અમેરિકામાં વધુ એક બેંક ફડચામાં, સિલિકોન વેલી પછી હવે સિગ્નેચર બેંકને પણ લાગ્યું તાળું


  • Published By :
  • Published Date : 2023-03-13 15:21:34

અમેરિકાની ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેંકને નિયમનકારોએ બંધ કરી દીધી છે. સિલિકોન વેલી બેંક (SIVB.O) બંધ થયાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં તૂટી જનારી તે દેશની બીજી બેંક બની છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) ને રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ નિમણૂકનો અર્થ એ થાય છે કે તે થાપણદારો અને અન્ય કામ માટે આવતા ગ્રાહકોની કાળજી લેશે.


શેરમાં 60 ટકાનો ઘટાડો


ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સની દુનિયામાં સૌથી અગ્રણી ધિરાણકર્તાઓમાંની એક સિલિકોન વેલી બેંક છેલ્લા ઘણા સયમથી સંઘર્ષ કરી રહી હતી. શુક્રવારે યુએસ ફેડરલ સરકારને પગલું ભરવાની ફરજ પડી છે. આંકડાં પરથી જાણવા મળે છે કે મુશ્કેલીમાં મુકાયેલી બેંકના શેરમાં 60 ટકાથી વધુનો ઘટાડો થયો છે.


ડિપોઝીટ અને પ્રોપર્ટી ટ્રાન્સફર


FDIC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે થાપણદારોની સુરક્ષા માટે, FDIC એ સિગ્નેચર બ્રિજ બેંક N.A.ની તમામ ડિપોઝીટ અને સિગ્નેચર બેંકની તમામ પ્રોપર્ટીને પણ ટ્રાન્સફર કરી દીધી છે. સિગ્નેચર બ્રિજ બેંક એ સંપૂર્ણ-સેવા બેંક છે જે હવે FDIC દ્વારા સંચાલિત કરવામાં આવશે. સિગ્નેચર બેંકની ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ઉત્તર કેરોલિના અને નેવાડા સહિત દેશભરમાં 40 શાખાઓ હતી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .