સોશિયલ મીડિયા પર છવાયો વિરાટ, 5 કરોડ ફોલોઅર્સ ધરાવનારો પ્રથમ ક્રિકેટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:27:27

ક્રિકેટના મેદાન પર અનેક કીર્તિમાન રચનારા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મિડીયા પર નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 

વિરાટ કોહલી ટ્વિટર પર 50 મિલિયન (5 કરોડ ) ફોલોઅર્સ ધરાવનારો પ્રથમ ક્રિકેટર બન્યો છે. 33 વર્ષીય જમણેરી બેટ્સ મેન દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર ક્રિકેટર છે. 211 મિલિયન ફોલોઅર્સ સાથે કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનાર સ્પોર્ટ્સપર્સનની યાદીમાં ત્રીજા સ્થાને છે.


વિરાટની આગળ માત્ર 4 ખ્યાતનામ હસ્તીઓ

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે વિશ્વની તમામ ખ્યાતનામ હસ્તીઓને પાછળ રાખી દીધી છે. પરંતું હજુ પમ દુનિયામાં એવી 4 લોકો છે જે વિરાટથી આગળ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, (476 મિલિયન), કાઈલી જેનર (366 મિલિયન), સેલેના ગોમ્સ (342 મિલિયન) અને ડ્વેન જોન્સન (334 મિલિયન) ફોલોઅર્સ ધરાવે છે અને તે કોહલીથી પણ આગળ છે.


વિરાટ કોહલીએ 1020 દિવસ પછી ફટકારી સદી

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2 વર્ષ 9 મહિના અને 16 દિવસ પછી એટલે કે 1020 દિવસ પછી સેન્ચુરી મારી હતી. તેણે શાનદાર રીતે ફોર્મમાં પરત ફરતાં અફઘાનિસ્તાન વિરુદ્ધ એશિયા કપની ગ્રૂપ મેચમાં દુબઈ ખાતે  61 બોલમાં 122* રનની જોરદાર ઇનિંગ્સ રમી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 200ની સ્ટ્રાઇક રેટથી રમતા 12 ફોર અને 6 સિક્સ મારી હતી.


કોહલીની આ T20 ઇન્ટરનેશનલમાં પ્રથમ સદી હતી. આ સાથે જ તેણે આ ફોર્મેટની એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડ્યો છે. અગાઉ રોહિતે 2017માં શ્રીલંકા વિરુદ્ધ ઇન્દોર ખાતે 118 રન બનાવ્યા હતા.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.