BCCIનો મોટો નિર્ણય: કોહલી અને રાહુલ આફ્રિકા સિરિઝની ત્રીજી ટી-20માંથી બહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:35:04

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી20 સિરિઝ માંથી ભારતે પહેલી બે ટી20 જીતી લીધી છે. એટલે કે ભારતે આ સિરિઝ પર કબજો કરી લીધો છે અને હવે એક અંતિમ ટી 20 બાકી છે. જો કે  BCCI મહત્વનો નિર્ણય લેતા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં આરામ આપવામાં આવ્યો છે. 


કેએલ રાહુલ  અને કોહલીને આરામ અપાયો


BCCIના સુત્રોએ જણાવ્યું  કે વિરાટ કોહલી અને કેએલ રાહુલ રાખીને તેને ત્રીજી ટી20માં આરામ આપવામાં આવ્યો છે. કોહલી આગામી ટી20 વર્લ્ડ કપમાં સારો દેખાવ કરે અને તેનું ફોર્મ પણ જળવાઈ રહે તે માટે તેને આરામની જરુર હતી તેથી તેને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ હવે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સીધા મેદાનમાં જોવા મળશે.


શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું 


વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપ્યા બાદ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 જોવા મળી શકે છે. બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી ટી-20 મેચ ઇન્દોરમાં રમાશે.  



પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી... વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...

નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..