વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર, ભસ્મ આરતીનો લીધો લાભ


  • Published By :
  • Published Date : 2023-03-04 11:24:34

મહાદેવજીના શરણે આજ કાલ અનેક ક્રિકેટરો જઈ રહ્યા છે. થોડા સમય પહેલા કેએલ રાહુલ પોતાની પત્ની અશિયા શેટ્ટી સાથે મહાકાલના દર્શને પહોંચ્યા હતા. તો તેની પહેલા અક્ષર પટેલ પોતાની પત્ની મેહા સાથે મહાકાલના દર્શને પહોંચ્યા હતા. તો આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મહાકાલના શરણે ગયા હતા. વિરાટ કોહલીએ ધોતી અને રુદ્રાક્ષની માળા પહેરી હતી જ્યારે અનુષ્કા શર્માએ પણ સાડી પહેરી હતી. મહત્વનું છે કે 9 માર્ચથી અમદાવાદમાં મેચ યોજાવાની છે. 

     

અનેક ક્રિકેટરો પહોંચ્યા હતા મહાકાલના દર્શન માટે

ઘણા સમયથી ભારતીય ટીમના ક્રિકેટરો મહાકાલના દર્શન માટે જઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ પોતાની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે મહાકાલના દર્શન માટે પહોંચ્યા હતા. તે પહેલા અક્ષર પટેલ પોતાની પત્ની મેહા સાથે દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે મહાકાલના શરણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા છે. શનિવાર સવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દર્શન માટે પહોંચ્યા હતા. સવારે થતી ભસ્મ આરતીનો લાભ પણ તેમણે લીધો હતો. 



ભસ્મ આરતીમાં વિરાટ અને અનુષ્કાએ લીધો ભાગ 

કલાક-દોઢ કલાક જેટલો સમય બંને મંદિરમાં બેઠા હતા. આરતી બાદ મંદિરના ગર્ભગૃહમાં જઈ પૂજા કરી હતી. વિરાટ કોહલીએ ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. મસ્તક પર ચંદનનો  ત્રિપુંડ કર્યું હતું. અનુષ્કા શર્માએ પણ સાડી પહેરી હતી. વિરાટ અને અનુષ્કા શર્માએ નવા વર્ષની શરૂઆત વૃંદાવનમાં કરી હતી. વૃંદાવન ખાતે આવેલા બાબા નીમ કરોલી આશ્રમ પહોંચ્યા હતા.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.