દેશની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટની અટકાયત, દિલ્હીના તમામ જિલ્લામાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-04 19:11:01

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલી રેસલર ગીતા ફોગાટને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધી છે. ભારતની દિગ્ગજ કુસ્તીબાજ ગીતા ફોગાટે ટ્વીટ કર્યું, કે "મને અને મારા પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે." જોકે, પોલીસે તેમને કસ્ટડીમાં લેવાની વાત કરી છે.

 

દિલ્હીના તમામ જિલ્લામાં એલર્ટ


અત્રે ઉલ્લેખનિય છે કે થોડા કલાકો પહેલા જ દિલ્હીના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના તમામ કર્મચારીઓને એલર્ટ પર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સરહદી વિસ્તારો પર ખાસ નજર રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને માહિતી મળી છે કે કુસ્તીબાજોની અપીલ બાદ તેમના પ્રદર્શનને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો જંતર-મંતર પર એકઠા થવાના છે. આ પછી જ પોલીસ સતર્ક છે અને વિવિધ સ્થળોએ ધરણાં કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


રેસલર 23 એપ્રિલથી કરી રહ્યા છે ધરણા 


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સામે જાતીય સતામણીનો આરોપ લગાવનારા કુસ્તીબાજો 23 એપ્રિલથી હડતાળ પર છે. કુસ્તીબાજોનો આરોપ છે કે રમતગમત મંત્રાલયે એક સમિતિની રચના કરી હતી અને રિપોર્ટ સોંપવાની વાત કરી હતી, પરંતુ રિપોર્ટમાં વિલંબને કારણે તેમને ફરીથી ધરણા પર બેસવું પડ્યું હતું. જ્યારે મુખ્ય આરોપી બ્રિજ ભૂષણ શરણની અત્યાર સુધી ધરપકડ ન થવાથી કુસ્તીબાજોમાં ભારે રોષ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.