અમેરિકા ભયાનક હિમ તોફાનની ઝપેટમાં, 1400થી વધુ ફ્લાઈટ રદ્દ, અનેક રાજ્યોમાં અંધારપટ


  • Published By :
  • Published Date : 2023-02-23 17:06:03

અમેરિકામાં ફરી હિમ તોફાન ત્રાટક્યું છે, દેશના પશ્ચિમ અને મધ્ય ભાગના રાજ્યોને આ બરફના તોફાને ધમરોળ્યા છે. અમેરિકામાં આ હિમપ્રપાતથી સ્થિતી એટલી ભયાનક બની છે કે વિવિધ એરલાઈન્સની 1,300થી વઘુ ફ્લાઈટ રદ્દ જ્યારે 2,000 હજારથી પણ વધુ ફ્લાઈટ મોડી થઈ છે. ખરાબ હવામાનના કારણે ગ્રેટ લેક્સ અને દક્ષિણના મેદાનોના મિનેસોટા અને અન્ય રાજ્યોમાં મોડી કે રદ્દ થઈ છે. દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાકે બે ઈંચ જેટલી હિમવર્ષા થઈ છે.


માર્ગો પર બરફ છવાયો


અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં ભયાનક બરફવર્ષાના કારણે માર્ગો પર બરફના થર જામી ગયા છે. સર્વત્ર બરફ છવાઈ જવાથી માર્ગો પર વાહન વ્યહાર થોભી ગયો છે. સુસવાટા મારતા પવનો અને હિમવર્ષાએ લોકોની હાલત ખરાબ  કરી નાખી છે. રાહત અને બચાવ કામગીરીમાં પણ વિક્ષેપ આવી રહ્યો છે.  


વીજ પુરવઠો ખોરવાયો


કેલિફોર્નિયામાં જોરદાર પવન ફુંકાતા વિજળીના તાર તુટી ગયા છે, જેના કારણે 65 હજારથી પણ વધુ લોકોને અંધારપટ હેઠળ રાત પસાર કરવી પડી હતી. દેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતી એટલી ખરાબ છે કે 1989 બાદ પહેલી વખત લોસ એન્જલસ, વેંટ્યૂરા અને સાંતા બાર્બરામાં હિમ તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.