ડોનાલ્ડ ટ્રમ્પની હુતી બળવાખોરો સામે લાલ આંખ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-18 12:39:05

ઈરાન સમર્થિત યમનના હુતી  બળવાખોરોએ એક જાણકારી આપી છે કે , તેમણે યુએસના નૌકા દળ પર ફરી એક વાર અટેક કર્યો છે . આપને જણાવી દયિકે , થોડા સમય પેહલા યુએસએ યમનમાં હુતી બળવાખોરોના ઘણા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી જેમાં ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા હતા . આજે આપણે જોઈશું કે કોણ છે આ યમનના હુતી બળવાખોરો અને કેમ તેમનું વલણ અમેરિકા અને ઇઝરાયેલ માટે આકરું છે ? થોડા સમય પેહલા યુએસએ હુતી બળવાખોરો પર સરપ્રાઈઝ અટેક લોન્ચ કર્યો જેમાં તેમના ૩૧ લોકોના મોત થયા અને ૧૦૧ લોકો ઘાયલ થયા હતા . આ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતે આખા યુએસ નેવીના ઓપેરેશન દરમ્યાન વોચ રાખી હતી .

Donald Trump - Wikipedia

પ્લેટફોર્મ X પર ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરતા લખ્યું છે કે , " આજે મેં આ હુતી  બળવાખોરો પર યમનમાં અટેક કરવા માટે આદેશ આપ્યો હતો . તેમનો સમય હવે પૂરો થઈ ચુક્યો છે . તેઓ અમેરિકાની વિરુદ્ધમાં સતત લૂંટ , હિંસા અને ચાંચિયાગીરી કરી રહ્યા હતા . આ એક્શન યુએસ દ્વારા એટલે લેવામાં આવ્યા છે કેમ કે , સુએઝ કેનાલ , રાતા સમુદ્ર અને ગલ્ફ ઓફ એડનમાંથી વ્યાપારી જહાજો શાંતિથી પસાર થઈ શકે . આ મામલે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન નબળા પડ્યા હતા . " તેમણે આ ટ્વીટમાં ઈરાનને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે ," તમારું હુતી બળવાખોરોને સમર્થન તરત જ અટકાવી દો . અમેરિકન લોકો , રાષ્ટ્રપતિ કે જેમને ઇતિહાસમાં સૌથી મજબૂત જનાદેશ મળ્યો છે સાથેજ વૈશ્વિક જળમાર્ગો પર કોઈ પણ રીતનું જોખમ ઉભું ના  કરો  . જો હજી તમે ના અટક્યા તો અમેરિકા તમને સંપૂર્ણ રીતે જવાબદાર ગણશે. " 

સૌથી રસપ્રદ બાબત એ છે કે , ઈરાને આ વખતે હુતી બળવાખોરોથી છેડો ફાડી લીધો છે . સાથે જ હુતી  બળવાખોરોને મદદ કરવાની વાત પણ નકારી દીધી છે .  યમન પશ્ચિમ એશિયાનો એક એવો દેશ જે પાછલા ઘણા વર્ષોથી અશાંત છે કેમ કે ત્યાંના કેટલાક ભાગો પર ઈરાન સમર્થિત શિયા  બળવાખોરો હુતી સંગઠનનું રાજ છે . ૨૦૨૩નું વર્ષ તેમાં ઓક્ટોબરની  ૭ તારીખ જ્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ શરુ થયું છે તે પછી વેસ્ટ એશિયામાં અશાંતિ વધી છે . જોકે ઇઝરાયેલએ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ અને હમાસના ચીફ યાહ્યા સીનવારની હત્યા પછી ઈરાન નબળું પડ્યું છે . આ સાથે જ સીરિયામાં ડિસેમ્બર , ૨૦૨૪માં બશર અલ અસદના શાસનનો પણ અંત આવ્યો જેને ઈરાનનું ભરપૂર સમર્થન હતું . હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં એક જ એવું આતંકવાદી સંગઠન છે જેનું નામ છે હુતી બળવાખોર તેના હુમલાઓ રાતા સમુદ્રમાં યુએસ અને પશ્ચિમી દેશોના જહાજો પર ચાલુ છે . આટલુંજ નથી , હુતી બળવાખોરોએ તો છેક યમનથી ૨૦૦૦ કિમી દૂર ઇઝરાયેલ પર બેલીસ્ટીક મિસાઇલોથી હુમલો કરતા રહ્યા છે . 

તો આપણે જાણીશું કે કેમ હુથી બળવાખોરોનું પશ્ચિમ એશિયામાં પ્રભુત્વ યથાવત છે . પહેલું તેમની પાસે ઈરાનનું સમર્થન છે . ઈરાન આ હુતી બળવાખોરોને તમામ હથિયાર , લોજિસ્ટિક્સ , ડ્રોન્સ આપે છે . આ પેહલી વાર નથી કે , રાતા સમુદ્રના જળમાર્ગને સુરક્ષિત કરવા યુએસએ સ્ટ્રાઇક કરવી પડી છે . આ અગાઉ ઓપરેશન પોસેઇડોન આર્ચર , જાન્યુઆરી ૨૦૨૪ , ઓપરેશન પ્રોસપરીટી ગાર્ડિઅન ડિસેમ્બર ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું .તેમ છતાં હુતી બળવાખોરોએ બબ- અલ- મંદાબ નામની સમુદ્રધુનીમાં હુમલાઓ ચાલુ રાખ્યા હતા .    આટલુંજ નહિ હુથી બળવાખોરોએ ૨૦૧૯માં સાઉદી અરેબિયામાં અરામ્કો કંપનીના તેલના કુવાઓ પર ડ્રોનથી હુમલો કર્યો હતો . અહીં એક મહત્વની વાત એ છે કે , સાઉદી અરેબિયા અને યુએઈ હવે હુતી બળવાખોરોની વિરુદ્ધના કોઈ પણ ઓપરેશનમાં ભાગ નથી ભજવી રહ્યા . કેમ કે આ બેઉ દેશો હાલમાં પોતાના અર્થતંત્રને મજબૂત કરવામાં લાગેલા છે . તે માટે તેઓ રોકાણને આકર્ષી  રહ્યા છે . માટે કોઈ પણ લશ્કરી ગતિવિધિ સાઉદી અરેબિયા અને યુએઈને મળતા રોકાણને નુકશાન કરી શકે છે . બીજી તરફ સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સબંધો સામાન્ય થવા લાગ્યા છે . ૨૦૨૩માં ચાઈનાની અધ્યક્ષતામાં બેઉ દેશોએ કરારો કર્યા હતા . તેનો ખુલ્લો લાભ હવે હુતી  બળવાખોરો ઉપાડી રહ્યા છે .હવે હુથી બળવાખોરો માત્ર અમેરિકા અને પશ્ચિમી દેશોને નિશાન બનાવી રહ્યા છે .  તો હવે જોઈએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં સુધી હુતી બળવાખોરોને અટકાવી શકે છે .           



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.