Russia સામે બળવો કરનાર વેગનર ચીફનું પ્લેન ક્રેશમાં થયું મોત, પુતિન સામે બળવો કરવો પ્રાણઘાતક સાબિત થયો?


  • Published By :
  • Published Date : 2023-08-24 11:28:59

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સામે વિરોધનો અવાજ ઉઠાવનાર, બળવો કરનાર યેવગેની પ્રગોઝિન દુર્ઘટનાનો શિકાર બન્યા છે. બુધવારે રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન જે પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. અને આ દુર્ઘટનામાં ચીફ સહિત 7થી વધારે લોકોના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે બપોરના સમયે ઘટી હતી. મોસ્કોના ઉત્તરીય વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. રશિયાની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ મૃતકોના નામની યાદી બહાર પાડી છે જેમાં વેગનર ગ્રૂપ કમાન્ડરના નામનો પણ સમાવેશ થાય છે. 


વેગનાર ચીફનું આ દુર્ઘટનામાં થયું મૃત્યુ    

અનેક વખત પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પ્લેન ક્રેશ થવાને કારણે લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રશિયામાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે બળવો કરનારા વેગનાર પ્રમુખનું મોત આ પ્લેન ક્રેશમાં થયું છે. મહત્વનું છે કે વેગનાર ચીફનું આ દુર્ઘટનામાં નિધન થયું જે પ્રાઈવેટ આર્મી છે. 



રાષ્ટ્રપતિ પુતિન સામે ઉચ્ચાર્યા હતા વિરોધના સ્વર 

વેગનર આર્મી રશિયન સેના સાથે મળી યુક્રેન સામે યુદ્ધ લડી રહી હતી. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા વેગનર ગ્રુપે રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ બળવો કર્યો હતો. બળવાની શરૂઆત થવાને કારણે એવું લાગી રહ્યું હતું કે રશિયા બદલો લેવાના મૂડમાં છે. ત્યારે ગઈકાલે આ પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા. પ્લેન ક્રેશની દુર્ઘટના રશિયાની રાજધાની મોસ્કોમાં બની હતી.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .