મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન પ્રક્રિયાનો થયો આરંભ, 11 વાગ્યા સુધી જાણો કેટલા ટકા થયું મતદાન


  • Published By :
  • Published Date : 2023-02-27 13:03:05

વર્ષ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે આજે બે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે. મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાતાઓ મતદાન કરી ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરી રહ્યા છે. 60 બેઠકો માટે મેઘાલયમાં મતદાન થવાનું હતું પરંતુ એક ઉમેદવારનું અવસાન થવાને કારણે ત્યાં મતદાન ટાળી દેવામાં આવ્યું છે. જ્યારે નાગાલેન્ડમાં 59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. નાગાલેન્ડમાં પણ 60 બેઠકો છે પરંતુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા છે.

   

2 માર્ચના રોજ આવશે પરિણામ 

સવારના સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. 9 વાગ્યા સુધી મેઘાલયમાં 12.06 ટકા જ્યારે નાગાલેન્ડમાં 17.17 ટકા મતદાન થયું હતું. 11 વાગ્યા સુધી થયેલા મતદાનમાં મેઘાલયમાં 26.70 ટકા જ્યારે નાગાલેન્ડમાં 38.68 ટકા થયું હતું. મતદાન શરૂ થાય તે પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉપરાંત રાજ્યોની સીમાઓને પણ સીલ કરી દેવામાં આવી હતી. મેઘાલયમાં 375 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જેમાં 36 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નાગાલેન્ડમાં 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. બંને રાજ્યોમાં પ્રચાર માટે પાર્ટીઓએ પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે ઉતાર્યા હતા. ત્યારે 2 માર્ચના રોજ મતગણતરી થવાની છે ત્યારે ખબર પડશે કોણ જીત્યું અને કોણ હાર્યું છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.