મહારાષ્ટ્રના બે જિલ્લા કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, શા માટે તંગદિલી સર્જાઈ?


  • Published By :
  • Published Date : 2023-06-07 20:11:21

મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમર્થનમાં કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે મહારાષ્ટ્રના બે શહેરો કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. આ પોસ્ટના વિરોધમાં બંને શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો.


સમગ્ર વિવાદ શું છે?


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર ઔરંગઝેબના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. બુધવારે તેના વિરોધમાં પ્રદર્શન થયું હતું આ દરમિયાન પોલીસ અને વિરોધ પ્રદર્શકો વચ્ચે સંઘર્ષ પણ થયો હતો. કેટલાક સંગઠનોએ કોલ્હાપુર બંધની ઘોષણા કરી હતી. આ સંગઠનના સભ્યો બુધવારે શિવાજી ચોક ખાતે એકઠા થયા હતા. તેમનું પ્રદર્શન થયા બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે 21 લોકોને અટકાયતમાં લીધા છે. તે જ પ્રકારે મંગળવારે અહેમદ નગરમાં પણ પથ્થરમારો થયો હતો જેના કારણે બે લોકો ઘાયલ થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યા પોલીસ તૈનાત કરવામાં આવી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.