને છે કે મોટી બેંકોમાં જોખમ ઓછું છે. 2001થી અમેરિકામાં 500થી વધુ બેંકો પડી ભાંગી છે. મોટાભાગના લોકો એ વિચારીને બેંકમાં પૈસા જમા કરાવે છે કે તેમના પૈસા ત્યાં સુરક્ષિત છે. પણ એવું બિલકુલ નથી. અમેરિકામાં જો કોઈ બેંક બેંક ડિફોલ્ટ થાય કે નાદાર થઈ જાય તો ડિપોઝીટરને 2.5 લાખ ડોલર મળે છે. પછી ભલે તમારા કરોડો ડોલર બેંકમાં જમા કેમ ન હોય.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.