ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળી હિંસા! સમર્થકોએ લાહોરમાં ગવર્નરનું ઘર સળગાવ્યું તો રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં કરી તોડફોડ! ઈન્ટરનેટ સેવા કરી બંધ!


  • Published By :
  • Published Date : 2023-05-10 10:58:30

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ ગઈકાલે થઈ ગઈ હતી. ઈમરાન ખાનની ધરપકદ બાદ પાકિસ્તાનમાં હિંસા ભડકી ઉઠી હતી. ધરપકડના આટલા કલાકો વિત્યા બાદ પણ પાકિસ્તાનમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં હિંસા વધારે ફાટી નિકળી છે. પીટીઆઈના સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. ઉપરાંત આગ પણ લગાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ હિંસાને કારણે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. હિંસા વધતા ધારા 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળી હિંસા!  

મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પાક રેન્જર્સ દ્વારા કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર જ ઈમરાન ખાનની ધરપકડ કરાઈ હતી. ઈમરાન ખાનની ધરપકડ થયા બાદ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નિકળી હતી. પીટીઆઈના કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે મોડી રાત્રે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ કરવામાં આવી હતી. તે ઉપરાંત લાહોરના ગવર્નર હાઉસમાં પણ તોડફોડ કરી હતી. ત્યારે આ મામલો આટલા કલાકો વિત્યા પછી પણ હિંસા શાંત થઈ નથી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન આગામી ચાર પાંચ દિવસ એનએબીના કસ્ટડીમાં રહેશે. 

પીટીઆઈના કાર્યકરોએ કરાચીમાં અર્ધલશ્કરી ચેકપોસ્ટને આગ લગાડી.

પેશાવરમાં પણ પીટીઆઈના કાર્યકરો સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ આગચંપીના સમાચાર મળ્યા છે.

વધતી હિંસાને જોતા ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ!

ઈમરાન ખાન મની લોન્ડરિંગ સહિતના કેસને લઈ જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા તે સમયે તેમની ધરપકડ કરવામાં કરવામાં આવી હતી. અનેક આર્મી ઓફિશિયલના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સિવાય લાહોરમાં પણ હિંસા ફાટી નિકળી હતી. ત્યારે વધતી હિંસાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. તે ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પેશાવરમાં 30 દિવસો સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે 5 ઓફિસરો ઘાયલ થયા છે. ઉપરાંત 43 જેટલા પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.          

લાહોરમાં પણ કાર્યકરો પોલીસ વાન પર સતત હુમલા કરી રહ્યા છે.


દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.