વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી, ODI ક્રિકેટમાં 13 હજાર રન, સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-11 20:18:00

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ એશિયા કપના સુપર-4માં પાકિસ્તાની બોલરની જબરદસ્ત ધુલાઈ કરી છે.  વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 47મી સદી છે. કોહલી ઇનિંગ્સના અંત સુધી અણનમ રહ્યો અને તેણે 122 રનની ઇનિંગ રમી હતી. 94 બોલનો સામનો કરતા તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા.


સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો


આ ઈનિંગ દરમિયાન કોહલી વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો. કોહલીએ આ મામલે ભારતના જ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે વિરાટે આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી હતી.


વન ડે ક્રિકેટમાં 13 હજાર રન 


વન ડે ક્રિકેટમાં પોતાની 47મી સદી સાથે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 13 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. વિરાટ કોહલીએ પોતાની 278મી ODI મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી ODIમાં 13 હજાર રન બનાવનાર 5મો બેટ્સમેન પણ બની ગયો છે. વિરાટ કોહલીથી આગળ ભારતના સચિન તેંડુલકર (18426), કુમાર સંગાકારા (14234), રિકી પોન્ટિંગ (13704) અને સનથ જયસૂર્યા (13430) છે.


પ્રેમદાસા મેદાન પર કોહલીની ચોથી સદી


આટલું જ નહીં વિરાટ કોહલીએ કોલંબોના પ્રેમદાસા મેદાન પર સતત ચોથી સદી ફટકારવાની સિદ્ધિ પણ મેળવી હતી. આ મામલે કોહલીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલાની બરાબરી કરી લીધી છે. તેણે સેન્ચુરિયન મેદાન પર વનડેમાં ચાર સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.