PM Modiની તસવીરને લઈ યુદ્ધ છેડાઈ ગયું! Maldivesના મંત્રીની ટ્વિટ બાદ લેવાયા કડક પગલા, Tourism પર પણ પડશે પ્રભાવ કારણ કે ભારતની આ કંપનીએ...


  • Published By :
  • Published Date : 2024-01-08 10:44:40

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા લક્ષદ્વિપની મુલાકાત લીધી હતી. ભારતના લોકો લક્ષદ્વિપની મુલાકાત લે તેવું આહ્વાહન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું. લક્ષદ્વિપનો પ્રચાર પણ પીએમ મોદીએ કર્યો. ફોટો શેર કરતા તેમણે લખ્યું ફરવા માટે લક્ષદ્વિપ જવું જોઈએ. તેમણે ક્યાંય માલદિવ્સનું નામ પણ ન લીધું હતું પરંતુ સોશિયલ મીડિયા પર બોયકોટ માલદિવ્સ ટ્રેન્ડ થવા લાગ્યું કારણ કે માલદિવ્સના એક મંત્રીએ ફોટા પર કમેન્ટ કરી કે ભારતના ટાપુ માલદિવ્સના ટાપુના સમુદ્ર તટની આગળ કંઈ નથી. આ ટિપ્પ્ણી બાદ રાજકારણ ગરમાયું છે. અનેક લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ વિવાદ એટલો બધો વધી ગયો કે માલદિવ્સના ત્રણ મંત્રી વિરૂદ્ધ કાયદેસર પગલા લેવાયા. ત્રણ મંત્રીની હકાલપટ્ટી કરવામાં આવી. વિવાદ છેડાતા માલદિવ્સના મંત્રી દ્વારા તે ટ્વિટને ડિલીટ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

થોડા દિવસ પહેલા પીએમ મોદી ગયા હતા લક્ષદ્વિપની મુલાકાતે 

કોઈ પણ દેશના વિકાસમાં ટુરિઝમ ક્ષેત્ર એક મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં પણ અનેક એવા ટુરિઝમ સ્પોર્ટ આવેલા છે. ભારતના ટુરિઝમને, ભારતમાં આવેલા સ્થળો વિશે લોકો જાણે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ટુરિઝમ થકી તે ક્ષેત્રનો વિકાસ થાય, લોકો આવા ટાપુઓ વિશે જાણે તેવો પ્રયાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો. લક્ષદ્વિપની મુલાકાતના અનેક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા. તે ફોટો બાદ ભારતનું રાજકારણ તો ગરમાયું પરંતુ માલદિવ્સનું રાજકારણ પણ ગરમાયું. પીએમ મોદીએ અનેક ફોટો શેર કર્યા હતા જેમાં લોકોને લક્ષદ્વિપની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. ફોટો પર માલદિવ્સના મહિલા મંત્રી શિયુનાને વાંધાજનક ટિપ્પણી કરી હતી. 

Lakshadweep visit row: India raises with Maldives minister's derogatory  remarks against PM Modi - India Today

પીએમ મોદી તેમજ ભારત વિરૂદ્ધ ટિપ્પણી કરવી મોંઘી પડી 

ફોટા  પર માલદિવ્સના એક મંત્રીએ પોતાની ટિપ્પણી ઉમેરી કે માલદિવ્સના કિનારાની સરખામણીમાં ભારતના કિનારા કંઈ નથી. હવે આ એક ટિપ્પણી સાથે હંગામાનો દોર શરૂ થઈ ગયો છે. માલદિવ્સનું આંતરિક રાજકારણ પણ હચમચી ગયું છે. આ નિવેદનને લઈ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. માલદિવ સરકારે વડાપ્રધાન મોદી અને ભારત વિશે અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરવા પર તેમના મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે. 

Maldives govt suspends 3 ministers after 'derogatory' remarks on PM Modi -  Pragativadi

EasyMyTripએ માલદિવ્સની તમામ ફ્લાઈટ બુકિંગ કરી રદ્દ 

આ વિવાદ ત્યાં સુધી પણ સીમિત નથી રહ્યો. માલદિવ્સના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ માલદિવ્સને મોંઘી પડી શકે તેમ છે. ભારતીયોએ મંત્રીના નિવેદનનો સખ્ત વિરોધ કર્યો છે. માલદિવ્સની અનેક ફ્લાઈટ, હોટલ બુકિંગ ભારતીયો કેન્સલ કરાવી રહ્યા છે. EasyMyTripએ માલદિવ્સને મોટો ફટકો આપ્યો છે. કંપનીના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ કહ્યું હતું કે માલદિવ્સ માટે તમામ ફ્લાઈટ બુકિંગ રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વિવાદને કારણે માલદિવ્સની અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડી શકે છે આવનાર દિવસોમાં. માલદિવ્સનું અર્થતંત્ર પર્યટન પર નિર્ભર રહેલું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.