અમેરિકા ભયાનક હિમ તોફાનની ઝપેટમાં, 1400થી વધુ ફ્લાઈટ રદ્દ, અનેક રાજ્યોમાં અંધારપટ


  • Published By :
  • Published Date : 2023-02-23 17:06:03

અમેરિકામાં ફરી હિમ તોફાન ત્રાટક્યું છે, દેશના પશ્ચિમ અને મધ્ય ભાગના રાજ્યોને આ બરફના તોફાને ધમરોળ્યા છે. અમેરિકામાં આ હિમપ્રપાતથી સ્થિતી એટલી ભયાનક બની છે કે વિવિધ એરલાઈન્સની 1,300થી વઘુ ફ્લાઈટ રદ્દ જ્યારે 2,000 હજારથી પણ વધુ ફ્લાઈટ મોડી થઈ છે. ખરાબ હવામાનના કારણે ગ્રેટ લેક્સ અને દક્ષિણના મેદાનોના મિનેસોટા અને અન્ય રાજ્યોમાં મોડી કે રદ્દ થઈ છે. દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાકે બે ઈંચ જેટલી હિમવર્ષા થઈ છે.


માર્ગો પર બરફ છવાયો


અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં ભયાનક બરફવર્ષાના કારણે માર્ગો પર બરફના થર જામી ગયા છે. સર્વત્ર બરફ છવાઈ જવાથી માર્ગો પર વાહન વ્યહાર થોભી ગયો છે. સુસવાટા મારતા પવનો અને હિમવર્ષાએ લોકોની હાલત ખરાબ  કરી નાખી છે. રાહત અને બચાવ કામગીરીમાં પણ વિક્ષેપ આવી રહ્યો છે.  


વીજ પુરવઠો ખોરવાયો


કેલિફોર્નિયામાં જોરદાર પવન ફુંકાતા વિજળીના તાર તુટી ગયા છે, જેના કારણે 65 હજારથી પણ વધુ લોકોને અંધારપટ હેઠળ રાત પસાર કરવી પડી હતી. દેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતી એટલી ખરાબ છે કે 1989 બાદ પહેલી વખત લોસ એન્જલસ, વેંટ્યૂરા અને સાંતા બાર્બરામાં હિમ તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .