Russia સામે બળવો કરનાર વેગનર ચીફનું પ્લેન ક્રેશમાં થયું મોત, પુતિન સામે બળવો કરવો પ્રાણઘાતક સાબિત થયો?


  • Published By :
  • Published Date : 2023-08-24 11:28:59

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સામે વિરોધનો અવાજ ઉઠાવનાર, બળવો કરનાર યેવગેની પ્રગોઝિન દુર્ઘટનાનો શિકાર બન્યા છે. બુધવારે રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન જે પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. અને આ દુર્ઘટનામાં ચીફ સહિત 7થી વધારે લોકોના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે બપોરના સમયે ઘટી હતી. મોસ્કોના ઉત્તરીય વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. રશિયાની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ મૃતકોના નામની યાદી બહાર પાડી છે જેમાં વેગનર ગ્રૂપ કમાન્ડરના નામનો પણ સમાવેશ થાય છે. 


વેગનાર ચીફનું આ દુર્ઘટનામાં થયું મૃત્યુ    

અનેક વખત પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પ્લેન ક્રેશ થવાને કારણે લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રશિયામાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે બળવો કરનારા વેગનાર પ્રમુખનું મોત આ પ્લેન ક્રેશમાં થયું છે. મહત્વનું છે કે વેગનાર ચીફનું આ દુર્ઘટનામાં નિધન થયું જે પ્રાઈવેટ આર્મી છે. 



રાષ્ટ્રપતિ પુતિન સામે ઉચ્ચાર્યા હતા વિરોધના સ્વર 

વેગનર આર્મી રશિયન સેના સાથે મળી યુક્રેન સામે યુદ્ધ લડી રહી હતી. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા વેગનર ગ્રુપે રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ બળવો કર્યો હતો. બળવાની શરૂઆત થવાને કારણે એવું લાગી રહ્યું હતું કે રશિયા બદલો લેવાના મૂડમાં છે. ત્યારે ગઈકાલે આ પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા. પ્લેન ક્રેશની દુર્ઘટના રશિયાની રાજધાની મોસ્કોમાં બની હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.