અમેરિકાના નેવાર્કમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય મૂળના ત્રણ સાંસદોએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-12-24 17:05:13

અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટીથી વિકૃત કરવામાં આવ્યું હતું અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ત્રણ અગ્રણી ભારતીય અમેરિકન સાંસદોઓ સહિત યુ.એસ.માં ઘણા નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની સખત નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ કેસની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરી રહી છે. સાંસદ રો ખન્નાએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ કેલિફોર્નિયાના નેવાર્ક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની સખત નિંદા કરે છે.



શું કહ્યું સાંસદોએ


સ્વામિનારાયણ મંદિર  રો ખન્નાના મતવિસ્તારમાં આવે છે. ખન્નાએ કહ્યું, 'ધાર્મિક સ્વતંત્રતા એ અમેરિકન લોકશાહીનું મૂળ છે, જેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે તેમને ન્યાયના કઠેડા લાવવામાં આવશે.' ખન્નાએ કહ્યું કે તેમને એ જાણીને આનંદ થયો કે સમુદાયના લોકો આ નફરત વિરુદ્ધ એકસાથે આવી રહ્યા છે. તેમણે કહ્યું, 'સમુદાયની આ પહેલ ખરાબનો જવાબ સારા સાથે આપી રહી છે.' સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ સ્વામિનારાયણ મંદિરને બદનામ કરવાની ઘટનાને 'નિંદનીય' ગણાવી અને કહ્યું કે તેઓ તેની સખત નિંદા કરે છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે તેઓ ખુશ છે કે સમુદાયના લોકો મંદિરના સમર્થનમાં રેલી કાઢી રહ્યા છે. "આપણે તમામ પ્રકારના કટ્ટરપંથી સામે એકજૂથ થવું જોઈએ," તેમણે કહ્યું. જેઓએ તોડફોડ કરી છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.' સાંસદ શ્રી થાનેદારે પણ 'તોડફોડના આ શરમજનક કૃત્ય'ની સખત નિંદા કરી છે. કેલિફોર્નિયાના સાંસદ બાર્બરા લી અને ઓહાયોના સાંસદ નીરજ અંતાણીએ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે.


અમેરિકાના વિદેશ મંત્રાલયે શું કહ્યું?


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઑફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સે સોશિયલ મીડિયા 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'અમે કેલિફોર્નિયામાં શ્રી સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની ઘટનાની નિંદા કરીએ છીએ. અમે આ ઘટના માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવાના નેવાર્ક પોલીસ વિભાગના પ્રયાસોને આવકારીએ છીએ.' કેલિફોર્નિયાના નેવાર્કમાં પોલીસ વિભાગે પીટીઆઈને આપેલા ઈ-મેઈલ નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 8.35 વાગ્યે લગભગ 12:00 વાગ્યે પોલીસ શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.