અમેરિકાના નેવાર્કમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય મૂળના ત્રણ સાંસદોએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-12-24 17:05:13

અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટીથી વિકૃત કરવામાં આવ્યું હતું અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ત્રણ અગ્રણી ભારતીય અમેરિકન સાંસદોઓ સહિત યુ.એસ.માં ઘણા નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની સખત નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ કેસની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરી રહી છે. સાંસદ રો ખન્નાએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ કેલિફોર્નિયાના નેવાર્ક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની સખત નિંદા કરે છે.



શું કહ્યું સાંસદોએ


સ્વામિનારાયણ મંદિર  રો ખન્નાના મતવિસ્તારમાં આવે છે. ખન્નાએ કહ્યું, 'ધાર્મિક સ્વતંત્રતા એ અમેરિકન લોકશાહીનું મૂળ છે, જેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે તેમને ન્યાયના કઠેડા લાવવામાં આવશે.' ખન્નાએ કહ્યું કે તેમને એ જાણીને આનંદ થયો કે સમુદાયના લોકો આ નફરત વિરુદ્ધ એકસાથે આવી રહ્યા છે. તેમણે કહ્યું, 'સમુદાયની આ પહેલ ખરાબનો જવાબ સારા સાથે આપી રહી છે.' સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ સ્વામિનારાયણ મંદિરને બદનામ કરવાની ઘટનાને 'નિંદનીય' ગણાવી અને કહ્યું કે તેઓ તેની સખત નિંદા કરે છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે તેઓ ખુશ છે કે સમુદાયના લોકો મંદિરના સમર્થનમાં રેલી કાઢી રહ્યા છે. "આપણે તમામ પ્રકારના કટ્ટરપંથી સામે એકજૂથ થવું જોઈએ," તેમણે કહ્યું. જેઓએ તોડફોડ કરી છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.' સાંસદ શ્રી થાનેદારે પણ 'તોડફોડના આ શરમજનક કૃત્ય'ની સખત નિંદા કરી છે. કેલિફોર્નિયાના સાંસદ બાર્બરા લી અને ઓહાયોના સાંસદ નીરજ અંતાણીએ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે.


અમેરિકાના વિદેશ મંત્રાલયે શું કહ્યું?


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઑફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સે સોશિયલ મીડિયા 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'અમે કેલિફોર્નિયામાં શ્રી સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની ઘટનાની નિંદા કરીએ છીએ. અમે આ ઘટના માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવાના નેવાર્ક પોલીસ વિભાગના પ્રયાસોને આવકારીએ છીએ.' કેલિફોર્નિયાના નેવાર્કમાં પોલીસ વિભાગે પીટીઆઈને આપેલા ઈ-મેઈલ નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 8.35 વાગ્યે લગભગ 12:00 વાગ્યે પોલીસ શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.