Rajkot Game Zone મામલે વજુભાઈ વાળાનું નિવેદન, આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, તટસ્થ તપાસ થવી જ જોઈએ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-31 15:40:01

રાજકોટમાં બનેલી દૂર્ઘટનાને અગ્નિકાંડ કહેવું કે હત્યાકાંડ એ જ સમજાતું નથી.. એકસાથે 28 લોકો જીવતા આગમાં હોમાય ગયા.. પરિવારજનોની આંખમાં આંસુ સુકાયા નથી... ન્યાયની આશા છે તમામ લોકોને... જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા સૌ કોઈ માંગ કરી રહ્યું છે... લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે... ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ એકવાર આક્રોશ વ્યક્ત કર્યો છે... રુપિયા વગર કોઈ કામ થતું નથી તેવુ કહી અધિકારીરાજ પર ગુસ્સે થયા છે.. 


બાબુરાજ અધિકારી રાજ સામે વ્યક્ત કર્યો રોષ

શનિવારે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે અનેક પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભાજપના અનેક નેતાઓની આ ઘટના બાદ પ્રતિક્રિયા સામે આવી છે. થોડા સમય પહેલા ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની પ્રતિક્રિયા સામે આવી હતી ત્યારે હવે આ અગ્નિકાંડને લઈ વજૂભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે.. એક ખાનગી ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં વજુભાઈ વાળાએ પ્રશાસન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. બાબુરાજ અધિકારી રાજ સામે રોષ વ્યક્ત કર્યો છે...  સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારે માજા મુકી હોવાના આરોપ સાથે રુપિયા આપ્યા વગર સરકારી કચેરીમાં કામ ન થતા હોવાનો પણ આરોપ લગાવ્યો... સામાન્ય નાગરિક પરેશાન હોવાની પણ વાત કરી... 



પ્રતિક્રિયા આપતા વજુભાઈ વાળાએ શું કહ્યું? 

અગ્નિકાંડમાં કોઈને છાવરવામાં ન આવે અને જવાબદાર સામે કાર્યવાહી થવી જ જોઈએ તેવો સ્પષ્ટ મત તેમણે વ્યક્ત કર્યો છે... આક્રોશ વ્યક્ત કરતા વજુભાઈએ કહ્યું છે કે,

તપાસ કરે ઈ મહત્વની વાત નથી. તપાસની અંદર જે મુદ્દા નીકળે તેની સામે કડક હાથે કાર્યવાહી કરે એ જ મહત્વની વાત છે.. તપાસ તો અત્યાર સુધીમાં અનેક જગ્યાએ અનેક પ્રકારની તપાસ થઈ છે.. પણ તપાસ પછી કાર્યવાહી શું કરી અને કાર્યવાહીનું પરિણામ શું આવ્યું ઈ મહત્વની વાત છે..  શું ભ્રષ્ટ અધિકારીઓ જેલ ભેગા થશે ખરા આ સવાલના જવાબમાં અધિકારીઓ નિર્દોષ હોય તો એની  સામે કાર્યવાહી ન કરવી જોઈએ જો અધિકારીઓ દોષિત હોય અને આની અંદર સંકળાયેલા હોય તો અધિકારી સામે પણ કાર્યવાહી કરવી જોઈ, કરવી જોઈ અને કરવી જોઈ... 



શું દિવસે અને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે... 

દિવસે દિવસે જે ઓફિસરો છે ને એ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. અત્યારે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં જાવ તો એક જ વાત હશે કે રુપિયા આપો તો જ તમારુ કામ થાય. રુપિયા નો આપો તો ચૂંટાયેલા લોકોને પણ આ ઓફિસરો દાદ દેતા નથી... કારણ કે એડમિનિસ્ટ્રેશન માટેની સર્વ સત્તા આ કર્મચારીઓના જ હાથમાં છે. અને એકપણ કર્મચારી જો તમે કોર્પોરેશનમાં જઈને જોશો તો રુપિયા આપ્યા વગર ક્યાંય કામ થાતું નથી.. ફક્ત આ નહીં તમે ગમે ત્યાં જાવ તો કર્મચારી વર્ગ એટલો બધો ફૂલ્યો ફાલ્યો છે કે જેને કોઈની બીક નથી. અને કોઈ જાતના રોક-ટોક વગર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. 


ભ્રષ્ટાચાર, બેદરકારી, દૂર્ઘટના ન થાય એના માટે આપણે સૌ શું કરી શકીએ.. 

જો ભાઈ, કોર્પોરેશનમાં અંદર દરેક વોર્ડમાં એક અધિકારી હોય છે જેને આખા કોર્પોરેશનનું ધ્યાન રાખવાનું હોય છે. કોર્પોરેશનમાં કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયા છે. એ ગેરકાયદે બાંધકામ અધિકારીની રહેમરાહે અથવા તો એની મીઠી નજર હેઠળ જ થતા હોય છે. અને જે લોકો મીઠી નજરમાં ન આવે ઈ લોકોએ બાંધકામ કે મકાન કાયદેસર કાર્યવાહી અંતર્ગત દૂર કરવું પડે છે. આ બધા અધિકારીઓ છે ને એને સીધા કરવાની જરુર છે. કે તમારુ કર્તવ્ય અને તમારી ફરજ બજાવો, ગમે ઈ માણસ ગેરકાયદે કામ કરતો હોય તેને અટકાવો. દરેક વોર્ડની અંદર ક્યાં વિભાગની અંદર ગેરકાયદે કામ થાય છે તે અધિકારીઓને ખબર હોય જ છે... એની સામે કાર્યવાહી કરવી જોઈએ..


રાજ્યસભાના સાંસદ રામમોકરિયાને વર્ષો પહેલા 70 હજાર રુપિયા આપવા પડ્યા હતા. આ કેટલું ઘાતક આ સવાલના જવાબમાં વજુભાઈ કહે છે, 

 

કોઈપણ માણસ છેને, કોઈ માણસ કરપ્શનના પૈસા લ્યે કે કરપ્શનના પૈસા આપવા પડે એવી પરિસ્થિતિ હોવી ન જોઈએ. આની અંદર કોર્પોરેશનને કે સરકારી અધિકારીને પૈસા આપનાર પ્રજાના પ્રતિનિધીએ સાત વાર વિચાર કરીને પૈસા આપવા જોઈએ.... ગમે એવા કામ હોય ચૂંટાયેલા લોકોએ અધિકારીઓને કે કર્મચારીઓને એક રુપિયો પણ આપવો ન જોઈએ... જો ભાઈ ઘણીવાર જે માણસો ધંધો કરતા હોય છેને એને એમ થાય કે ધંધાની અંદર આ લોકો કોઈક વાંધો કાઢશે અને એ વાંધો અમારો પાંચ વર્ષ ચાલશે એના બદલે જે આપવાનું છે એ આપી દ્યો અને પુરુ કરો ઈ આપવા વાળાની 101 ટકા નબળાઈ કહેવાય.,


અગ્નિકાંડમાં ખરેખર ન્યાય થશે અને કસુવારોને સજા કોર્ટે આપે એવા પુરાવા રજુ કરાશે તેના પર તમને કેટલો ભરોસો.. 

અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે. અને અધિકારીઓની જે પુછપરછ થઈ રહી છે તેની સામે આપણે નથી કહેતા કે તમામ નિર્દોષ હોય તેને પણ સજા થવી જોઈએ. પણ એની અંદર જેની જવાબદારી છે અને જવાબદારી નિભાવી નથી એવા લોકો દોષિત હોય તો એની સામે કામ કરવું જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી ગુજરાતના તમામ અધિકારીઓ સચેત રહે અને પોતાની જવાબદારી પ્રત્યે પુરેપુરી કાર્યવાહી કરે. ભાજપના અનેક નેતાઓ અવાજ ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે..  



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.