અમેરિકામાં 1-2 નહીં પણ 186 બેંકો પર સંકટ, એક રિસર્ચ રિપોર્ટમાં કરાયો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-19 16:26:57

અમેરિકામાં બેંકિંગ સંકટ દિવસેને દિવસે વધુ ઘેરાઈ રહ્યું છે. એક અઠવાડિયાની અંદર બે બેંકો પડી ભાંગી છે અને ત્રીજી પતનની આરે છે. આ સંકટે હવે યુરોપને પણ ઘેરી લીધું છે. ત્યાંની મોટી બેંક ક્રેડિટ સુઈસ પણ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. 


186 બેંકો પતનના આરે


અમેરિકામાં બેંકિંગ સંકટ પર સોશિયલ સાયન્સ ઇ રિસર્ચ નેટવર્ક પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ નવા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વધુ 186 બેંકો પતનની આરે છે. બેંકોની આ સ્થિતિ વ્યાજ દરોમાં વધારા અને જંગી અનઈન્સ્યોર્ડ ડિપોઝીટને કારણે સર્જાઈ છે.સિલિકોન વેલી બેંક જે ઝડપથી પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ તે કલ્પના બહારની વાત છે.  


નાની બેંકોએ ચિંતા વધારી


અમેરિકામાં બેંકિંગ કટોકટી શરૂ થયા બાદ લોકો નાની બેંકોમાંથી પૈસા ઉપાડીને મોટી બેંકોમાં મુકી રહ્યા છે. તેઓ માને છે કે મોટી બેંકોમાં જોખમ ઓછું છે. 2001થી અમેરિકામાં 500થી વધુ બેંકો પડી ભાંગી છે. મોટાભાગના લોકો એ વિચારીને બેંકમાં પૈસા જમા કરાવે છે કે તેમના પૈસા ત્યાં સુરક્ષિત છે. પણ એવું બિલકુલ નથી. અમેરિકામાં જો કોઈ બેંક બેંક ડિફોલ્ટ થાય કે નાદાર થઈ જાય તો ડિપોઝીટરને 2.5 લાખ ડોલર મળે છે. પછી ભલે તમારા કરોડો ડોલર બેંકમાં જમા કેમ ન હોય.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.