અમેરિકાના નેવાર્કમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય મૂળના ત્રણ સાંસદોએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-12-24 17:05:13

અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટીથી વિકૃત કરવામાં આવ્યું હતું અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ત્રણ અગ્રણી ભારતીય અમેરિકન સાંસદોઓ સહિત યુ.એસ.માં ઘણા નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની સખત નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ કેસની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરી રહી છે. સાંસદ રો ખન્નાએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ કેલિફોર્નિયાના નેવાર્ક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની સખત નિંદા કરે છે.



શું કહ્યું સાંસદોએ


સ્વામિનારાયણ મંદિર  રો ખન્નાના મતવિસ્તારમાં આવે છે. ખન્નાએ કહ્યું, 'ધાર્મિક સ્વતંત્રતા એ અમેરિકન લોકશાહીનું મૂળ છે, જેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે તેમને ન્યાયના કઠેડા લાવવામાં આવશે.' ખન્નાએ કહ્યું કે તેમને એ જાણીને આનંદ થયો કે સમુદાયના લોકો આ નફરત વિરુદ્ધ એકસાથે આવી રહ્યા છે. તેમણે કહ્યું, 'સમુદાયની આ પહેલ ખરાબનો જવાબ સારા સાથે આપી રહી છે.' સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ સ્વામિનારાયણ મંદિરને બદનામ કરવાની ઘટનાને 'નિંદનીય' ગણાવી અને કહ્યું કે તેઓ તેની સખત નિંદા કરે છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે તેઓ ખુશ છે કે સમુદાયના લોકો મંદિરના સમર્થનમાં રેલી કાઢી રહ્યા છે. "આપણે તમામ પ્રકારના કટ્ટરપંથી સામે એકજૂથ થવું જોઈએ," તેમણે કહ્યું. જેઓએ તોડફોડ કરી છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.' સાંસદ શ્રી થાનેદારે પણ 'તોડફોડના આ શરમજનક કૃત્ય'ની સખત નિંદા કરી છે. કેલિફોર્નિયાના સાંસદ બાર્બરા લી અને ઓહાયોના સાંસદ નીરજ અંતાણીએ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે.


અમેરિકાના વિદેશ મંત્રાલયે શું કહ્યું?


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઑફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સે સોશિયલ મીડિયા 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'અમે કેલિફોર્નિયામાં શ્રી સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની ઘટનાની નિંદા કરીએ છીએ. અમે આ ઘટના માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવાના નેવાર્ક પોલીસ વિભાગના પ્રયાસોને આવકારીએ છીએ.' કેલિફોર્નિયાના નેવાર્કમાં પોલીસ વિભાગે પીટીઆઈને આપેલા ઈ-મેઈલ નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 8.35 વાગ્યે લગભગ 12:00 વાગ્યે પોલીસ શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે