79 વર્ષની ઉંંમરે પીઢ અભિનેતા અરૂણ બાલીનું થયું અવસાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:45:34

બોલિવુડના દિગ્ગજ નેતા અને અનેક સિરિયલમાં પાત્ર ભજવનાર અરૂણ બાલીનું 79 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમને Myasthenia Gravis નામની બીમારી હતી. ઘણા સમયથી આ બીમારી સામે તેઓ ઝઝુમી રહ્યા હતા પરંતુ અંતે તેવો આ બીમારી સામે હારી ગયા.

અનેક ફિલ્મો તેમજ સિરિયલમાં કર્યો છે અભિનય

પોતાના કરિયરની શરૂઆત અરૂણ બાલીએ 90'sમાં કરી હતી.  ફિલ્મો ઉપરાંત અનેક સિરિયલ જેવી કે કુમકુમ અને બાબુલ કી દુઆએ લેતી જા, સ્વાભિમાન, ધ ગ્રેટ મરાઠા, દેવો કે દેવ મહાદેવ જેવી પ્રસિદ્ધ સિરિયલોમાં તેમણે અભિનય કર્યો હતો. અનેક બોલિવુડ ફિલ્મો જેવી કે સબસે બડા ખિલાડી, સત્યા, હે રામ, 3 idiots, ખલનાયક, રાજુ બન ગયા જેન્ટલમેન જેવી અનેક ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. 'ગુડ બાય' માં પણ તેમણે અભિનય કર્યો હતો. ગુડ બાય 7 ઓક્ટબરના રોજ રિલિઝ થઈ છે પરંતુ પોતાની ફિલ્મને જોવા અરૂણ બાલી આ દુનિયામાં રહ્યા નથી.  



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.