બાંગ્લાદેશમાં પાર્લામેન્ટ ચૂંટણી માટે આજે મતદાન, PM શેખ હસીનાએ કરી ભારતની પ્રશંસા


  • Published By :
  • Published Date : 2024-01-07 15:20:43

બાંગ્લાદેશમાં નવી સરકારની પસંદગી માટે આજે 7 જાન્યુઆરીએ મતદાન થઈ રહ્યું છે. આજે દેશમાં 12મી સામાન્ય ચૂંટણી માટે લગભગ 12 કરોડ મતદારો પોતાનો મત આપી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. વર્તમાન વડા પ્રધાન શેખ હસીના બાંગ્લાદેશમાં 2009 થી સત્તા પર છે. તે સતત ચોથી વખત પીએમ બનવા માટે લડી રહી છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની પાર્ટી BNPએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી BNP આ ચૂંટણીનો બહિષ્કાર કરી રહી છે કારણ કે કાર્યવાહક સરકારમાં નિસ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગણી સ્વીકારવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે શેખ હસીના માટે રસ્તો ઘણો સરળ બની ગયો છે. આ દરમિયાન વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાએ ભારતની પ્રશંસા કરી છે અને તેને સાચો મિત્ર ગણાવ્યો છે.


ભારતની કરી પ્રશંસા 


બાંગ્લાદેશના વડાપ્રધાન અને અવામી લીગના નેતા શેખ હસીનાએ રાજધાની ઢાકામાં પોતાનો મત આપ્યો. સવારે 8 વાગ્યે પોલિંગ બૂથ ખુલ્યા બાદ હસીનાએ પોતાનો મત આપ્યો હતો. વોટિંગ પછી ભારતના સવાલ પર હસીનાએ કહ્યું, ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન તેઓએ અમને સાથ આપ્યો હતો. 1975 પછી જ્યારે મેં મારું આખું કુટુંબ ગુમાવ્યું ત્યારે તેણે અમને આશ્રય આપ્યો હતો. તેથી, ભારતના લોકો માટે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.

  300 બેઠકો માટે મતદાન  


બાંગ્લાદેશની 300 બેઠકો માટે લગભગ 12 કરોડ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રવિવારે સાંજે મતદાન બાદ તરત જ મતગણતરી શરૂ થશે અને સોમવારે સવારે પરિણામ જાહેર થશે. મતદારો 300 સીધી ચૂંટાયેલી સંસદીય બેઠકો માટે અંદાજે 2,000 ઉમેદવારોમાંથી પસંદ કરશે. 436 અપક્ષ ઉમેદવારો છે, જે 2001 પછી સૌથી વધુ છે. જોકે, BNPનું કહેવું છે કે અવામી લીગે ચૂંટણીને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવા માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ડમી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.


વિપક્ષનો ચૂંટણી બહિષ્કાર  


BNPએ પણ 2014ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ 2018ની ચૂંટણીમાં ભાગ લીધો હતો. ફરી એકવાર પાર્ટીએ આ ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ શનિવારથી દેશભરમાં બે દિવસની હડતાળનું પણ આહ્વાન કર્યું છે. અવામી લીગે વિપક્ષી BNP પર સરકારનો વિરોધ કરી લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. ઢાકામાં ઓક્ટોબરના અંતથી ચાલી રહેલા દેખાવોમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.