ક્રિકેટ મેદાનમાં બાખડ્યા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર, બબાલના વીડિયો થયા વાયરલ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-02 09:11:42

હાલ આઈપીએલની મેચ ચાલી રહી છે. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાઈ હતી. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે થયેલી ચર્ચા એટલી ઉગ્ર બની કે અન્ય ખેલાડીઓએ મામલો શાંત કરવા વચ્ચે ઉતરવું પડ્યું હતું.

       

રોયલ ચેલેન્જર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે હતી મેચ!

મેચ દરમિયાન વિરાટ કોહલી એકદમ એક્ટિવ દેખાયા હતા. બંને વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન વિરાટ કોહલીએ અનેક કેચ પકડ્યા હતા. આની પહેલા પણ જ્યારે બંને ટીમો વચ્ચે મેચ થઈ હતી ત્યારે પણ બંને ખેલાડીઓ વચ્ચે ટશન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. લખનઉની ટીમે છેલ્લા બોલમાં બેંગ્લોરને હરાવી હતી. તે બાદ ગંભીરની ક્રાઉડ સાથે બોલાચાલી થઈ હતી. તે બાદ ફરી એક વખત ગઈકાલે બંને ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. 


મામલો શાંત કરવા અનેક ખેલાડીઓ વચ્ચે પડ્યા!

સોશિયલ મીડિયા પર બંને વચ્ચે થયેલી લડાઈનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન કોહલી અને નવીનની બોલાચાલી હતી. બોલાચાલી વધતા લખનઉ ટીમના અમિત મિશ્રા અને બેંગ્લુરૂ ટીમના કેપ્ટન પણ બચાવ માટે વચ્ચે પડયા હતા. ગૌતમ ગંભીરની સાથે ચર્ચા પછી વિરાટ કોહલી લોકેશ રાહુલની સાથે વાતચીત કરતા દેખાયા હતા. આ દરમિયાન વાતચીતથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેઓ આ ઘટના અંગે જ વાત કરતા હતા.   


ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે થઈ બબાલ!

જો આખા મામલાની વાત કરીએ તો નવીન અને કોહલી વચ્ચે મેદાન પર થોડી વાત થઈ હતી. મામલો વધતા મિશ્રાએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને કોહલીને અલગ કરી દીધો હતો. પરંતુ કોહલી સતત કંઈક કહેતો રહ્યો. આ દરમિયાન અમ્પાયરે તેની સાથે વાત પણ કરી હતી. મેચ પૂર્ણ થયા બાદ ગંભીર અને કોહલીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને આગળ વધ્યા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અહીંથી મામલો વધુ ઉગ્ર બન્યો. થોડા સમય બાદ ગંભીર આવે છે. કોહલી અને ગંભીર વચ્ચે થઈ હતી. મોહસીલ ખાને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અટકતો નથી. તે કોહલી નજીક આવે છે અને બંને વચ્ચે થોડી વાતો થઈ. ચર્ચા દરમિયાન ગંભીર ગુસ્સામાં દેખાતા હતા. મહત્વનું છે કે આઈપીએલ 2013માં પણ બંને વચ્ચે આવી જ રીતે ઝઘડો થયો હતો.          



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.