અમેરિકામાં 1-2 નહીં પણ 186 બેંકો પર સંકટ, એક રિસર્ચ રિપોર્ટમાં કરાયો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-19 16:26:57

અમેરિકામાં બેંકિંગ સંકટ દિવસેને દિવસે વધુ ઘેરાઈ રહ્યું છે. એક અઠવાડિયાની અંદર બે બેંકો પડી ભાંગી છે અને ત્રીજી પતનની આરે છે. આ સંકટે હવે યુરોપને પણ ઘેરી લીધું છે. ત્યાંની મોટી બેંક ક્રેડિટ સુઈસ પણ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. 


186 બેંકો પતનના આરે


અમેરિકામાં બેંકિંગ સંકટ પર સોશિયલ સાયન્સ ઇ રિસર્ચ નેટવર્ક પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ નવા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વધુ 186 બેંકો પતનની આરે છે. બેંકોની આ સ્થિતિ વ્યાજ દરોમાં વધારા અને જંગી અનઈન્સ્યોર્ડ ડિપોઝીટને કારણે સર્જાઈ છે.સિલિકોન વેલી બેંક જે ઝડપથી પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ તે કલ્પના બહારની વાત છે.  


નાની બેંકોએ ચિંતા વધારી


અમેરિકામાં બેંકિંગ કટોકટી શરૂ થયા બાદ લોકો નાની બેંકોમાંથી પૈસા ઉપાડીને મોટી બેંકોમાં મુકી રહ્યા છે. તેઓ માને છે કે મોટી બેંકોમાં જોખમ ઓછું છે. 2001થી અમેરિકામાં 500થી વધુ બેંકો પડી ભાંગી છે. મોટાભાગના લોકો એ વિચારીને બેંકમાં પૈસા જમા કરાવે છે કે તેમના પૈસા ત્યાં સુરક્ષિત છે. પણ એવું બિલકુલ નથી. અમેરિકામાં જો કોઈ બેંક બેંક ડિફોલ્ટ થાય કે નાદાર થઈ જાય તો ડિપોઝીટરને 2.5 લાખ ડોલર મળે છે. પછી ભલે તમારા કરોડો ડોલર બેંકમાં જમા કેમ ન હોય.



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.