કર્ણાટકમાં 224 સીટો માટે શરૂ થયું મતદાન! કેન્દ્રીય નાણામંત્રી સહિત અનેક નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ! હજી સુધી આટલા ટકા થયું મતદાન


  • Published By :
  • Published Date : 2023-05-10 12:57:31

કર્ણાટકમાં 224 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારના સાત વાગ્યાથી મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. 224 સીટ માટે 2614 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વોટિંગ કરવા માટે વહેલી સવારથી મતદાતાઓ પહોંચી રહ્યા છે. વોટિંગ માટે સેલિબ્રિટી તેમજ નેતાઓ મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે. સવારના 11 વાગ્યા સુધી 21 ટકા મતદાન થયું છે.

 

  

અનેક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન! 

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ પણ મતદાન કર્યું હતું. મતદાન કેન્દ્ર પર પહોંચતા પહેલા તેમણે મંદિરમાં દર્શન કર્યા હતા. તે સિવાય હાલના મુખ્યમંત્રીએ પણ મતદાન કરતા પહેલા ભગવાનના દર્શન કર્યા હતા. અભિનેતા પ્રકાશ રાજે શાંતિનગર સ્થિત મતદાન કેન્દ્રમાં વોટ કર્યો હતો.  તે સિવાય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ બેંગલુરૂના વિજયનગર પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું છે. મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ પ્રચારમાં કોઈ કસર નથી રાખી. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા.

5.22 કરોડ મતદાતા કરવાના છે મતદાન!

આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના મોટા નેતાઓએ 450થી વધુ સભા કરી છે. તે ઉપરાંત 100થી વધુ રોડ શો કર્યા છે. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ પ્રચારમાં કોઈ કસર રાખવામાં આવી નથી. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો છે. 5.22 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે. 9.17 લાખ વોટર્સ પહેલી વખત મતદાન કરવાના છે. ત્યારે કર્ણાટકમાં કોની સરકાર બને છે તે 13 મેના રોજ ખબર પડશે કારણ કે મતદાનનું પરિણામ 13 મેના રોજ આવવાનું છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.