BCCIનો મોટો નિર્ણય: કોહલી અને રાહુલ આફ્રિકા સિરિઝની ત્રીજી ટી-20માંથી બહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:35:04

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી20 સિરિઝ માંથી ભારતે પહેલી બે ટી20 જીતી લીધી છે. એટલે કે ભારતે આ સિરિઝ પર કબજો કરી લીધો છે અને હવે એક અંતિમ ટી 20 બાકી છે. જો કે  BCCI મહત્વનો નિર્ણય લેતા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં આરામ આપવામાં આવ્યો છે. 


કેએલ રાહુલ  અને કોહલીને આરામ અપાયો


BCCIના સુત્રોએ જણાવ્યું  કે વિરાટ કોહલી અને કેએલ રાહુલ રાખીને તેને ત્રીજી ટી20માં આરામ આપવામાં આવ્યો છે. કોહલી આગામી ટી20 વર્લ્ડ કપમાં સારો દેખાવ કરે અને તેનું ફોર્મ પણ જળવાઈ રહે તે માટે તેને આરામની જરુર હતી તેથી તેને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ હવે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સીધા મેદાનમાં જોવા મળશે.


શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું 


વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપ્યા બાદ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 જોવા મળી શકે છે. બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી ટી-20 મેચ ઇન્દોરમાં રમાશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.