અમેરિકામાં વધુ એક બેંક ફડચામાં, સિલિકોન વેલી પછી હવે સિગ્નેચર બેંકને પણ લાગ્યું તાળું


  • Published By :
  • Published Date : 2023-03-13 15:21:34

અમેરિકાની ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેંકને નિયમનકારોએ બંધ કરી દીધી છે. સિલિકોન વેલી બેંક (SIVB.O) બંધ થયાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં તૂટી જનારી તે દેશની બીજી બેંક બની છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) ને રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ નિમણૂકનો અર્થ એ થાય છે કે તે થાપણદારો અને અન્ય કામ માટે આવતા ગ્રાહકોની કાળજી લેશે.


શેરમાં 60 ટકાનો ઘટાડો


ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સની દુનિયામાં સૌથી અગ્રણી ધિરાણકર્તાઓમાંની એક સિલિકોન વેલી બેંક છેલ્લા ઘણા સયમથી સંઘર્ષ કરી રહી હતી. શુક્રવારે યુએસ ફેડરલ સરકારને પગલું ભરવાની ફરજ પડી છે. આંકડાં પરથી જાણવા મળે છે કે મુશ્કેલીમાં મુકાયેલી બેંકના શેરમાં 60 ટકાથી વધુનો ઘટાડો થયો છે.


ડિપોઝીટ અને પ્રોપર્ટી ટ્રાન્સફર


FDIC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે થાપણદારોની સુરક્ષા માટે, FDIC એ સિગ્નેચર બ્રિજ બેંક N.A.ની તમામ ડિપોઝીટ અને સિગ્નેચર બેંકની તમામ પ્રોપર્ટીને પણ ટ્રાન્સફર કરી દીધી છે. સિગ્નેચર બ્રિજ બેંક એ સંપૂર્ણ-સેવા બેંક છે જે હવે FDIC દ્વારા સંચાલિત કરવામાં આવશે. સિગ્નેચર બેંકની ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ઉત્તર કેરોલિના અને નેવાડા સહિત દેશભરમાં 40 શાખાઓ હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.