બાંગ્લાદેશમાં પાર્લામેન્ટ ચૂંટણી માટે આજે મતદાન, PM શેખ હસીનાએ કરી ભારતની પ્રશંસા


  • Published By :
  • Published Date : 2024-01-07 15:20:43

બાંગ્લાદેશમાં નવી સરકારની પસંદગી માટે આજે 7 જાન્યુઆરીએ મતદાન થઈ રહ્યું છે. આજે દેશમાં 12મી સામાન્ય ચૂંટણી માટે લગભગ 12 કરોડ મતદારો પોતાનો મત આપી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. વર્તમાન વડા પ્રધાન શેખ હસીના બાંગ્લાદેશમાં 2009 થી સત્તા પર છે. તે સતત ચોથી વખત પીએમ બનવા માટે લડી રહી છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની પાર્ટી BNPએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી BNP આ ચૂંટણીનો બહિષ્કાર કરી રહી છે કારણ કે કાર્યવાહક સરકારમાં નિસ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગણી સ્વીકારવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે શેખ હસીના માટે રસ્તો ઘણો સરળ બની ગયો છે. આ દરમિયાન વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાએ ભારતની પ્રશંસા કરી છે અને તેને સાચો મિત્ર ગણાવ્યો છે.


ભારતની કરી પ્રશંસા 


બાંગ્લાદેશના વડાપ્રધાન અને અવામી લીગના નેતા શેખ હસીનાએ રાજધાની ઢાકામાં પોતાનો મત આપ્યો. સવારે 8 વાગ્યે પોલિંગ બૂથ ખુલ્યા બાદ હસીનાએ પોતાનો મત આપ્યો હતો. વોટિંગ પછી ભારતના સવાલ પર હસીનાએ કહ્યું, ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન તેઓએ અમને સાથ આપ્યો હતો. 1975 પછી જ્યારે મેં મારું આખું કુટુંબ ગુમાવ્યું ત્યારે તેણે અમને આશ્રય આપ્યો હતો. તેથી, ભારતના લોકો માટે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.

  300 બેઠકો માટે મતદાન  


બાંગ્લાદેશની 300 બેઠકો માટે લગભગ 12 કરોડ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રવિવારે સાંજે મતદાન બાદ તરત જ મતગણતરી શરૂ થશે અને સોમવારે સવારે પરિણામ જાહેર થશે. મતદારો 300 સીધી ચૂંટાયેલી સંસદીય બેઠકો માટે અંદાજે 2,000 ઉમેદવારોમાંથી પસંદ કરશે. 436 અપક્ષ ઉમેદવારો છે, જે 2001 પછી સૌથી વધુ છે. જોકે, BNPનું કહેવું છે કે અવામી લીગે ચૂંટણીને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવા માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ડમી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.


વિપક્ષનો ચૂંટણી બહિષ્કાર  


BNPએ પણ 2014ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ 2018ની ચૂંટણીમાં ભાગ લીધો હતો. ફરી એકવાર પાર્ટીએ આ ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ શનિવારથી દેશભરમાં બે દિવસની હડતાળનું પણ આહ્વાન કર્યું છે. અવામી લીગે વિપક્ષી BNP પર સરકારનો વિરોધ કરી લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. ઢાકામાં ઓક્ટોબરના અંતથી ચાલી રહેલા દેખાવોમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.