ત્રિપુરામાં વિધાનસભાની 60 બેઠકો માટે મતદાન થયું શરૂ, 259 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી


  • Published By :
  • Published Date : 2023-02-16 09:06:16

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 259 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે જેમાં 31 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. મતદાતાને અસુવિધા ન થાય તે માટે 3327 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 31 હજાર મતદાન કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થવાની છે. 

ભારે સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ મતદાન પ્રક્રિયા 

ત્રિપુરામાં કુલ 60 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. 28.13 લાખ મતદાતા 259 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. મતદાન મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કરાવવા 31000 મતદાન કર્મીઓ અને કેન્દ્રીય દળના 25000 સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસના 31000 જવાન પણ તૈનાત કરાયા છે. 



મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

સવારના સાત વાગ્યાથી આ મતદાન શરૂ થયું છે જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. 3327 મતદાન કેન્દ્રો છે જેમાંથી 1100 જેટલા મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે જ્યારે 28 મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ છે. લોકશાહીના પર્વમાં લોકો ભાગ લે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે. ભાજપે કુલ 55 બેઠકો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આઈપીએફટીએ 6 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. મમતા બેનર્જીની પાર્ટીએ 47 બેઠક પર મતદાન લડવાનું એલાન કર્યું છે જ્યારે કોંગ્રેસે 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સવારથી મતદાન કેન્દ્રો પર લાઈન જોવા મળી રહી છે. ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું છે.

   









અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.