અમેરિકાના નેવાર્કમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય મૂળના ત્રણ સાંસદોએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-12-24 17:05:13

અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટીથી વિકૃત કરવામાં આવ્યું હતું અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ત્રણ અગ્રણી ભારતીય અમેરિકન સાંસદોઓ સહિત યુ.એસ.માં ઘણા નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની સખત નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ કેસની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરી રહી છે. સાંસદ રો ખન્નાએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ કેલિફોર્નિયાના નેવાર્ક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની સખત નિંદા કરે છે.



શું કહ્યું સાંસદોએ


સ્વામિનારાયણ મંદિર  રો ખન્નાના મતવિસ્તારમાં આવે છે. ખન્નાએ કહ્યું, 'ધાર્મિક સ્વતંત્રતા એ અમેરિકન લોકશાહીનું મૂળ છે, જેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે તેમને ન્યાયના કઠેડા લાવવામાં આવશે.' ખન્નાએ કહ્યું કે તેમને એ જાણીને આનંદ થયો કે સમુદાયના લોકો આ નફરત વિરુદ્ધ એકસાથે આવી રહ્યા છે. તેમણે કહ્યું, 'સમુદાયની આ પહેલ ખરાબનો જવાબ સારા સાથે આપી રહી છે.' સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ સ્વામિનારાયણ મંદિરને બદનામ કરવાની ઘટનાને 'નિંદનીય' ગણાવી અને કહ્યું કે તેઓ તેની સખત નિંદા કરે છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે તેઓ ખુશ છે કે સમુદાયના લોકો મંદિરના સમર્થનમાં રેલી કાઢી રહ્યા છે. "આપણે તમામ પ્રકારના કટ્ટરપંથી સામે એકજૂથ થવું જોઈએ," તેમણે કહ્યું. જેઓએ તોડફોડ કરી છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.' સાંસદ શ્રી થાનેદારે પણ 'તોડફોડના આ શરમજનક કૃત્ય'ની સખત નિંદા કરી છે. કેલિફોર્નિયાના સાંસદ બાર્બરા લી અને ઓહાયોના સાંસદ નીરજ અંતાણીએ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે.


અમેરિકાના વિદેશ મંત્રાલયે શું કહ્યું?


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઑફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સે સોશિયલ મીડિયા 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'અમે કેલિફોર્નિયામાં શ્રી સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની ઘટનાની નિંદા કરીએ છીએ. અમે આ ઘટના માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવાના નેવાર્ક પોલીસ વિભાગના પ્રયાસોને આવકારીએ છીએ.' કેલિફોર્નિયાના નેવાર્કમાં પોલીસ વિભાગે પીટીઆઈને આપેલા ઈ-મેઈલ નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 8.35 વાગ્યે લગભગ 12:00 વાગ્યે પોલીસ શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે