સોશિયલ મીડિયા પર યુઝર્સે પૂછ્યા રેલવે મંત્રીને સવાલ, ઓડિશા ટ્રેન દુર્ઘટના વખતે ક્યાં ગયું 'કવચ'? અશ્વિની વૈષ્ણવનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-06-03 16:42:18

ઓડિશામાં રેલ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માત ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક વીડિયો તેમજ આ ઘટના અંગેની અપડેટ સતત મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત કવચ સિસ્ટમને લઈને પણ યુઝર્સ પ્રશ્નો પૂછી રહ્યા છે. મંત્રીને સીધા સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં ગયા  સુરક્ષા કવચને લઈ કરવામાં આવેલા દાવા? તે સિવાય સોશિયલ મીડિયા પર પોસ્ટર માસ્ટર # પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

  

યુઝર્સ પૂછી રહ્યા છે ક્યાં ગઈ કવચ સુરક્ષા સિસ્ટમ?

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રસિદ્ધિ પણ જલ્દીથી મળે છે તો ટ્રોલ પણ જલ્દી થવાય છે. ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનામાં 200થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હવેથી રેલ અકસ્માત નહીં થાય, કવચ તેમને રોકી દેશે. ત્યારે આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને લઈ અનેક યુઝર્સ મંત્રીને સીધા પ્રશ્નો પૂછી રહ્યા છે કે જ્યારે ઓડિશામાં રેલ દુર્ઘટના સર્જાઈ ત્યારે કવચ ક્યાં હતું? હવે જાણીએ જે કવચની આટલી બધી વાત થઈ રહી છે તે શું છે? 

Image

શું છે કવચ જેની થઈ રહી છે ચર્ચા? 

રેલવેમાં થતાં અકસ્માતને રોકવા ભારતીય રેલવેએ કવચ નામની એક સુરક્ષા સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું હતું. એવો દાવો કરવામાં  આવ્યો હતો કે આ એક એવી સિસ્ટમ હતી જેનાંથી અકસ્માતને રોકી શકાય છે. જો બે ટ્રેન આમને સામને આવી ગઈ તો આ સિસ્ટમને કારણે ટ્રેન અનેક મીટર દૂર જ ઉભી રહી જશે જેને કારણે અકસ્માત અટકી જશે. આ સિસ્ટમનું જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અશ્વિની વૈષ્ણવ પોતે ટ્રેનમાં સવાર હતા. તે વખતે આ પરીક્ષણ સફળ થયું હતું. તે સમયે કવચ સિસ્ટમને લઈને જે દાવો કરવામાં આવ્યો હતો તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે મમતા બેનર્જીએ પણ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.