અમેરિકા ભયાનક હિમ તોફાનની ઝપેટમાં, 1400થી વધુ ફ્લાઈટ રદ્દ, અનેક રાજ્યોમાં અંધારપટ


  • Published By :
  • Published Date : 2023-02-23 17:06:03

અમેરિકામાં ફરી હિમ તોફાન ત્રાટક્યું છે, દેશના પશ્ચિમ અને મધ્ય ભાગના રાજ્યોને આ બરફના તોફાને ધમરોળ્યા છે. અમેરિકામાં આ હિમપ્રપાતથી સ્થિતી એટલી ભયાનક બની છે કે વિવિધ એરલાઈન્સની 1,300થી વઘુ ફ્લાઈટ રદ્દ જ્યારે 2,000 હજારથી પણ વધુ ફ્લાઈટ મોડી થઈ છે. ખરાબ હવામાનના કારણે ગ્રેટ લેક્સ અને દક્ષિણના મેદાનોના મિનેસોટા અને અન્ય રાજ્યોમાં મોડી કે રદ્દ થઈ છે. દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાકે બે ઈંચ જેટલી હિમવર્ષા થઈ છે.


માર્ગો પર બરફ છવાયો


અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં ભયાનક બરફવર્ષાના કારણે માર્ગો પર બરફના થર જામી ગયા છે. સર્વત્ર બરફ છવાઈ જવાથી માર્ગો પર વાહન વ્યહાર થોભી ગયો છે. સુસવાટા મારતા પવનો અને હિમવર્ષાએ લોકોની હાલત ખરાબ  કરી નાખી છે. રાહત અને બચાવ કામગીરીમાં પણ વિક્ષેપ આવી રહ્યો છે.  


વીજ પુરવઠો ખોરવાયો


કેલિફોર્નિયામાં જોરદાર પવન ફુંકાતા વિજળીના તાર તુટી ગયા છે, જેના કારણે 65 હજારથી પણ વધુ લોકોને અંધારપટ હેઠળ રાત પસાર કરવી પડી હતી. દેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતી એટલી ખરાબ છે કે 1989 બાદ પહેલી વખત લોસ એન્જલસ, વેંટ્યૂરા અને સાંતા બાર્બરામાં હિમ તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે