કર્ણાટકમાં દિગ્ગજ નેતાઓનો પ્રચાર! કોંગ્રેસના ઘોષણા પત્ર પર પીએમ મોદીનો કટાક્ષ! જાણો પ્રચારમાં શું કહ્યું પીએમ મોદી અને રાહુલ ગાંધીએ!


  • Published By :
  • Published Date : 2023-05-02 16:58:43

કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ દ્વારા આજે જ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં રેલી સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસના ઘોષણા પત્રને લઈ પ્રહાર કર્યા હતા. તે સિવાય રાહુલ ગાંધીએ પણ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

  

કોંગ્રેસે ઘોષણા પત્રમાં કરી આ જાહેરાત!

ગઈકાલે ભાજપે કર્ણાટક માટે ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. જેમાં જનતાને અનેક વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ પ્રમાણે ઘોષણા કરી હતી. જે મુજબ ગૃહ જ્યોતિ હેઠળ કોંગ્રેસ કર્ણાટકમાં તમામ ઘરોમાં 200 યુનિટ સુઘી મફત વીજળી આપશે, તે ઉપરાંત ઘરની દરેક મહિલા વડાને 2000 આપવાનું વચન આપ્યું છે. તે ઉપરાંત બીપીએલ પરિવારના દરેક વ્યક્તિને દર મહિને 10 કિલો અનાજ આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. મહત્વનું છે કે કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવ્યા બાદ બજરંગ દળ અને પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે ધર્મના નામે નફરત ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરશે. 


કોંગ્રેસે બજરંગબલીને તાળામાં બંધ કરવાનો સંકલ્પ કર્યો!

કર્ણાટકમાં પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસના ઘોષણા પત્ર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘોષણા પત્રમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા શ્રીરામને તાળામાં બંધ કર્યા અને હવે જય બજરંગબલી બોલવા વાળાને જેલમાં બંધ કરવાનો સંકલ્પ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજે હનુમાનજીની આ પવિત્ર ભૂમીને પ્રણામ કરવું સૌભાગ્ય છે પરંતુ દુર્ભાગ્ય જુવો, હું આજે હનુમાનજીને નમન કરવા આવ્યો છું તે જ સમયે કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 


પીએમ મોદી અને રાહુલ ગાંધી આમને-સામને!

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પરંપરાગત વાદ્ય વગાડ્યું હતું, તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પીએમ મોદી પર કરવામાં આવતા પ્રહારને લઈ પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ લોકો ગાળીની સેંચ્યુરી લગાવાના રસ્તા પર છે. કોંગ્રેસની વોરંટી ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. એવામાં વોરંટી વગર કોંગ્રેસની ગેરંટી પણ ખોટી છે. આની પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે કે કર્ણાટકમાં ભાજપે ચોરીથી સરકાર બનાઈ છે. ભાજપે 3 વર્ષમાં લોકતંત્રને ખતમ કરી લીધો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.