અમેરિકામાં વધુ એક બેંક ફડચામાં, સિલિકોન વેલી પછી હવે સિગ્નેચર બેંકને પણ લાગ્યું તાળું


  • Published By :
  • Published Date : 2023-03-13 15:21:34

અમેરિકાની ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેંકને નિયમનકારોએ બંધ કરી દીધી છે. સિલિકોન વેલી બેંક (SIVB.O) બંધ થયાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં તૂટી જનારી તે દેશની બીજી બેંક બની છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) ને રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ નિમણૂકનો અર્થ એ થાય છે કે તે થાપણદારો અને અન્ય કામ માટે આવતા ગ્રાહકોની કાળજી લેશે.


શેરમાં 60 ટકાનો ઘટાડો


ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સની દુનિયામાં સૌથી અગ્રણી ધિરાણકર્તાઓમાંની એક સિલિકોન વેલી બેંક છેલ્લા ઘણા સયમથી સંઘર્ષ કરી રહી હતી. શુક્રવારે યુએસ ફેડરલ સરકારને પગલું ભરવાની ફરજ પડી છે. આંકડાં પરથી જાણવા મળે છે કે મુશ્કેલીમાં મુકાયેલી બેંકના શેરમાં 60 ટકાથી વધુનો ઘટાડો થયો છે.


ડિપોઝીટ અને પ્રોપર્ટી ટ્રાન્સફર


FDIC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે થાપણદારોની સુરક્ષા માટે, FDIC એ સિગ્નેચર બ્રિજ બેંક N.A.ની તમામ ડિપોઝીટ અને સિગ્નેચર બેંકની તમામ પ્રોપર્ટીને પણ ટ્રાન્સફર કરી દીધી છે. સિગ્નેચર બ્રિજ બેંક એ સંપૂર્ણ-સેવા બેંક છે જે હવે FDIC દ્વારા સંચાલિત કરવામાં આવશે. સિગ્નેચર બેંકની ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ઉત્તર કેરોલિના અને નેવાડા સહિત દેશભરમાં 40 શાખાઓ હતી. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?