વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર, ભસ્મ આરતીનો લીધો લાભ


  • Published By :
  • Published Date : 2023-03-04 11:24:34

મહાદેવજીના શરણે આજ કાલ અનેક ક્રિકેટરો જઈ રહ્યા છે. થોડા સમય પહેલા કેએલ રાહુલ પોતાની પત્ની અશિયા શેટ્ટી સાથે મહાકાલના દર્શને પહોંચ્યા હતા. તો તેની પહેલા અક્ષર પટેલ પોતાની પત્ની મેહા સાથે મહાકાલના દર્શને પહોંચ્યા હતા. તો આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મહાકાલના શરણે ગયા હતા. વિરાટ કોહલીએ ધોતી અને રુદ્રાક્ષની માળા પહેરી હતી જ્યારે અનુષ્કા શર્માએ પણ સાડી પહેરી હતી. મહત્વનું છે કે 9 માર્ચથી અમદાવાદમાં મેચ યોજાવાની છે. 

     

અનેક ક્રિકેટરો પહોંચ્યા હતા મહાકાલના દર્શન માટે

ઘણા સમયથી ભારતીય ટીમના ક્રિકેટરો મહાકાલના દર્શન માટે જઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ પોતાની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે મહાકાલના દર્શન માટે પહોંચ્યા હતા. તે પહેલા અક્ષર પટેલ પોતાની પત્ની મેહા સાથે દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે મહાકાલના શરણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા છે. શનિવાર સવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દર્શન માટે પહોંચ્યા હતા. સવારે થતી ભસ્મ આરતીનો લાભ પણ તેમણે લીધો હતો. 



ભસ્મ આરતીમાં વિરાટ અને અનુષ્કાએ લીધો ભાગ 

કલાક-દોઢ કલાક જેટલો સમય બંને મંદિરમાં બેઠા હતા. આરતી બાદ મંદિરના ગર્ભગૃહમાં જઈ પૂજા કરી હતી. વિરાટ કોહલીએ ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. મસ્તક પર ચંદનનો  ત્રિપુંડ કર્યું હતું. અનુષ્કા શર્માએ પણ સાડી પહેરી હતી. વિરાટ અને અનુષ્કા શર્માએ નવા વર્ષની શરૂઆત વૃંદાવનમાં કરી હતી. વૃંદાવન ખાતે આવેલા બાબા નીમ કરોલી આશ્રમ પહોંચ્યા હતા.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.