79 વર્ષની ઉંંમરે પીઢ અભિનેતા અરૂણ બાલીનું થયું અવસાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:45:34

બોલિવુડના દિગ્ગજ નેતા અને અનેક સિરિયલમાં પાત્ર ભજવનાર અરૂણ બાલીનું 79 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમને Myasthenia Gravis નામની બીમારી હતી. ઘણા સમયથી આ બીમારી સામે તેઓ ઝઝુમી રહ્યા હતા પરંતુ અંતે તેવો આ બીમારી સામે હારી ગયા.

અનેક ફિલ્મો તેમજ સિરિયલમાં કર્યો છે અભિનય

પોતાના કરિયરની શરૂઆત અરૂણ બાલીએ 90'sમાં કરી હતી.  ફિલ્મો ઉપરાંત અનેક સિરિયલ જેવી કે કુમકુમ અને બાબુલ કી દુઆએ લેતી જા, સ્વાભિમાન, ધ ગ્રેટ મરાઠા, દેવો કે દેવ મહાદેવ જેવી પ્રસિદ્ધ સિરિયલોમાં તેમણે અભિનય કર્યો હતો. અનેક બોલિવુડ ફિલ્મો જેવી કે સબસે બડા ખિલાડી, સત્યા, હે રામ, 3 idiots, ખલનાયક, રાજુ બન ગયા જેન્ટલમેન જેવી અનેક ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. 'ગુડ બાય' માં પણ તેમણે અભિનય કર્યો હતો. ગુડ બાય 7 ઓક્ટબરના રોજ રિલિઝ થઈ છે પરંતુ પોતાની ફિલ્મને જોવા અરૂણ બાલી આ દુનિયામાં રહ્યા નથી.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.