દેશની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટની અટકાયત, દિલ્હીના તમામ જિલ્લામાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-04 19:11:01

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલી રેસલર ગીતા ફોગાટને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધી છે. ભારતની દિગ્ગજ કુસ્તીબાજ ગીતા ફોગાટે ટ્વીટ કર્યું, કે "મને અને મારા પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે." જોકે, પોલીસે તેમને કસ્ટડીમાં લેવાની વાત કરી છે.

 

દિલ્હીના તમામ જિલ્લામાં એલર્ટ


અત્રે ઉલ્લેખનિય છે કે થોડા કલાકો પહેલા જ દિલ્હીના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના તમામ કર્મચારીઓને એલર્ટ પર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સરહદી વિસ્તારો પર ખાસ નજર રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને માહિતી મળી છે કે કુસ્તીબાજોની અપીલ બાદ તેમના પ્રદર્શનને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો જંતર-મંતર પર એકઠા થવાના છે. આ પછી જ પોલીસ સતર્ક છે અને વિવિધ સ્થળોએ ધરણાં કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


રેસલર 23 એપ્રિલથી કરી રહ્યા છે ધરણા 


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સામે જાતીય સતામણીનો આરોપ લગાવનારા કુસ્તીબાજો 23 એપ્રિલથી હડતાળ પર છે. કુસ્તીબાજોનો આરોપ છે કે રમતગમત મંત્રાલયે એક સમિતિની રચના કરી હતી અને રિપોર્ટ સોંપવાની વાત કરી હતી, પરંતુ રિપોર્ટમાં વિલંબને કારણે તેમને ફરીથી ધરણા પર બેસવું પડ્યું હતું. જ્યારે મુખ્ય આરોપી બ્રિજ ભૂષણ શરણની અત્યાર સુધી ધરપકડ ન થવાથી કુસ્તીબાજોમાં ભારે રોષ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.