PM Modiની તસવીરને લઈ યુદ્ધ છેડાઈ ગયું! Maldivesના મંત્રીની ટ્વિટ બાદ લેવાયા કડક પગલા, Tourism પર પણ પડશે પ્રભાવ કારણ કે ભારતની આ કંપનીએ...


  • Published By :
  • Published Date : 2024-01-08 10:44:40

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા લક્ષદ્વિપની મુલાકાત લીધી હતી. ભારતના લોકો લક્ષદ્વિપની મુલાકાત લે તેવું આહ્વાહન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું. લક્ષદ્વિપનો પ્રચાર પણ પીએમ મોદીએ કર્યો. ફોટો શેર કરતા તેમણે લખ્યું ફરવા માટે લક્ષદ્વિપ જવું જોઈએ. તેમણે ક્યાંય માલદિવ્સનું નામ પણ ન લીધું હતું પરંતુ સોશિયલ મીડિયા પર બોયકોટ માલદિવ્સ ટ્રેન્ડ થવા લાગ્યું કારણ કે માલદિવ્સના એક મંત્રીએ ફોટા પર કમેન્ટ કરી કે ભારતના ટાપુ માલદિવ્સના ટાપુના સમુદ્ર તટની આગળ કંઈ નથી. આ ટિપ્પ્ણી બાદ રાજકારણ ગરમાયું છે. અનેક લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ વિવાદ એટલો બધો વધી ગયો કે માલદિવ્સના ત્રણ મંત્રી વિરૂદ્ધ કાયદેસર પગલા લેવાયા. ત્રણ મંત્રીની હકાલપટ્ટી કરવામાં આવી. વિવાદ છેડાતા માલદિવ્સના મંત્રી દ્વારા તે ટ્વિટને ડિલીટ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

થોડા દિવસ પહેલા પીએમ મોદી ગયા હતા લક્ષદ્વિપની મુલાકાતે 

કોઈ પણ દેશના વિકાસમાં ટુરિઝમ ક્ષેત્ર એક મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં પણ અનેક એવા ટુરિઝમ સ્પોર્ટ આવેલા છે. ભારતના ટુરિઝમને, ભારતમાં આવેલા સ્થળો વિશે લોકો જાણે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ટુરિઝમ થકી તે ક્ષેત્રનો વિકાસ થાય, લોકો આવા ટાપુઓ વિશે જાણે તેવો પ્રયાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો. લક્ષદ્વિપની મુલાકાતના અનેક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા. તે ફોટો બાદ ભારતનું રાજકારણ તો ગરમાયું પરંતુ માલદિવ્સનું રાજકારણ પણ ગરમાયું. પીએમ મોદીએ અનેક ફોટો શેર કર્યા હતા જેમાં લોકોને લક્ષદ્વિપની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. ફોટો પર માલદિવ્સના મહિલા મંત્રી શિયુનાને વાંધાજનક ટિપ્પણી કરી હતી. 

Lakshadweep visit row: India raises with Maldives minister's derogatory  remarks against PM Modi - India Today

પીએમ મોદી તેમજ ભારત વિરૂદ્ધ ટિપ્પણી કરવી મોંઘી પડી 

ફોટા  પર માલદિવ્સના એક મંત્રીએ પોતાની ટિપ્પણી ઉમેરી કે માલદિવ્સના કિનારાની સરખામણીમાં ભારતના કિનારા કંઈ નથી. હવે આ એક ટિપ્પણી સાથે હંગામાનો દોર શરૂ થઈ ગયો છે. માલદિવ્સનું આંતરિક રાજકારણ પણ હચમચી ગયું છે. આ નિવેદનને લઈ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. માલદિવ સરકારે વડાપ્રધાન મોદી અને ભારત વિશે અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરવા પર તેમના મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે. 

Maldives govt suspends 3 ministers after 'derogatory' remarks on PM Modi -  Pragativadi

EasyMyTripએ માલદિવ્સની તમામ ફ્લાઈટ બુકિંગ કરી રદ્દ 

આ વિવાદ ત્યાં સુધી પણ સીમિત નથી રહ્યો. માલદિવ્સના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ માલદિવ્સને મોંઘી પડી શકે તેમ છે. ભારતીયોએ મંત્રીના નિવેદનનો સખ્ત વિરોધ કર્યો છે. માલદિવ્સની અનેક ફ્લાઈટ, હોટલ બુકિંગ ભારતીયો કેન્સલ કરાવી રહ્યા છે. EasyMyTripએ માલદિવ્સને મોટો ફટકો આપ્યો છે. કંપનીના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ કહ્યું હતું કે માલદિવ્સ માટે તમામ ફ્લાઈટ બુકિંગ રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વિવાદને કારણે માલદિવ્સની અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડી શકે છે આવનાર દિવસોમાં. માલદિવ્સનું અર્થતંત્ર પર્યટન પર નિર્ભર રહેલું છે. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?