અમેરિકામાં વધુ એક બેંક ફડચામાં, સિલિકોન વેલી પછી હવે સિગ્નેચર બેંકને પણ લાગ્યું તાળું


  • Published By :
  • Published Date : 2023-03-13 15:21:34

અમેરિકાની ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેંકને નિયમનકારોએ બંધ કરી દીધી છે. સિલિકોન વેલી બેંક (SIVB.O) બંધ થયાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં તૂટી જનારી તે દેશની બીજી બેંક બની છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) ને રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ નિમણૂકનો અર્થ એ થાય છે કે તે થાપણદારો અને અન્ય કામ માટે આવતા ગ્રાહકોની કાળજી લેશે.


શેરમાં 60 ટકાનો ઘટાડો


ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સની દુનિયામાં સૌથી અગ્રણી ધિરાણકર્તાઓમાંની એક સિલિકોન વેલી બેંક છેલ્લા ઘણા સયમથી સંઘર્ષ કરી રહી હતી. શુક્રવારે યુએસ ફેડરલ સરકારને પગલું ભરવાની ફરજ પડી છે. આંકડાં પરથી જાણવા મળે છે કે મુશ્કેલીમાં મુકાયેલી બેંકના શેરમાં 60 ટકાથી વધુનો ઘટાડો થયો છે.


ડિપોઝીટ અને પ્રોપર્ટી ટ્રાન્સફર


FDIC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે થાપણદારોની સુરક્ષા માટે, FDIC એ સિગ્નેચર બ્રિજ બેંક N.A.ની તમામ ડિપોઝીટ અને સિગ્નેચર બેંકની તમામ પ્રોપર્ટીને પણ ટ્રાન્સફર કરી દીધી છે. સિગ્નેચર બ્રિજ બેંક એ સંપૂર્ણ-સેવા બેંક છે જે હવે FDIC દ્વારા સંચાલિત કરવામાં આવશે. સિગ્નેચર બેંકની ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ઉત્તર કેરોલિના અને નેવાડા સહિત દેશભરમાં 40 શાખાઓ હતી. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.