Rajkot Game Zone મામલે વજુભાઈ વાળાનું નિવેદન, આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, તટસ્થ તપાસ થવી જ જોઈએ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-31 15:40:01

રાજકોટમાં બનેલી દૂર્ઘટનાને અગ્નિકાંડ કહેવું કે હત્યાકાંડ એ જ સમજાતું નથી.. એકસાથે 28 લોકો જીવતા આગમાં હોમાય ગયા.. પરિવારજનોની આંખમાં આંસુ સુકાયા નથી... ન્યાયની આશા છે તમામ લોકોને... જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા સૌ કોઈ માંગ કરી રહ્યું છે... લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે... ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ એકવાર આક્રોશ વ્યક્ત કર્યો છે... રુપિયા વગર કોઈ કામ થતું નથી તેવુ કહી અધિકારીરાજ પર ગુસ્સે થયા છે.. 


બાબુરાજ અધિકારી રાજ સામે વ્યક્ત કર્યો રોષ

શનિવારે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે અનેક પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભાજપના અનેક નેતાઓની આ ઘટના બાદ પ્રતિક્રિયા સામે આવી છે. થોડા સમય પહેલા ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની પ્રતિક્રિયા સામે આવી હતી ત્યારે હવે આ અગ્નિકાંડને લઈ વજૂભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે.. એક ખાનગી ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં વજુભાઈ વાળાએ પ્રશાસન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. બાબુરાજ અધિકારી રાજ સામે રોષ વ્યક્ત કર્યો છે...  સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારે માજા મુકી હોવાના આરોપ સાથે રુપિયા આપ્યા વગર સરકારી કચેરીમાં કામ ન થતા હોવાનો પણ આરોપ લગાવ્યો... સામાન્ય નાગરિક પરેશાન હોવાની પણ વાત કરી... 



પ્રતિક્રિયા આપતા વજુભાઈ વાળાએ શું કહ્યું? 

અગ્નિકાંડમાં કોઈને છાવરવામાં ન આવે અને જવાબદાર સામે કાર્યવાહી થવી જ જોઈએ તેવો સ્પષ્ટ મત તેમણે વ્યક્ત કર્યો છે... આક્રોશ વ્યક્ત કરતા વજુભાઈએ કહ્યું છે કે,

તપાસ કરે ઈ મહત્વની વાત નથી. તપાસની અંદર જે મુદ્દા નીકળે તેની સામે કડક હાથે કાર્યવાહી કરે એ જ મહત્વની વાત છે.. તપાસ તો અત્યાર સુધીમાં અનેક જગ્યાએ અનેક પ્રકારની તપાસ થઈ છે.. પણ તપાસ પછી કાર્યવાહી શું કરી અને કાર્યવાહીનું પરિણામ શું આવ્યું ઈ મહત્વની વાત છે..  શું ભ્રષ્ટ અધિકારીઓ જેલ ભેગા થશે ખરા આ સવાલના જવાબમાં અધિકારીઓ નિર્દોષ હોય તો એની  સામે કાર્યવાહી ન કરવી જોઈએ જો અધિકારીઓ દોષિત હોય અને આની અંદર સંકળાયેલા હોય તો અધિકારી સામે પણ કાર્યવાહી કરવી જોઈ, કરવી જોઈ અને કરવી જોઈ... 



શું દિવસે અને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે... 

દિવસે દિવસે જે ઓફિસરો છે ને એ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. અત્યારે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં જાવ તો એક જ વાત હશે કે રુપિયા આપો તો જ તમારુ કામ થાય. રુપિયા નો આપો તો ચૂંટાયેલા લોકોને પણ આ ઓફિસરો દાદ દેતા નથી... કારણ કે એડમિનિસ્ટ્રેશન માટેની સર્વ સત્તા આ કર્મચારીઓના જ હાથમાં છે. અને એકપણ કર્મચારી જો તમે કોર્પોરેશનમાં જઈને જોશો તો રુપિયા આપ્યા વગર ક્યાંય કામ થાતું નથી.. ફક્ત આ નહીં તમે ગમે ત્યાં જાવ તો કર્મચારી વર્ગ એટલો બધો ફૂલ્યો ફાલ્યો છે કે જેને કોઈની બીક નથી. અને કોઈ જાતના રોક-ટોક વગર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. 


ભ્રષ્ટાચાર, બેદરકારી, દૂર્ઘટના ન થાય એના માટે આપણે સૌ શું કરી શકીએ.. 

જો ભાઈ, કોર્પોરેશનમાં અંદર દરેક વોર્ડમાં એક અધિકારી હોય છે જેને આખા કોર્પોરેશનનું ધ્યાન રાખવાનું હોય છે. કોર્પોરેશનમાં કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયા છે. એ ગેરકાયદે બાંધકામ અધિકારીની રહેમરાહે અથવા તો એની મીઠી નજર હેઠળ જ થતા હોય છે. અને જે લોકો મીઠી નજરમાં ન આવે ઈ લોકોએ બાંધકામ કે મકાન કાયદેસર કાર્યવાહી અંતર્ગત દૂર કરવું પડે છે. આ બધા અધિકારીઓ છે ને એને સીધા કરવાની જરુર છે. કે તમારુ કર્તવ્ય અને તમારી ફરજ બજાવો, ગમે ઈ માણસ ગેરકાયદે કામ કરતો હોય તેને અટકાવો. દરેક વોર્ડની અંદર ક્યાં વિભાગની અંદર ગેરકાયદે કામ થાય છે તે અધિકારીઓને ખબર હોય જ છે... એની સામે કાર્યવાહી કરવી જોઈએ..


રાજ્યસભાના સાંસદ રામમોકરિયાને વર્ષો પહેલા 70 હજાર રુપિયા આપવા પડ્યા હતા. આ કેટલું ઘાતક આ સવાલના જવાબમાં વજુભાઈ કહે છે, 

 

કોઈપણ માણસ છેને, કોઈ માણસ કરપ્શનના પૈસા લ્યે કે કરપ્શનના પૈસા આપવા પડે એવી પરિસ્થિતિ હોવી ન જોઈએ. આની અંદર કોર્પોરેશનને કે સરકારી અધિકારીને પૈસા આપનાર પ્રજાના પ્રતિનિધીએ સાત વાર વિચાર કરીને પૈસા આપવા જોઈએ.... ગમે એવા કામ હોય ચૂંટાયેલા લોકોએ અધિકારીઓને કે કર્મચારીઓને એક રુપિયો પણ આપવો ન જોઈએ... જો ભાઈ ઘણીવાર જે માણસો ધંધો કરતા હોય છેને એને એમ થાય કે ધંધાની અંદર આ લોકો કોઈક વાંધો કાઢશે અને એ વાંધો અમારો પાંચ વર્ષ ચાલશે એના બદલે જે આપવાનું છે એ આપી દ્યો અને પુરુ કરો ઈ આપવા વાળાની 101 ટકા નબળાઈ કહેવાય.,


અગ્નિકાંડમાં ખરેખર ન્યાય થશે અને કસુવારોને સજા કોર્ટે આપે એવા પુરાવા રજુ કરાશે તેના પર તમને કેટલો ભરોસો.. 

અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે. અને અધિકારીઓની જે પુછપરછ થઈ રહી છે તેની સામે આપણે નથી કહેતા કે તમામ નિર્દોષ હોય તેને પણ સજા થવી જોઈએ. પણ એની અંદર જેની જવાબદારી છે અને જવાબદારી નિભાવી નથી એવા લોકો દોષિત હોય તો એની સામે કામ કરવું જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી ગુજરાતના તમામ અધિકારીઓ સચેત રહે અને પોતાની જવાબદારી પ્રત્યે પુરેપુરી કાર્યવાહી કરે. ભાજપના અનેક નેતાઓ અવાજ ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે..  



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.