કિંગ કોહલીની 47મી સદી, એશિયા કપમાં ભાગીદારીનો રેકોર્ડ, રાહુલ અને વિરાટે સર્જ્યા આ શાનદાર કીર્તિમાન


  • Published By :
  • Published Date : 2023-09-11 20:57:34

એશિયા કપ 2023ની સુપર 4 મેચના રિઝર્વ ડે પર પાકિસ્તાનની ટીમ ભારત સામે કોઈ વિકેટ લઈ શકી ન હતી. અણનમ બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સાથે ભારતીય ટીમે 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન હતો. રિઝર્વ ડે પર, બંને બેટ્સમેનોએ ધીમી શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે તક મળી ત્યારે તેમણે બાઉન્ડ્રી ફટકારી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, ચાલો તે કીર્તિમાન અંગે જણાવીએ.


એશિયા કપની સૌથી મોટી ભાગીદારી


વિરાટ કોહલી અને કેએલ રાહુલે 233 રનની ભાગીદારી કરી હતી. એશિયા કપના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ 2012માં પાકિસ્તાની બેટ્સમેનોએ ભારત સામે જ 224 રન બનાવ્યા હતા.


પાકિસ્તાન સામે સૌથી મોટી ભાગીદારી


ભારત માટે પણ પાકિસ્તાન સામેની વનડેમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ નવજોત સિંહ સિદ્ધુ અને સચિન તેંડુલકરના નામે હતો. બંનેએ 1996માં 231 રન જોડ્યા હતા.


રાહુલની છઠ્ઠી સદી


વનડે ક્રિકેટમાં KL રાહુલની આ છઠ્ઠી સદી છે. આ તેની બીજી સૌથી મોટી ઇનિંગ પણ છે. રાહુલે 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 111 રનની ઇનિંગ રમી હતી.


ત્રીજી વખત 3 અને 4 નંબરની સદી


ભારત માટે વનડેમાં ત્રીજી વખત નંબર 3 અને નંબર 4 પર આવતા બેટ્સમેનોએ સદી ફટકારી છે. 1999માં દ્રવિડ અને સચિને કેન્યા સામે સદી ફટકારી હતી અને 2009માં વિરાટ અને ગંભીરે 3 અને 4 નંબર પર રમતા શ્રીલંકા સામે સદી ફટકારી હતી.


કોહલીની 47મી ODI સદી


વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાની 47મી સદી પૂરી કરી છે. તે હવે મહાન સચિન તેંડુલકર કરતાં માત્ર બે સદી પાછળ છે. સચિને વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારી છે.


વિરાટે કોલંબોમાં સતત 4 સદી ફટકારી 


વિરાટ કોહલીએ કોલંબોના આર પ્રેસદાસા સ્ટેડિયમમાં સતત ચોથી સદી ફટકારી છે. અહીં વનડેમાં કોહલીની એવરેજ 128.2 થઈ ગઈ છે.


પાકિસ્તાન સામે સર્વોચ્ચ સ્કોર


ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડેમાં આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 2005માં આ સિદ્ધિ મેળવી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.