વિરાટ કોહલી આક્રમક ફોર્મમાં, 46મી ODI સદી ફટકારી, શુભમન ગિલની પણ કરિયરની પહેલી સદી


  • Published By :
  • Published Date : 2023-01-15 19:01:01

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી તેના જુના ફોર્મ પાછો ફર્યો છે. વિરાટ કોહલીએ આજે રવિવારે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં સદી ફટકારી છે.  10 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 85 બોલમાં સદી ફટકારતાં જ કોહલીની ઈન્ટરનેશનલ કરિયરમાં આ 46મી સદી છે. છેલ્લી ચાર વન-ડેમાં વિરાટે ત્રીજી સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામેની સિરીઝની છેલ્લી મેચમાં સદી ફટકાર્યા પછી વિરાટે શ્રીલંકા સામેની હાલની સિરીઝની પહેલી અને આજની ત્રીજી મેચમાં સદી ફટકારી છે. 


ભારતનો ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય 


કેરળના તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામેની સિરીઝની આજે છેલ્લી મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. તેમણે વન-ડે કરિયરની 46મી સદી ફટકારી હતી. યુવા ઓપનર શુભમન ગિલે 97 બોલમાં 116 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 42 રન અને શ્રેયસ અય્યરે 32 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ, જ્યારે ચમિકા કરુણારત્નેને 1 વિકેટ મળી હતી.


શુભમન ગિલે કરિયરની પહેલી સદી ફટકારી


યુવા ઓપનર શુભમન ગિલે પોતાના વન-ડે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી છે. તેણે 89 બોલમાં સદી પૂરી કરી હતી. તે 97 બોલમાં 116 રને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 110 બોલમાં 131 રનની પાર્ટનરશિપ કરી હતી. તે જ પ્રકારે કેપ્ટન રોહિત શર્મા સાથે પણ શુભમન ગીલે 95 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બન્નેએ 92 બોલનો સામનો કર્યો હતો. 


ભારત પાસે છે શ્રીલંકાને વ્હાઈટ વોશ કરવાની તક


યજમાન ભારત 3 મેચની વન-ડે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ પર છે. ટીમ ઈન્ડિયા પાસે ચોથી વખત શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવાની તક છે. તો, શ્રીલંકાની ટીમ મેચ જીતીને ICC સુપર લીગના પોઇન્ટ્સ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે રમી રહી છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 19 બાઇલેટરલ વન-ડે સિરીઝ રમાઈ છે. ભારત 14 વખત અને શ્રીલંકા બે વખત જીત્યું હતું. જેમાંથી 3 સિરીઝ ડ્રો રહી હતી. 14માંથી 3 વખત, ભારતે શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરી છે. જો આજની મેચ જીતીશું તો ભારત વન-ડેમાં ચોથી વખત શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરશે. ભારતે ત્રીજી વનડેમાં શ્રીલંકા સામે એટલો મોટો સ્કોર કર્યો છે કે શ્રીલંકાની ટીમ માટે આ મેચ જીતવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કાર્ય છે.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.