મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 77 વર્ષે થયું વિક્રમ ગોખલેનું અવસાન


  • Published By :
  • Published Date : 2022-11-26 16:18:11

બોલિવુડના પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું આજે નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાં તેઓ લાઈફ સપોટિંગ સિસ્ટમ પર હતા. જીવન અને મરણ વચ્ચે તેઓ છેલ્લા અનેક દિવસથી જંગ લડી રહ્યા હતા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

  

બોલિવુડ ઈન્ડસ્ટ્રીને વધુ એક ફટકો પડ્યો છે. તેમના નિધનના સમાચારથી બોલિવુડ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંદાજીત 150 દિવસથી તેઓ પુણેની દિનનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને કારણે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. અનેક દિવસોથી તેમની તબિયત બગડી રહી હતી. અને 77 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. બોલિવુડની ફિલ્મ જેવી કે અગ્નિપથ, હમ દિલ દે ચૂકે સનમ, ભુલ ભુલૈયા, હિચકી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.        



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .