કર્ણાટકમાં 224 સીટો માટે શરૂ થયું મતદાન! કેન્દ્રીય નાણામંત્રી સહિત અનેક નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ! હજી સુધી આટલા ટકા થયું મતદાન


  • Published By :
  • Published Date : 2023-05-10 12:57:31

કર્ણાટકમાં 224 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારના સાત વાગ્યાથી મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. 224 સીટ માટે 2614 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વોટિંગ કરવા માટે વહેલી સવારથી મતદાતાઓ પહોંચી રહ્યા છે. વોટિંગ માટે સેલિબ્રિટી તેમજ નેતાઓ મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે. સવારના 11 વાગ્યા સુધી 21 ટકા મતદાન થયું છે.

 

  

અનેક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન! 

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ પણ મતદાન કર્યું હતું. મતદાન કેન્દ્ર પર પહોંચતા પહેલા તેમણે મંદિરમાં દર્શન કર્યા હતા. તે સિવાય હાલના મુખ્યમંત્રીએ પણ મતદાન કરતા પહેલા ભગવાનના દર્શન કર્યા હતા. અભિનેતા પ્રકાશ રાજે શાંતિનગર સ્થિત મતદાન કેન્દ્રમાં વોટ કર્યો હતો.  તે સિવાય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ બેંગલુરૂના વિજયનગર પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું છે. મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ પ્રચારમાં કોઈ કસર નથી રાખી. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા.

5.22 કરોડ મતદાતા કરવાના છે મતદાન!

આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના મોટા નેતાઓએ 450થી વધુ સભા કરી છે. તે ઉપરાંત 100થી વધુ રોડ શો કર્યા છે. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ પ્રચારમાં કોઈ કસર રાખવામાં આવી નથી. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો છે. 5.22 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે. 9.17 લાખ વોટર્સ પહેલી વખત મતદાન કરવાના છે. ત્યારે કર્ણાટકમાં કોની સરકાર બને છે તે 13 મેના રોજ ખબર પડશે કારણ કે મતદાનનું પરિણામ 13 મેના રોજ આવવાનું છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.