રાહુલ ગાંધીના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ આપી હતી પ્રતિક્રિયા, ઉપરાષ્ટ્રપતિના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર


  • Published By :
  • Published Date : 2023-03-10 11:30:40

રાહુલ ગાંધીએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લીધો હતો તે બાદ સંસદમાં પણ ભાષણ આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક બંધ કરી દેવામાં આવે છે. આ ભાષણની ટીકા થઈ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાહુલના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. નામ લીધા વગર તેમણે કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવદેન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. 

ઉપરાષ્ટ્રપતિએ નામ લીધા વગર કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર          

રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણ પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ પણ આ મુદ્દે આક્રામક દેખાઈ હતી. ત્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા સંસદ અંગેના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જગદીપ ધનખડે નામ લીધા વગર રાહુલ ગાંધીના ભાષણને લઈ નારાજગી દર્શાવી હતી. બ્રિટિશ સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક જ બંધ કરી દેવામાં આવે છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. 


જયરામ રમેશે આપી પ્રતિક્રિયા

જગદીપ ધનખડના નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે એક અમ્પાયર હોય છે. તે કોઈ પાર્ટી માટે લીડર હોઈ શકે નહી. જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલાં ભાષણમાં કેટલીક જરૂરી ટિપ્પણી કરી છે. તે અંગે ઉપરાષ્ટ્રપતિનું નિવેદન નિરાશાજનક છે. ભારતનું ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય સંવૈધાનિક છે. આ સંવિધાનથી રાજ્યસભાના અધ્યક્ષ હોવાની જવાબદારી વધુ હોય છે. એટલે તેમણે કોઈપણ રાજકીય દળ પ્રત્યે લગાવ અને કોઈ પક્ષ પૂર્વાગ્રહથી મુક્ત હોવું જોઈએ.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.