ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળી હિંસા! સમર્થકોએ લાહોરમાં ગવર્નરનું ઘર સળગાવ્યું તો રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં કરી તોડફોડ! ઈન્ટરનેટ સેવા કરી બંધ!


  • Published By :
  • Published Date : 2023-05-10 10:58:30

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ ગઈકાલે થઈ ગઈ હતી. ઈમરાન ખાનની ધરપકદ બાદ પાકિસ્તાનમાં હિંસા ભડકી ઉઠી હતી. ધરપકડના આટલા કલાકો વિત્યા બાદ પણ પાકિસ્તાનમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં હિંસા વધારે ફાટી નિકળી છે. પીટીઆઈના સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. ઉપરાંત આગ પણ લગાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ હિંસાને કારણે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. હિંસા વધતા ધારા 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળી હિંસા!  

મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પાક રેન્જર્સ દ્વારા કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર જ ઈમરાન ખાનની ધરપકડ કરાઈ હતી. ઈમરાન ખાનની ધરપકડ થયા બાદ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નિકળી હતી. પીટીઆઈના કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે મોડી રાત્રે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ કરવામાં આવી હતી. તે ઉપરાંત લાહોરના ગવર્નર હાઉસમાં પણ તોડફોડ કરી હતી. ત્યારે આ મામલો આટલા કલાકો વિત્યા પછી પણ હિંસા શાંત થઈ નથી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન આગામી ચાર પાંચ દિવસ એનએબીના કસ્ટડીમાં રહેશે. 

પીટીઆઈના કાર્યકરોએ કરાચીમાં અર્ધલશ્કરી ચેકપોસ્ટને આગ લગાડી.

પેશાવરમાં પણ પીટીઆઈના કાર્યકરો સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ આગચંપીના સમાચાર મળ્યા છે.

વધતી હિંસાને જોતા ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ!

ઈમરાન ખાન મની લોન્ડરિંગ સહિતના કેસને લઈ જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા તે સમયે તેમની ધરપકડ કરવામાં કરવામાં આવી હતી. અનેક આર્મી ઓફિશિયલના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સિવાય લાહોરમાં પણ હિંસા ફાટી નિકળી હતી. ત્યારે વધતી હિંસાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. તે ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પેશાવરમાં 30 દિવસો સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે 5 ઓફિસરો ઘાયલ થયા છે. ઉપરાંત 43 જેટલા પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.          

લાહોરમાં પણ કાર્યકરો પોલીસ વાન પર સતત હુમલા કરી રહ્યા છે.


હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.