કિંગ કોહલીની 47મી સદી, એશિયા કપમાં ભાગીદારીનો રેકોર્ડ, રાહુલ અને વિરાટે સર્જ્યા આ શાનદાર કીર્તિમાન


  • Published By :
  • Published Date : 2023-09-11 20:57:34

એશિયા કપ 2023ની સુપર 4 મેચના રિઝર્વ ડે પર પાકિસ્તાનની ટીમ ભારત સામે કોઈ વિકેટ લઈ શકી ન હતી. અણનમ બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સાથે ભારતીય ટીમે 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન હતો. રિઝર્વ ડે પર, બંને બેટ્સમેનોએ ધીમી શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે તક મળી ત્યારે તેમણે બાઉન્ડ્રી ફટકારી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, ચાલો તે કીર્તિમાન અંગે જણાવીએ.


એશિયા કપની સૌથી મોટી ભાગીદારી


વિરાટ કોહલી અને કેએલ રાહુલે 233 રનની ભાગીદારી કરી હતી. એશિયા કપના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ 2012માં પાકિસ્તાની બેટ્સમેનોએ ભારત સામે જ 224 રન બનાવ્યા હતા.


પાકિસ્તાન સામે સૌથી મોટી ભાગીદારી


ભારત માટે પણ પાકિસ્તાન સામેની વનડેમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ નવજોત સિંહ સિદ્ધુ અને સચિન તેંડુલકરના નામે હતો. બંનેએ 1996માં 231 રન જોડ્યા હતા.


રાહુલની છઠ્ઠી સદી


વનડે ક્રિકેટમાં KL રાહુલની આ છઠ્ઠી સદી છે. આ તેની બીજી સૌથી મોટી ઇનિંગ પણ છે. રાહુલે 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 111 રનની ઇનિંગ રમી હતી.


ત્રીજી વખત 3 અને 4 નંબરની સદી


ભારત માટે વનડેમાં ત્રીજી વખત નંબર 3 અને નંબર 4 પર આવતા બેટ્સમેનોએ સદી ફટકારી છે. 1999માં દ્રવિડ અને સચિને કેન્યા સામે સદી ફટકારી હતી અને 2009માં વિરાટ અને ગંભીરે 3 અને 4 નંબર પર રમતા શ્રીલંકા સામે સદી ફટકારી હતી.


કોહલીની 47મી ODI સદી


વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાની 47મી સદી પૂરી કરી છે. તે હવે મહાન સચિન તેંડુલકર કરતાં માત્ર બે સદી પાછળ છે. સચિને વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારી છે.


વિરાટે કોલંબોમાં સતત 4 સદી ફટકારી 


વિરાટ કોહલીએ કોલંબોના આર પ્રેસદાસા સ્ટેડિયમમાં સતત ચોથી સદી ફટકારી છે. અહીં વનડેમાં કોહલીની એવરેજ 128.2 થઈ ગઈ છે.


પાકિસ્તાન સામે સર્વોચ્ચ સ્કોર


ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડેમાં આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 2005માં આ સિદ્ધિ મેળવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.