મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 77 વર્ષે થયું વિક્રમ ગોખલેનું અવસાન


  • Published By :
  • Published Date : 2022-11-26 16:18:11

બોલિવુડના પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું આજે નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાં તેઓ લાઈફ સપોટિંગ સિસ્ટમ પર હતા. જીવન અને મરણ વચ્ચે તેઓ છેલ્લા અનેક દિવસથી જંગ લડી રહ્યા હતા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

  

બોલિવુડ ઈન્ડસ્ટ્રીને વધુ એક ફટકો પડ્યો છે. તેમના નિધનના સમાચારથી બોલિવુડ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંદાજીત 150 દિવસથી તેઓ પુણેની દિનનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને કારણે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. અનેક દિવસોથી તેમની તબિયત બગડી રહી હતી. અને 77 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. બોલિવુડની ફિલ્મ જેવી કે અગ્નિપથ, હમ દિલ દે ચૂકે સનમ, ભુલ ભુલૈયા, હિચકી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.        



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.