ક્રિકેટ મેદાનમાં બાખડ્યા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર, બબાલના વીડિયો થયા વાયરલ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-02 09:11:42

હાલ આઈપીએલની મેચ ચાલી રહી છે. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાઈ હતી. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે થયેલી ચર્ચા એટલી ઉગ્ર બની કે અન્ય ખેલાડીઓએ મામલો શાંત કરવા વચ્ચે ઉતરવું પડ્યું હતું.

       

રોયલ ચેલેન્જર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે હતી મેચ!

મેચ દરમિયાન વિરાટ કોહલી એકદમ એક્ટિવ દેખાયા હતા. બંને વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન વિરાટ કોહલીએ અનેક કેચ પકડ્યા હતા. આની પહેલા પણ જ્યારે બંને ટીમો વચ્ચે મેચ થઈ હતી ત્યારે પણ બંને ખેલાડીઓ વચ્ચે ટશન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. લખનઉની ટીમે છેલ્લા બોલમાં બેંગ્લોરને હરાવી હતી. તે બાદ ગંભીરની ક્રાઉડ સાથે બોલાચાલી થઈ હતી. તે બાદ ફરી એક વખત ગઈકાલે બંને ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. 


મામલો શાંત કરવા અનેક ખેલાડીઓ વચ્ચે પડ્યા!

સોશિયલ મીડિયા પર બંને વચ્ચે થયેલી લડાઈનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન કોહલી અને નવીનની બોલાચાલી હતી. બોલાચાલી વધતા લખનઉ ટીમના અમિત મિશ્રા અને બેંગ્લુરૂ ટીમના કેપ્ટન પણ બચાવ માટે વચ્ચે પડયા હતા. ગૌતમ ગંભીરની સાથે ચર્ચા પછી વિરાટ કોહલી લોકેશ રાહુલની સાથે વાતચીત કરતા દેખાયા હતા. આ દરમિયાન વાતચીતથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેઓ આ ઘટના અંગે જ વાત કરતા હતા.   


ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે થઈ બબાલ!

જો આખા મામલાની વાત કરીએ તો નવીન અને કોહલી વચ્ચે મેદાન પર થોડી વાત થઈ હતી. મામલો વધતા મિશ્રાએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને કોહલીને અલગ કરી દીધો હતો. પરંતુ કોહલી સતત કંઈક કહેતો રહ્યો. આ દરમિયાન અમ્પાયરે તેની સાથે વાત પણ કરી હતી. મેચ પૂર્ણ થયા બાદ ગંભીર અને કોહલીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને આગળ વધ્યા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અહીંથી મામલો વધુ ઉગ્ર બન્યો. થોડા સમય બાદ ગંભીર આવે છે. કોહલી અને ગંભીર વચ્ચે થઈ હતી. મોહસીલ ખાને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અટકતો નથી. તે કોહલી નજીક આવે છે અને બંને વચ્ચે થોડી વાતો થઈ. ચર્ચા દરમિયાન ગંભીર ગુસ્સામાં દેખાતા હતા. મહત્વનું છે કે આઈપીએલ 2013માં પણ બંને વચ્ચે આવી જ રીતે ઝઘડો થયો હતો.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.