કિંગ કોહલીની 47મી સદી, એશિયા કપમાં ભાગીદારીનો રેકોર્ડ, રાહુલ અને વિરાટે સર્જ્યા આ શાનદાર કીર્તિમાન


  • Published By :
  • Published Date : 2023-09-11 20:57:34

એશિયા કપ 2023ની સુપર 4 મેચના રિઝર્વ ડે પર પાકિસ્તાનની ટીમ ભારત સામે કોઈ વિકેટ લઈ શકી ન હતી. અણનમ બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સાથે ભારતીય ટીમે 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન હતો. રિઝર્વ ડે પર, બંને બેટ્સમેનોએ ધીમી શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે તક મળી ત્યારે તેમણે બાઉન્ડ્રી ફટકારી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, ચાલો તે કીર્તિમાન અંગે જણાવીએ.


એશિયા કપની સૌથી મોટી ભાગીદારી


વિરાટ કોહલી અને કેએલ રાહુલે 233 રનની ભાગીદારી કરી હતી. એશિયા કપના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ 2012માં પાકિસ્તાની બેટ્સમેનોએ ભારત સામે જ 224 રન બનાવ્યા હતા.


પાકિસ્તાન સામે સૌથી મોટી ભાગીદારી


ભારત માટે પણ પાકિસ્તાન સામેની વનડેમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ નવજોત સિંહ સિદ્ધુ અને સચિન તેંડુલકરના નામે હતો. બંનેએ 1996માં 231 રન જોડ્યા હતા.


રાહુલની છઠ્ઠી સદી


વનડે ક્રિકેટમાં KL રાહુલની આ છઠ્ઠી સદી છે. આ તેની બીજી સૌથી મોટી ઇનિંગ પણ છે. રાહુલે 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 111 રનની ઇનિંગ રમી હતી.


ત્રીજી વખત 3 અને 4 નંબરની સદી


ભારત માટે વનડેમાં ત્રીજી વખત નંબર 3 અને નંબર 4 પર આવતા બેટ્સમેનોએ સદી ફટકારી છે. 1999માં દ્રવિડ અને સચિને કેન્યા સામે સદી ફટકારી હતી અને 2009માં વિરાટ અને ગંભીરે 3 અને 4 નંબર પર રમતા શ્રીલંકા સામે સદી ફટકારી હતી.


કોહલીની 47મી ODI સદી


વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાની 47મી સદી પૂરી કરી છે. તે હવે મહાન સચિન તેંડુલકર કરતાં માત્ર બે સદી પાછળ છે. સચિને વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારી છે.


વિરાટે કોલંબોમાં સતત 4 સદી ફટકારી 


વિરાટ કોહલીએ કોલંબોના આર પ્રેસદાસા સ્ટેડિયમમાં સતત ચોથી સદી ફટકારી છે. અહીં વનડેમાં કોહલીની એવરેજ 128.2 થઈ ગઈ છે.


પાકિસ્તાન સામે સર્વોચ્ચ સ્કોર


ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડેમાં આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 2005માં આ સિદ્ધિ મેળવી હતી.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.