દેશની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટની અટકાયત, દિલ્હીના તમામ જિલ્લામાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-04 19:11:01

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલી રેસલર ગીતા ફોગાટને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધી છે. ભારતની દિગ્ગજ કુસ્તીબાજ ગીતા ફોગાટે ટ્વીટ કર્યું, કે "મને અને મારા પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે." જોકે, પોલીસે તેમને કસ્ટડીમાં લેવાની વાત કરી છે.

 

દિલ્હીના તમામ જિલ્લામાં એલર્ટ


અત્રે ઉલ્લેખનિય છે કે થોડા કલાકો પહેલા જ દિલ્હીના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના તમામ કર્મચારીઓને એલર્ટ પર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સરહદી વિસ્તારો પર ખાસ નજર રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને માહિતી મળી છે કે કુસ્તીબાજોની અપીલ બાદ તેમના પ્રદર્શનને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો જંતર-મંતર પર એકઠા થવાના છે. આ પછી જ પોલીસ સતર્ક છે અને વિવિધ સ્થળોએ ધરણાં કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


રેસલર 23 એપ્રિલથી કરી રહ્યા છે ધરણા 


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સામે જાતીય સતામણીનો આરોપ લગાવનારા કુસ્તીબાજો 23 એપ્રિલથી હડતાળ પર છે. કુસ્તીબાજોનો આરોપ છે કે રમતગમત મંત્રાલયે એક સમિતિની રચના કરી હતી અને રિપોર્ટ સોંપવાની વાત કરી હતી, પરંતુ રિપોર્ટમાં વિલંબને કારણે તેમને ફરીથી ધરણા પર બેસવું પડ્યું હતું. જ્યારે મુખ્ય આરોપી બ્રિજ ભૂષણ શરણની અત્યાર સુધી ધરપકડ ન થવાથી કુસ્તીબાજોમાં ભારે રોષ છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.