મહારાષ્ટ્રના બે જિલ્લા કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, શા માટે તંગદિલી સર્જાઈ?


  • Published By :
  • Published Date : 2023-06-07 20:11:21

મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમર્થનમાં કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે મહારાષ્ટ્રના બે શહેરો કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. આ પોસ્ટના વિરોધમાં બંને શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો.


સમગ્ર વિવાદ શું છે?


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર ઔરંગઝેબના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. બુધવારે તેના વિરોધમાં પ્રદર્શન થયું હતું આ દરમિયાન પોલીસ અને વિરોધ પ્રદર્શકો વચ્ચે સંઘર્ષ પણ થયો હતો. કેટલાક સંગઠનોએ કોલ્હાપુર બંધની ઘોષણા કરી હતી. આ સંગઠનના સભ્યો બુધવારે શિવાજી ચોક ખાતે એકઠા થયા હતા. તેમનું પ્રદર્શન થયા બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે 21 લોકોને અટકાયતમાં લીધા છે. તે જ પ્રકારે મંગળવારે અહેમદ નગરમાં પણ પથ્થરમારો થયો હતો જેના કારણે બે લોકો ઘાયલ થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યા પોલીસ તૈનાત કરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.