79 વર્ષની ઉંંમરે પીઢ અભિનેતા અરૂણ બાલીનું થયું અવસાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:45:34

બોલિવુડના દિગ્ગજ નેતા અને અનેક સિરિયલમાં પાત્ર ભજવનાર અરૂણ બાલીનું 79 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમને Myasthenia Gravis નામની બીમારી હતી. ઘણા સમયથી આ બીમારી સામે તેઓ ઝઝુમી રહ્યા હતા પરંતુ અંતે તેવો આ બીમારી સામે હારી ગયા.

અનેક ફિલ્મો તેમજ સિરિયલમાં કર્યો છે અભિનય

પોતાના કરિયરની શરૂઆત અરૂણ બાલીએ 90'sમાં કરી હતી.  ફિલ્મો ઉપરાંત અનેક સિરિયલ જેવી કે કુમકુમ અને બાબુલ કી દુઆએ લેતી જા, સ્વાભિમાન, ધ ગ્રેટ મરાઠા, દેવો કે દેવ મહાદેવ જેવી પ્રસિદ્ધ સિરિયલોમાં તેમણે અભિનય કર્યો હતો. અનેક બોલિવુડ ફિલ્મો જેવી કે સબસે બડા ખિલાડી, સત્યા, હે રામ, 3 idiots, ખલનાયક, રાજુ બન ગયા જેન્ટલમેન જેવી અનેક ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. 'ગુડ બાય' માં પણ તેમણે અભિનય કર્યો હતો. ગુડ બાય 7 ઓક્ટબરના રોજ રિલિઝ થઈ છે પરંતુ પોતાની ફિલ્મને જોવા અરૂણ બાલી આ દુનિયામાં રહ્યા નથી.  



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.