ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળી હિંસા! સમર્થકોએ લાહોરમાં ગવર્નરનું ઘર સળગાવ્યું તો રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં કરી તોડફોડ! ઈન્ટરનેટ સેવા કરી બંધ!


  • Published By :
  • Published Date : 2023-05-10 10:58:30

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ ગઈકાલે થઈ ગઈ હતી. ઈમરાન ખાનની ધરપકદ બાદ પાકિસ્તાનમાં હિંસા ભડકી ઉઠી હતી. ધરપકડના આટલા કલાકો વિત્યા બાદ પણ પાકિસ્તાનમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં હિંસા વધારે ફાટી નિકળી છે. પીટીઆઈના સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. ઉપરાંત આગ પણ લગાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ હિંસાને કારણે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. હિંસા વધતા ધારા 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળી હિંસા!  

મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પાક રેન્જર્સ દ્વારા કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર જ ઈમરાન ખાનની ધરપકડ કરાઈ હતી. ઈમરાન ખાનની ધરપકડ થયા બાદ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નિકળી હતી. પીટીઆઈના કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે મોડી રાત્રે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ કરવામાં આવી હતી. તે ઉપરાંત લાહોરના ગવર્નર હાઉસમાં પણ તોડફોડ કરી હતી. ત્યારે આ મામલો આટલા કલાકો વિત્યા પછી પણ હિંસા શાંત થઈ નથી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન આગામી ચાર પાંચ દિવસ એનએબીના કસ્ટડીમાં રહેશે. 

પીટીઆઈના કાર્યકરોએ કરાચીમાં અર્ધલશ્કરી ચેકપોસ્ટને આગ લગાડી.

પેશાવરમાં પણ પીટીઆઈના કાર્યકરો સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ આગચંપીના સમાચાર મળ્યા છે.

વધતી હિંસાને જોતા ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ!

ઈમરાન ખાન મની લોન્ડરિંગ સહિતના કેસને લઈ જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા તે સમયે તેમની ધરપકડ કરવામાં કરવામાં આવી હતી. અનેક આર્મી ઓફિશિયલના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સિવાય લાહોરમાં પણ હિંસા ફાટી નિકળી હતી. ત્યારે વધતી હિંસાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. તે ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પેશાવરમાં 30 દિવસો સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે 5 ઓફિસરો ઘાયલ થયા છે. ઉપરાંત 43 જેટલા પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.          

લાહોરમાં પણ કાર્યકરો પોલીસ વાન પર સતત હુમલા કરી રહ્યા છે.


આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.