અમેરિકા ભયાનક હિમ તોફાનની ઝપેટમાં, 1400થી વધુ ફ્લાઈટ રદ્દ, અનેક રાજ્યોમાં અંધારપટ


  • Published By :
  • Published Date : 2023-02-23 17:06:03

અમેરિકામાં ફરી હિમ તોફાન ત્રાટક્યું છે, દેશના પશ્ચિમ અને મધ્ય ભાગના રાજ્યોને આ બરફના તોફાને ધમરોળ્યા છે. અમેરિકામાં આ હિમપ્રપાતથી સ્થિતી એટલી ભયાનક બની છે કે વિવિધ એરલાઈન્સની 1,300થી વઘુ ફ્લાઈટ રદ્દ જ્યારે 2,000 હજારથી પણ વધુ ફ્લાઈટ મોડી થઈ છે. ખરાબ હવામાનના કારણે ગ્રેટ લેક્સ અને દક્ષિણના મેદાનોના મિનેસોટા અને અન્ય રાજ્યોમાં મોડી કે રદ્દ થઈ છે. દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાકે બે ઈંચ જેટલી હિમવર્ષા થઈ છે.


માર્ગો પર બરફ છવાયો


અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં ભયાનક બરફવર્ષાના કારણે માર્ગો પર બરફના થર જામી ગયા છે. સર્વત્ર બરફ છવાઈ જવાથી માર્ગો પર વાહન વ્યહાર થોભી ગયો છે. સુસવાટા મારતા પવનો અને હિમવર્ષાએ લોકોની હાલત ખરાબ  કરી નાખી છે. રાહત અને બચાવ કામગીરીમાં પણ વિક્ષેપ આવી રહ્યો છે.  


વીજ પુરવઠો ખોરવાયો


કેલિફોર્નિયામાં જોરદાર પવન ફુંકાતા વિજળીના તાર તુટી ગયા છે, જેના કારણે 65 હજારથી પણ વધુ લોકોને અંધારપટ હેઠળ રાત પસાર કરવી પડી હતી. દેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતી એટલી ખરાબ છે કે 1989 બાદ પહેલી વખત લોસ એન્જલસ, વેંટ્યૂરા અને સાંતા બાર્બરામાં હિમ તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.