કર્ણાટકમાં 224 સીટો માટે શરૂ થયું મતદાન! કેન્દ્રીય નાણામંત્રી સહિત અનેક નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ! હજી સુધી આટલા ટકા થયું મતદાન


  • Published By :
  • Published Date : 2023-05-10 12:57:31

કર્ણાટકમાં 224 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારના સાત વાગ્યાથી મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. 224 સીટ માટે 2614 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વોટિંગ કરવા માટે વહેલી સવારથી મતદાતાઓ પહોંચી રહ્યા છે. વોટિંગ માટે સેલિબ્રિટી તેમજ નેતાઓ મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે. સવારના 11 વાગ્યા સુધી 21 ટકા મતદાન થયું છે.

 

  

અનેક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન! 

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ પણ મતદાન કર્યું હતું. મતદાન કેન્દ્ર પર પહોંચતા પહેલા તેમણે મંદિરમાં દર્શન કર્યા હતા. તે સિવાય હાલના મુખ્યમંત્રીએ પણ મતદાન કરતા પહેલા ભગવાનના દર્શન કર્યા હતા. અભિનેતા પ્રકાશ રાજે શાંતિનગર સ્થિત મતદાન કેન્દ્રમાં વોટ કર્યો હતો.  તે સિવાય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ બેંગલુરૂના વિજયનગર પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું છે. મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ પ્રચારમાં કોઈ કસર નથી રાખી. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા.

5.22 કરોડ મતદાતા કરવાના છે મતદાન!

આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના મોટા નેતાઓએ 450થી વધુ સભા કરી છે. તે ઉપરાંત 100થી વધુ રોડ શો કર્યા છે. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ પ્રચારમાં કોઈ કસર રાખવામાં આવી નથી. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો છે. 5.22 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે. 9.17 લાખ વોટર્સ પહેલી વખત મતદાન કરવાના છે. ત્યારે કર્ણાટકમાં કોની સરકાર બને છે તે 13 મેના રોજ ખબર પડશે કારણ કે મતદાનનું પરિણામ 13 મેના રોજ આવવાનું છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.