ત્રિપુરામાં વિધાનસભાની 60 બેઠકો માટે મતદાન થયું શરૂ, 259 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી


  • Published By :
  • Published Date : 2023-02-16 09:06:16

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 259 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે જેમાં 31 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. મતદાતાને અસુવિધા ન થાય તે માટે 3327 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 31 હજાર મતદાન કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થવાની છે. 

ભારે સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ મતદાન પ્રક્રિયા 

ત્રિપુરામાં કુલ 60 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. 28.13 લાખ મતદાતા 259 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. મતદાન મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કરાવવા 31000 મતદાન કર્મીઓ અને કેન્દ્રીય દળના 25000 સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસના 31000 જવાન પણ તૈનાત કરાયા છે. 



મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

સવારના સાત વાગ્યાથી આ મતદાન શરૂ થયું છે જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. 3327 મતદાન કેન્દ્રો છે જેમાંથી 1100 જેટલા મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે જ્યારે 28 મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ છે. લોકશાહીના પર્વમાં લોકો ભાગ લે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે. ભાજપે કુલ 55 બેઠકો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આઈપીએફટીએ 6 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. મમતા બેનર્જીની પાર્ટીએ 47 બેઠક પર મતદાન લડવાનું એલાન કર્યું છે જ્યારે કોંગ્રેસે 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સવારથી મતદાન કેન્દ્રો પર લાઈન જોવા મળી રહી છે. ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું છે.

   









રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.