સોશિયલ મીડિયા પર છવાયો વિરાટ, 5 કરોડ ફોલોઅર્સ ધરાવનારો પ્રથમ ક્રિકેટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:27:27

ક્રિકેટના મેદાન પર અનેક કીર્તિમાન રચનારા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મિડીયા પર નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 

વિરાટ કોહલી ટ્વિટર પર 50 મિલિયન (5 કરોડ ) ફોલોઅર્સ ધરાવનારો પ્રથમ ક્રિકેટર બન્યો છે. 33 વર્ષીય જમણેરી બેટ્સ મેન દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર ક્રિકેટર છે. 211 મિલિયન ફોલોઅર્સ સાથે કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનાર સ્પોર્ટ્સપર્સનની યાદીમાં ત્રીજા સ્થાને છે.


વિરાટની આગળ માત્ર 4 ખ્યાતનામ હસ્તીઓ

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે વિશ્વની તમામ ખ્યાતનામ હસ્તીઓને પાછળ રાખી દીધી છે. પરંતું હજુ પમ દુનિયામાં એવી 4 લોકો છે જે વિરાટથી આગળ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, (476 મિલિયન), કાઈલી જેનર (366 મિલિયન), સેલેના ગોમ્સ (342 મિલિયન) અને ડ્વેન જોન્સન (334 મિલિયન) ફોલોઅર્સ ધરાવે છે અને તે કોહલીથી પણ આગળ છે.


વિરાટ કોહલીએ 1020 દિવસ પછી ફટકારી સદી

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2 વર્ષ 9 મહિના અને 16 દિવસ પછી એટલે કે 1020 દિવસ પછી સેન્ચુરી મારી હતી. તેણે શાનદાર રીતે ફોર્મમાં પરત ફરતાં અફઘાનિસ્તાન વિરુદ્ધ એશિયા કપની ગ્રૂપ મેચમાં દુબઈ ખાતે  61 બોલમાં 122* રનની જોરદાર ઇનિંગ્સ રમી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 200ની સ્ટ્રાઇક રેટથી રમતા 12 ફોર અને 6 સિક્સ મારી હતી.


કોહલીની આ T20 ઇન્ટરનેશનલમાં પ્રથમ સદી હતી. આ સાથે જ તેણે આ ફોર્મેટની એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડ્યો છે. અગાઉ રોહિતે 2017માં શ્રીલંકા વિરુદ્ધ ઇન્દોર ખાતે 118 રન બનાવ્યા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.