મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન પ્રક્રિયાનો થયો આરંભ, 11 વાગ્યા સુધી જાણો કેટલા ટકા થયું મતદાન


  • Published By :
  • Published Date : 2023-02-27 13:03:05

વર્ષ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે આજે બે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે. મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાતાઓ મતદાન કરી ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરી રહ્યા છે. 60 બેઠકો માટે મેઘાલયમાં મતદાન થવાનું હતું પરંતુ એક ઉમેદવારનું અવસાન થવાને કારણે ત્યાં મતદાન ટાળી દેવામાં આવ્યું છે. જ્યારે નાગાલેન્ડમાં 59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. નાગાલેન્ડમાં પણ 60 બેઠકો છે પરંતુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા છે.

   

2 માર્ચના રોજ આવશે પરિણામ 

સવારના સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. 9 વાગ્યા સુધી મેઘાલયમાં 12.06 ટકા જ્યારે નાગાલેન્ડમાં 17.17 ટકા મતદાન થયું હતું. 11 વાગ્યા સુધી થયેલા મતદાનમાં મેઘાલયમાં 26.70 ટકા જ્યારે નાગાલેન્ડમાં 38.68 ટકા થયું હતું. મતદાન શરૂ થાય તે પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉપરાંત રાજ્યોની સીમાઓને પણ સીલ કરી દેવામાં આવી હતી. મેઘાલયમાં 375 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જેમાં 36 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નાગાલેન્ડમાં 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. બંને રાજ્યોમાં પ્રચાર માટે પાર્ટીઓએ પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે ઉતાર્યા હતા. ત્યારે 2 માર્ચના રોજ મતગણતરી થવાની છે ત્યારે ખબર પડશે કોણ જીત્યું અને કોણ હાર્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.