સોશિયલ મીડિયા પર યુઝર્સે પૂછ્યા રેલવે મંત્રીને સવાલ, ઓડિશા ટ્રેન દુર્ઘટના વખતે ક્યાં ગયું 'કવચ'? અશ્વિની વૈષ્ણવનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-06-03 16:42:18

ઓડિશામાં રેલ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માત ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક વીડિયો તેમજ આ ઘટના અંગેની અપડેટ સતત મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત કવચ સિસ્ટમને લઈને પણ યુઝર્સ પ્રશ્નો પૂછી રહ્યા છે. મંત્રીને સીધા સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં ગયા  સુરક્ષા કવચને લઈ કરવામાં આવેલા દાવા? તે સિવાય સોશિયલ મીડિયા પર પોસ્ટર માસ્ટર # પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

  

યુઝર્સ પૂછી રહ્યા છે ક્યાં ગઈ કવચ સુરક્ષા સિસ્ટમ?

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રસિદ્ધિ પણ જલ્દીથી મળે છે તો ટ્રોલ પણ જલ્દી થવાય છે. ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનામાં 200થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હવેથી રેલ અકસ્માત નહીં થાય, કવચ તેમને રોકી દેશે. ત્યારે આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને લઈ અનેક યુઝર્સ મંત્રીને સીધા પ્રશ્નો પૂછી રહ્યા છે કે જ્યારે ઓડિશામાં રેલ દુર્ઘટના સર્જાઈ ત્યારે કવચ ક્યાં હતું? હવે જાણીએ જે કવચની આટલી બધી વાત થઈ રહી છે તે શું છે? 

Image

શું છે કવચ જેની થઈ રહી છે ચર્ચા? 

રેલવેમાં થતાં અકસ્માતને રોકવા ભારતીય રેલવેએ કવચ નામની એક સુરક્ષા સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું હતું. એવો દાવો કરવામાં  આવ્યો હતો કે આ એક એવી સિસ્ટમ હતી જેનાંથી અકસ્માતને રોકી શકાય છે. જો બે ટ્રેન આમને સામને આવી ગઈ તો આ સિસ્ટમને કારણે ટ્રેન અનેક મીટર દૂર જ ઉભી રહી જશે જેને કારણે અકસ્માત અટકી જશે. આ સિસ્ટમનું જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અશ્વિની વૈષ્ણવ પોતે ટ્રેનમાં સવાર હતા. તે વખતે આ પરીક્ષણ સફળ થયું હતું. તે સમયે કવચ સિસ્ટમને લઈને જે દાવો કરવામાં આવ્યો હતો તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે મમતા બેનર્જીએ પણ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.