Election પહેલા Bangladeshમાં ભડકી હિંસા, ટ્રેનમાં લાગી આગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-06 18:36:35

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે પરંતુ તે પહેલા બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી છે જેને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ હિંસામાં અનેક લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ઘટના 5 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટના જે ટ્રેનમાં બની તે ટ્રેનનું નામ છે બેનાપોલ એક્સપ્રેસ.  

5 જાન્યુઆરીએ લાગી હતી ટ્રેનમાં આગ!  

7 જાન્યુઆરીએ બાંગ્લાદેશમાં મતદાન થવાનું છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે તે પહેલા દેશમાં હિંસા ફાટી નીકળી છે. રાજધાની ઢાકામાં શુક્રવાર મોડી રીત્રે એટલે કે 5 જાન્યુઆરીએ એક ટ્રેનમાં આગ લગાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાને કારણે પાંચ જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. 7 જાન્યુઆરીએ મતદાન થવાનું છે તે પહેલા આ પ્રકારના હુમલા થવાને કારણે રાજકારણ ગરમાયું છે.

બાંગ્લાદેશમાં 7 તારીખે યોજાવાની છે ચૂંટણી  

જે ચૂંટણી માટે મતદાન થવાનું છે તે માટેના દાવેદાર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ છે. તે પણ એક દાવેદાર છે. આ ઘટના બાદ વિદેશ મંત્રાયલ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવામાં આવ્યું છે કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈ પણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે. આ એવા લોકો છે જેઓ નથી ઈચ્છતા કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય. જે ટ્રેનમાં આ હુમલો કરવામાં આવ્યો છે તે ટ્રેનમાં ભારતીય નાગરિકો પણ સવાર હતા. એક ડબ્બામાં લાગેલી આગ જોત જોતામાં અનેક ડબ્બાઓમાં આગ પ્રસરી ગઈ.  આ ઘટના જે ટ્રેનમાં બની તે ટ્રેનનું નામ છે બેનાપોલ એક્સપ્રેસ. પોલીસનું માનવું છે કે આ આગ જાણી જોઈને લગાવામાં આવી છે.        



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.