મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન પ્રક્રિયાનો થયો આરંભ, 11 વાગ્યા સુધી જાણો કેટલા ટકા થયું મતદાન


  • Published By :
  • Published Date : 2023-02-27 13:03:05

વર્ષ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે આજે બે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે. મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાતાઓ મતદાન કરી ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરી રહ્યા છે. 60 બેઠકો માટે મેઘાલયમાં મતદાન થવાનું હતું પરંતુ એક ઉમેદવારનું અવસાન થવાને કારણે ત્યાં મતદાન ટાળી દેવામાં આવ્યું છે. જ્યારે નાગાલેન્ડમાં 59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. નાગાલેન્ડમાં પણ 60 બેઠકો છે પરંતુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા છે.

   

2 માર્ચના રોજ આવશે પરિણામ 

સવારના સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. 9 વાગ્યા સુધી મેઘાલયમાં 12.06 ટકા જ્યારે નાગાલેન્ડમાં 17.17 ટકા મતદાન થયું હતું. 11 વાગ્યા સુધી થયેલા મતદાનમાં મેઘાલયમાં 26.70 ટકા જ્યારે નાગાલેન્ડમાં 38.68 ટકા થયું હતું. મતદાન શરૂ થાય તે પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉપરાંત રાજ્યોની સીમાઓને પણ સીલ કરી દેવામાં આવી હતી. મેઘાલયમાં 375 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જેમાં 36 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નાગાલેન્ડમાં 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. બંને રાજ્યોમાં પ્રચાર માટે પાર્ટીઓએ પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે ઉતાર્યા હતા. ત્યારે 2 માર્ચના રોજ મતગણતરી થવાની છે ત્યારે ખબર પડશે કોણ જીત્યું અને કોણ હાર્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.