મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 77 વર્ષે થયું વિક્રમ ગોખલેનું અવસાન


  • Published By :
  • Published Date : 2022-11-26 16:18:11

બોલિવુડના પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું આજે નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાં તેઓ લાઈફ સપોટિંગ સિસ્ટમ પર હતા. જીવન અને મરણ વચ્ચે તેઓ છેલ્લા અનેક દિવસથી જંગ લડી રહ્યા હતા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

  

બોલિવુડ ઈન્ડસ્ટ્રીને વધુ એક ફટકો પડ્યો છે. તેમના નિધનના સમાચારથી બોલિવુડ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંદાજીત 150 દિવસથી તેઓ પુણેની દિનનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને કારણે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. અનેક દિવસોથી તેમની તબિયત બગડી રહી હતી. અને 77 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. બોલિવુડની ફિલ્મ જેવી કે અગ્નિપથ, હમ દિલ દે ચૂકે સનમ, ભુલ ભુલૈયા, હિચકી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.        



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.