Election પહેલા Bangladeshમાં ભડકી હિંસા, ટ્રેનમાં લાગી આગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-06 18:36:35

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે પરંતુ તે પહેલા બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી છે જેને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ હિંસામાં અનેક લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ઘટના 5 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટના જે ટ્રેનમાં બની તે ટ્રેનનું નામ છે બેનાપોલ એક્સપ્રેસ.  

5 જાન્યુઆરીએ લાગી હતી ટ્રેનમાં આગ!  

7 જાન્યુઆરીએ બાંગ્લાદેશમાં મતદાન થવાનું છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે તે પહેલા દેશમાં હિંસા ફાટી નીકળી છે. રાજધાની ઢાકામાં શુક્રવાર મોડી રીત્રે એટલે કે 5 જાન્યુઆરીએ એક ટ્રેનમાં આગ લગાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાને કારણે પાંચ જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. 7 જાન્યુઆરીએ મતદાન થવાનું છે તે પહેલા આ પ્રકારના હુમલા થવાને કારણે રાજકારણ ગરમાયું છે.

બાંગ્લાદેશમાં 7 તારીખે યોજાવાની છે ચૂંટણી  

જે ચૂંટણી માટે મતદાન થવાનું છે તે માટેના દાવેદાર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ છે. તે પણ એક દાવેદાર છે. આ ઘટના બાદ વિદેશ મંત્રાયલ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવામાં આવ્યું છે કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈ પણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે. આ એવા લોકો છે જેઓ નથી ઈચ્છતા કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય. જે ટ્રેનમાં આ હુમલો કરવામાં આવ્યો છે તે ટ્રેનમાં ભારતીય નાગરિકો પણ સવાર હતા. એક ડબ્બામાં લાગેલી આગ જોત જોતામાં અનેક ડબ્બાઓમાં આગ પ્રસરી ગઈ.  આ ઘટના જે ટ્રેનમાં બની તે ટ્રેનનું નામ છે બેનાપોલ એક્સપ્રેસ. પોલીસનું માનવું છે કે આ આગ જાણી જોઈને લગાવામાં આવી છે.        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.