મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન પ્રક્રિયાનો થયો આરંભ, 11 વાગ્યા સુધી જાણો કેટલા ટકા થયું મતદાન


  • Published By :
  • Published Date : 2023-02-27 13:03:05

વર્ષ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે આજે બે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે. મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાતાઓ મતદાન કરી ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરી રહ્યા છે. 60 બેઠકો માટે મેઘાલયમાં મતદાન થવાનું હતું પરંતુ એક ઉમેદવારનું અવસાન થવાને કારણે ત્યાં મતદાન ટાળી દેવામાં આવ્યું છે. જ્યારે નાગાલેન્ડમાં 59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. નાગાલેન્ડમાં પણ 60 બેઠકો છે પરંતુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા છે.

   

2 માર્ચના રોજ આવશે પરિણામ 

સવારના સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. 9 વાગ્યા સુધી મેઘાલયમાં 12.06 ટકા જ્યારે નાગાલેન્ડમાં 17.17 ટકા મતદાન થયું હતું. 11 વાગ્યા સુધી થયેલા મતદાનમાં મેઘાલયમાં 26.70 ટકા જ્યારે નાગાલેન્ડમાં 38.68 ટકા થયું હતું. મતદાન શરૂ થાય તે પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉપરાંત રાજ્યોની સીમાઓને પણ સીલ કરી દેવામાં આવી હતી. મેઘાલયમાં 375 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જેમાં 36 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નાગાલેન્ડમાં 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. બંને રાજ્યોમાં પ્રચાર માટે પાર્ટીઓએ પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે ઉતાર્યા હતા. ત્યારે 2 માર્ચના રોજ મતગણતરી થવાની છે ત્યારે ખબર પડશે કોણ જીત્યું અને કોણ હાર્યું છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.