કિંગ કોહલીની 47મી સદી, એશિયા કપમાં ભાગીદારીનો રેકોર્ડ, રાહુલ અને વિરાટે સર્જ્યા આ શાનદાર કીર્તિમાન


  • Published By :
  • Published Date : 2023-09-11 20:57:34

એશિયા કપ 2023ની સુપર 4 મેચના રિઝર્વ ડે પર પાકિસ્તાનની ટીમ ભારત સામે કોઈ વિકેટ લઈ શકી ન હતી. અણનમ બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સાથે ભારતીય ટીમે 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન હતો. રિઝર્વ ડે પર, બંને બેટ્સમેનોએ ધીમી શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે તક મળી ત્યારે તેમણે બાઉન્ડ્રી ફટકારી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, ચાલો તે કીર્તિમાન અંગે જણાવીએ.


એશિયા કપની સૌથી મોટી ભાગીદારી


વિરાટ કોહલી અને કેએલ રાહુલે 233 રનની ભાગીદારી કરી હતી. એશિયા કપના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ 2012માં પાકિસ્તાની બેટ્સમેનોએ ભારત સામે જ 224 રન બનાવ્યા હતા.


પાકિસ્તાન સામે સૌથી મોટી ભાગીદારી


ભારત માટે પણ પાકિસ્તાન સામેની વનડેમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ નવજોત સિંહ સિદ્ધુ અને સચિન તેંડુલકરના નામે હતો. બંનેએ 1996માં 231 રન જોડ્યા હતા.


રાહુલની છઠ્ઠી સદી


વનડે ક્રિકેટમાં KL રાહુલની આ છઠ્ઠી સદી છે. આ તેની બીજી સૌથી મોટી ઇનિંગ પણ છે. રાહુલે 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 111 રનની ઇનિંગ રમી હતી.


ત્રીજી વખત 3 અને 4 નંબરની સદી


ભારત માટે વનડેમાં ત્રીજી વખત નંબર 3 અને નંબર 4 પર આવતા બેટ્સમેનોએ સદી ફટકારી છે. 1999માં દ્રવિડ અને સચિને કેન્યા સામે સદી ફટકારી હતી અને 2009માં વિરાટ અને ગંભીરે 3 અને 4 નંબર પર રમતા શ્રીલંકા સામે સદી ફટકારી હતી.


કોહલીની 47મી ODI સદી


વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાની 47મી સદી પૂરી કરી છે. તે હવે મહાન સચિન તેંડુલકર કરતાં માત્ર બે સદી પાછળ છે. સચિને વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારી છે.


વિરાટે કોલંબોમાં સતત 4 સદી ફટકારી 


વિરાટ કોહલીએ કોલંબોના આર પ્રેસદાસા સ્ટેડિયમમાં સતત ચોથી સદી ફટકારી છે. અહીં વનડેમાં કોહલીની એવરેજ 128.2 થઈ ગઈ છે.


પાકિસ્તાન સામે સર્વોચ્ચ સ્કોર


ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડેમાં આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 2005માં આ સિદ્ધિ મેળવી હતી.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.