બાંગ્લાદેશમાં પાર્લામેન્ટ ચૂંટણી માટે આજે મતદાન, PM શેખ હસીનાએ કરી ભારતની પ્રશંસા


  • Published By :
  • Published Date : 2024-01-07 15:20:43

બાંગ્લાદેશમાં નવી સરકારની પસંદગી માટે આજે 7 જાન્યુઆરીએ મતદાન થઈ રહ્યું છે. આજે દેશમાં 12મી સામાન્ય ચૂંટણી માટે લગભગ 12 કરોડ મતદારો પોતાનો મત આપી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. વર્તમાન વડા પ્રધાન શેખ હસીના બાંગ્લાદેશમાં 2009 થી સત્તા પર છે. તે સતત ચોથી વખત પીએમ બનવા માટે લડી રહી છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની પાર્ટી BNPએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી BNP આ ચૂંટણીનો બહિષ્કાર કરી રહી છે કારણ કે કાર્યવાહક સરકારમાં નિસ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગણી સ્વીકારવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે શેખ હસીના માટે રસ્તો ઘણો સરળ બની ગયો છે. આ દરમિયાન વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાએ ભારતની પ્રશંસા કરી છે અને તેને સાચો મિત્ર ગણાવ્યો છે.


ભારતની કરી પ્રશંસા 


બાંગ્લાદેશના વડાપ્રધાન અને અવામી લીગના નેતા શેખ હસીનાએ રાજધાની ઢાકામાં પોતાનો મત આપ્યો. સવારે 8 વાગ્યે પોલિંગ બૂથ ખુલ્યા બાદ હસીનાએ પોતાનો મત આપ્યો હતો. વોટિંગ પછી ભારતના સવાલ પર હસીનાએ કહ્યું, ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન તેઓએ અમને સાથ આપ્યો હતો. 1975 પછી જ્યારે મેં મારું આખું કુટુંબ ગુમાવ્યું ત્યારે તેણે અમને આશ્રય આપ્યો હતો. તેથી, ભારતના લોકો માટે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.

  300 બેઠકો માટે મતદાન  


બાંગ્લાદેશની 300 બેઠકો માટે લગભગ 12 કરોડ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રવિવારે સાંજે મતદાન બાદ તરત જ મતગણતરી શરૂ થશે અને સોમવારે સવારે પરિણામ જાહેર થશે. મતદારો 300 સીધી ચૂંટાયેલી સંસદીય બેઠકો માટે અંદાજે 2,000 ઉમેદવારોમાંથી પસંદ કરશે. 436 અપક્ષ ઉમેદવારો છે, જે 2001 પછી સૌથી વધુ છે. જોકે, BNPનું કહેવું છે કે અવામી લીગે ચૂંટણીને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવા માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ડમી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.


વિપક્ષનો ચૂંટણી બહિષ્કાર  


BNPએ પણ 2014ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ 2018ની ચૂંટણીમાં ભાગ લીધો હતો. ફરી એકવાર પાર્ટીએ આ ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ શનિવારથી દેશભરમાં બે દિવસની હડતાળનું પણ આહ્વાન કર્યું છે. અવામી લીગે વિપક્ષી BNP પર સરકારનો વિરોધ કરી લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. ઢાકામાં ઓક્ટોબરના અંતથી ચાલી રહેલા દેખાવોમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે.



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.