ત્રિપુરામાં વિધાનસભાની 60 બેઠકો માટે મતદાન થયું શરૂ, 259 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી


  • Published By :
  • Published Date : 2023-02-16 09:06:16

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 259 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે જેમાં 31 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. મતદાતાને અસુવિધા ન થાય તે માટે 3327 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 31 હજાર મતદાન કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થવાની છે. 

ભારે સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ મતદાન પ્રક્રિયા 

ત્રિપુરામાં કુલ 60 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. 28.13 લાખ મતદાતા 259 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. મતદાન મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કરાવવા 31000 મતદાન કર્મીઓ અને કેન્દ્રીય દળના 25000 સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસના 31000 જવાન પણ તૈનાત કરાયા છે. 



મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

સવારના સાત વાગ્યાથી આ મતદાન શરૂ થયું છે જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. 3327 મતદાન કેન્દ્રો છે જેમાંથી 1100 જેટલા મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે જ્યારે 28 મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ છે. લોકશાહીના પર્વમાં લોકો ભાગ લે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે. ભાજપે કુલ 55 બેઠકો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આઈપીએફટીએ 6 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. મમતા બેનર્જીની પાર્ટીએ 47 બેઠક પર મતદાન લડવાનું એલાન કર્યું છે જ્યારે કોંગ્રેસે 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સવારથી મતદાન કેન્દ્રો પર લાઈન જોવા મળી રહી છે. ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું છે.

   









રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.