મહારાષ્ટ્રના બે જિલ્લા કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, શા માટે તંગદિલી સર્જાઈ?


  • Published By :
  • Published Date : 2023-06-07 20:11:21

મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમર્થનમાં કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે મહારાષ્ટ્રના બે શહેરો કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. આ પોસ્ટના વિરોધમાં બંને શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો.


સમગ્ર વિવાદ શું છે?


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર ઔરંગઝેબના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. બુધવારે તેના વિરોધમાં પ્રદર્શન થયું હતું આ દરમિયાન પોલીસ અને વિરોધ પ્રદર્શકો વચ્ચે સંઘર્ષ પણ થયો હતો. કેટલાક સંગઠનોએ કોલ્હાપુર બંધની ઘોષણા કરી હતી. આ સંગઠનના સભ્યો બુધવારે શિવાજી ચોક ખાતે એકઠા થયા હતા. તેમનું પ્રદર્શન થયા બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે 21 લોકોને અટકાયતમાં લીધા છે. તે જ પ્રકારે મંગળવારે અહેમદ નગરમાં પણ પથ્થરમારો થયો હતો જેના કારણે બે લોકો ઘાયલ થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યા પોલીસ તૈનાત કરવામાં આવી છે.



રાજકોટ લોકસભા બેઠક ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલા આ બેઠકના ઉમેદવાર છે.. પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લીડની વાત કરવામાં આવી રહી છે...

મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટ ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગર.. ક્ષત્રિય સમાજના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ તેઓ કરી રહ્યા છે.

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજને લઈ નિવેદન આપ્યું હતું જે બાદ કોળી સમાજ મેદાને આવ્યું છે. કોળી સમાજના લોકોએ હવન કરાવ્યો છે.

મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..