સોશિયલ મીડિયા પર યુઝર્સે પૂછ્યા રેલવે મંત્રીને સવાલ, ઓડિશા ટ્રેન દુર્ઘટના વખતે ક્યાં ગયું 'કવચ'? અશ્વિની વૈષ્ણવનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-06-03 16:42:18

ઓડિશામાં રેલ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માત ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક વીડિયો તેમજ આ ઘટના અંગેની અપડેટ સતત મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત કવચ સિસ્ટમને લઈને પણ યુઝર્સ પ્રશ્નો પૂછી રહ્યા છે. મંત્રીને સીધા સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં ગયા  સુરક્ષા કવચને લઈ કરવામાં આવેલા દાવા? તે સિવાય સોશિયલ મીડિયા પર પોસ્ટર માસ્ટર # પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

  

યુઝર્સ પૂછી રહ્યા છે ક્યાં ગઈ કવચ સુરક્ષા સિસ્ટમ?

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રસિદ્ધિ પણ જલ્દીથી મળે છે તો ટ્રોલ પણ જલ્દી થવાય છે. ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનામાં 200થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હવેથી રેલ અકસ્માત નહીં થાય, કવચ તેમને રોકી દેશે. ત્યારે આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને લઈ અનેક યુઝર્સ મંત્રીને સીધા પ્રશ્નો પૂછી રહ્યા છે કે જ્યારે ઓડિશામાં રેલ દુર્ઘટના સર્જાઈ ત્યારે કવચ ક્યાં હતું? હવે જાણીએ જે કવચની આટલી બધી વાત થઈ રહી છે તે શું છે? 

Image

શું છે કવચ જેની થઈ રહી છે ચર્ચા? 

રેલવેમાં થતાં અકસ્માતને રોકવા ભારતીય રેલવેએ કવચ નામની એક સુરક્ષા સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું હતું. એવો દાવો કરવામાં  આવ્યો હતો કે આ એક એવી સિસ્ટમ હતી જેનાંથી અકસ્માતને રોકી શકાય છે. જો બે ટ્રેન આમને સામને આવી ગઈ તો આ સિસ્ટમને કારણે ટ્રેન અનેક મીટર દૂર જ ઉભી રહી જશે જેને કારણે અકસ્માત અટકી જશે. આ સિસ્ટમનું જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અશ્વિની વૈષ્ણવ પોતે ટ્રેનમાં સવાર હતા. તે વખતે આ પરીક્ષણ સફળ થયું હતું. તે સમયે કવચ સિસ્ટમને લઈને જે દાવો કરવામાં આવ્યો હતો તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે મમતા બેનર્જીએ પણ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.