ત્રિપુરામાં વિધાનસભાની 60 બેઠકો માટે મતદાન થયું શરૂ, 259 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી


  • Published By :
  • Published Date : 2023-02-16 09:06:16

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 259 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે જેમાં 31 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. મતદાતાને અસુવિધા ન થાય તે માટે 3327 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 31 હજાર મતદાન કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થવાની છે. 

ભારે સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ મતદાન પ્રક્રિયા 

ત્રિપુરામાં કુલ 60 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. 28.13 લાખ મતદાતા 259 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. મતદાન મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કરાવવા 31000 મતદાન કર્મીઓ અને કેન્દ્રીય દળના 25000 સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસના 31000 જવાન પણ તૈનાત કરાયા છે. 



મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

સવારના સાત વાગ્યાથી આ મતદાન શરૂ થયું છે જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. 3327 મતદાન કેન્દ્રો છે જેમાંથી 1100 જેટલા મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે જ્યારે 28 મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ છે. લોકશાહીના પર્વમાં લોકો ભાગ લે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે. ભાજપે કુલ 55 બેઠકો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આઈપીએફટીએ 6 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. મમતા બેનર્જીની પાર્ટીએ 47 બેઠક પર મતદાન લડવાનું એલાન કર્યું છે જ્યારે કોંગ્રેસે 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સવારથી મતદાન કેન્દ્રો પર લાઈન જોવા મળી રહી છે. ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું છે.

   









Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.