વિરાટ કોહલી આક્રમક ફોર્મમાં, 46મી ODI સદી ફટકારી, શુભમન ગિલની પણ કરિયરની પહેલી સદી


  • Published By :
  • Published Date : 2023-01-15 19:01:01

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી તેના જુના ફોર્મ પાછો ફર્યો છે. વિરાટ કોહલીએ આજે રવિવારે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં સદી ફટકારી છે.  10 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 85 બોલમાં સદી ફટકારતાં જ કોહલીની ઈન્ટરનેશનલ કરિયરમાં આ 46મી સદી છે. છેલ્લી ચાર વન-ડેમાં વિરાટે ત્રીજી સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામેની સિરીઝની છેલ્લી મેચમાં સદી ફટકાર્યા પછી વિરાટે શ્રીલંકા સામેની હાલની સિરીઝની પહેલી અને આજની ત્રીજી મેચમાં સદી ફટકારી છે. 


ભારતનો ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય 


કેરળના તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામેની સિરીઝની આજે છેલ્લી મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. તેમણે વન-ડે કરિયરની 46મી સદી ફટકારી હતી. યુવા ઓપનર શુભમન ગિલે 97 બોલમાં 116 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 42 રન અને શ્રેયસ અય્યરે 32 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ, જ્યારે ચમિકા કરુણારત્નેને 1 વિકેટ મળી હતી.


શુભમન ગિલે કરિયરની પહેલી સદી ફટકારી


યુવા ઓપનર શુભમન ગિલે પોતાના વન-ડે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી છે. તેણે 89 બોલમાં સદી પૂરી કરી હતી. તે 97 બોલમાં 116 રને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 110 બોલમાં 131 રનની પાર્ટનરશિપ કરી હતી. તે જ પ્રકારે કેપ્ટન રોહિત શર્મા સાથે પણ શુભમન ગીલે 95 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બન્નેએ 92 બોલનો સામનો કર્યો હતો. 


ભારત પાસે છે શ્રીલંકાને વ્હાઈટ વોશ કરવાની તક


યજમાન ભારત 3 મેચની વન-ડે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ પર છે. ટીમ ઈન્ડિયા પાસે ચોથી વખત શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવાની તક છે. તો, શ્રીલંકાની ટીમ મેચ જીતીને ICC સુપર લીગના પોઇન્ટ્સ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે રમી રહી છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 19 બાઇલેટરલ વન-ડે સિરીઝ રમાઈ છે. ભારત 14 વખત અને શ્રીલંકા બે વખત જીત્યું હતું. જેમાંથી 3 સિરીઝ ડ્રો રહી હતી. 14માંથી 3 વખત, ભારતે શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરી છે. જો આજની મેચ જીતીશું તો ભારત વન-ડેમાં ચોથી વખત શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરશે. ભારતે ત્રીજી વનડેમાં શ્રીલંકા સામે એટલો મોટો સ્કોર કર્યો છે કે શ્રીલંકાની ટીમ માટે આ મેચ જીતવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કાર્ય છે.





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી