દેશની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટની અટકાયત, દિલ્હીના તમામ જિલ્લામાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-04 19:11:01

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલી રેસલર ગીતા ફોગાટને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધી છે. ભારતની દિગ્ગજ કુસ્તીબાજ ગીતા ફોગાટે ટ્વીટ કર્યું, કે "મને અને મારા પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે." જોકે, પોલીસે તેમને કસ્ટડીમાં લેવાની વાત કરી છે.

 

દિલ્હીના તમામ જિલ્લામાં એલર્ટ


અત્રે ઉલ્લેખનિય છે કે થોડા કલાકો પહેલા જ દિલ્હીના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના તમામ કર્મચારીઓને એલર્ટ પર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સરહદી વિસ્તારો પર ખાસ નજર રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને માહિતી મળી છે કે કુસ્તીબાજોની અપીલ બાદ તેમના પ્રદર્શનને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો જંતર-મંતર પર એકઠા થવાના છે. આ પછી જ પોલીસ સતર્ક છે અને વિવિધ સ્થળોએ ધરણાં કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


રેસલર 23 એપ્રિલથી કરી રહ્યા છે ધરણા 


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સામે જાતીય સતામણીનો આરોપ લગાવનારા કુસ્તીબાજો 23 એપ્રિલથી હડતાળ પર છે. કુસ્તીબાજોનો આરોપ છે કે રમતગમત મંત્રાલયે એક સમિતિની રચના કરી હતી અને રિપોર્ટ સોંપવાની વાત કરી હતી, પરંતુ રિપોર્ટમાં વિલંબને કારણે તેમને ફરીથી ધરણા પર બેસવું પડ્યું હતું. જ્યારે મુખ્ય આરોપી બ્રિજ ભૂષણ શરણની અત્યાર સુધી ધરપકડ ન થવાથી કુસ્તીબાજોમાં ભારે રોષ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.