રાહુલ ગાંધીના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ આપી હતી પ્રતિક્રિયા, ઉપરાષ્ટ્રપતિના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર


  • Published By :
  • Published Date : 2023-03-10 11:30:40

રાહુલ ગાંધીએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લીધો હતો તે બાદ સંસદમાં પણ ભાષણ આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક બંધ કરી દેવામાં આવે છે. આ ભાષણની ટીકા થઈ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાહુલના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. નામ લીધા વગર તેમણે કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવદેન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. 

ઉપરાષ્ટ્રપતિએ નામ લીધા વગર કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર          

રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણ પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ પણ આ મુદ્દે આક્રામક દેખાઈ હતી. ત્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા સંસદ અંગેના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જગદીપ ધનખડે નામ લીધા વગર રાહુલ ગાંધીના ભાષણને લઈ નારાજગી દર્શાવી હતી. બ્રિટિશ સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક જ બંધ કરી દેવામાં આવે છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. 


જયરામ રમેશે આપી પ્રતિક્રિયા

જગદીપ ધનખડના નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે એક અમ્પાયર હોય છે. તે કોઈ પાર્ટી માટે લીડર હોઈ શકે નહી. જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલાં ભાષણમાં કેટલીક જરૂરી ટિપ્પણી કરી છે. તે અંગે ઉપરાષ્ટ્રપતિનું નિવેદન નિરાશાજનક છે. ભારતનું ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય સંવૈધાનિક છે. આ સંવિધાનથી રાજ્યસભાના અધ્યક્ષ હોવાની જવાબદારી વધુ હોય છે. એટલે તેમણે કોઈપણ રાજકીય દળ પ્રત્યે લગાવ અને કોઈ પક્ષ પૂર્વાગ્રહથી મુક્ત હોવું જોઈએ.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.